Vadodara

વડોદરા નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીનું અગમ્ય કારણોસર મોત

મેન્ટલ હોસ્પિટલમાં તબિયત બગડતા સયાજીમાં દાખલ કર્યાંહતા

નારી સંરક્ષણ ગૃહમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીનું આજે સારવાર દરમ્યાન અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. નાની ઉમરે યુવતીનું મૃત્યુ થતા લોક માનસમાં અનેક સવાલો ઉદભવ્યા હતા. જોકે યુવતીનું મૃત્યુ કેવી રીતે થયું તે બાબતે વધુ તપાસ હાથ ધરવા માટે ફતેગંજ પોલીસ મથકમાં ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છેલ્લા ઘણાં સમયથી નારી ગૃહમાં રહેતા અસ્મિતા બહેન મૂળ જૂનાગઢના છે . અમુક કારણોસર ત્યાની પોલીસ દ્વારા તેમને વડોદરા નારી ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળતા તેઓને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતાં . જ્યાં તેઓની સારવાર દરમ્યાન તબિયત વધારે લથડતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જોકે મોતનું ચોક્ક્સ કારણ જાણવા માટે ફતેગંજ પોલીસે ગુનો નોધીને તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top