Gujarat

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રૂપાણી-નીતિન પટેલે ભગવાન જગન્નાથજીની આરતીમાં ભાગ લીધો

આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે સીએમ નીતિન પટેલે ભગવાન જગન્નાથજીન આરતીમાં ભાગ લીધો હતો. આ આરતીમાં અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથજી માટે મોકલાવેલો મંગ, જાંબુ, કાકડી, દાડમ, કેરી અને સુકો મેવાનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. રથયાત્રાના દિને બનતી શાહી ખીચડીની સામગ્રી પણ પીએમ મોદી તરફથી મોકલાવામાં આવી હતી. જે મંદિરમાં ભગવાનને અર્પણ કરાઈ હતી. મંદિર પરિસરમાં રેપીડ એકશન ફોર્સના જવાનો તૈનાત કરાયા હતા. સીએમ રૂપાણીએ સમગ્ર રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ વખતે રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે મંદિર પરિસરમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમચી પડ્યું હતું.

Most Popular

To Top