Vadodara

વડોદરા : વીજ ધાંધિયાથી ઉશ્કેરાયેલા લોકોએ બરાનપુરા વીજ કચેરીએ હોબાળો મચાવ્યો

બરાનપુરા વિસ્તારમાં સાંજથી પુરવઠો ખોરવાયો

MGVCLના અધિકારીઓને ફોલ્ટ ન મળતા નાગરિકો અટવાયા

( પ્રતિનિધિ ) વડોદરા તા.30

સમગ્ર બરાનપુરા વિસ્તારમાં રાત્રે અંધારપટ છવાયો હતો. લોકોની જીઈબી કચેરીમાં રજૂઆત કર્મચારીઓ આવ્યા પણ ફોલ્ટ નહિ મળતા વિસ્તારના લોકો વિફર્યા હતા. બરાનપુરા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો.

કાળઝાળ ગરમીને કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. તો છેલ્લા કેટલાંક દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. પહેલા વાઘોડિયા રોડ, બાદમાં ગોરવા જ્યારે ગતરાત્રીએ સમગ્ર બરાનપુરા વિસ્તારમાં લાઈટો ગુલ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.

બરાનપુરા થી વિજયનગર સોસાયટી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા હતા. સાંજે ૬ વાગ્યા થી લાઈટો ગુલ થઈ હતી. મોડી રાત સુધી વીજ પુરવઠો કાર્યરત નહિ થતા બરાનપુરા સ્થિત જીબીઈની પેટા વિભાગીય કચેરીમાં સ્થાનિકોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો. લલિત ભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે સમગ્ર બરાનપુરા વિસ્તારમાં સાંજે 7 વાગ્યાથી લાઈટો બંધ છે, જ્યારે પણ જીઈબી ઓફિસમાં પૂછવામાં આવે છે તો કહે છે કે અડધો કલાકમાં ચાલુ થઈ જશે, પણ ચાલુ ન થઈ અંતે એવું થયું કે હવે તેઓને ફોલ્ટ પણ નથી મળતો. અમારા ઘરમાં નાના બાળકો છે. ઉંમર લાયક વ્યક્તિઓ છે એમને ગભરામણ થાય છે. લોકોના ઘરોમાં રાત્રે જમવાનું નથી બનાવ્યું, ફોલ્ટ થાય પણ વ્યવસ્થિત જવાબ તો આપો તમે અહીં જે ઓફિસમાં જીમ્મેદાર અધિકારી છે તે ફોન રિસીવ કરતા નથી.ચાર માણસ કેવી રીતે કરી શકે. આટલો મોટો ફોલ્ટ થતો હોય પણ કોઈ છે નહીં , 10 થી 15 હજાર લોકો હેરાન પરેશાન થયા છે.

Most Popular

To Top