SURAT

સુરતના અઠવા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં 25 વર્ષની પરિણીતા સાથે 50 વર્ષના સહકર્મીનું દુષ્કર્મ

સુરત: (Surat) અઠવાગેટ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં (Hospital) નોકરી કરતી 20 વર્ષીય પરિણીતા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા 50 વર્ષના આધેડે હોસ્પિટલના પેસેજમાં જ દુષ્કર્મ (Abuse) આચર્યું હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • અઠવાગેટની હોસ્પિટલમાં 25 વર્ષની પરિણીતા સાથે 50 વર્ષના સહકર્મીનું દુષ્કર્મ
  • પરિણીતા સાથે રિસેપ્શન પેસેજમાં બળાત્કાર ગુજારતા બળપૂર્વક ધક્કો મારી લિફ્ટ સુધી પહોંચી આરોપી દાદર પરથી ભાગી ગયો
  • બે સંતાનોના પિતા આરોપી સામે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની કલમો દાખલ કરી પોલીસે ધરપકડ કરી

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અઠવાગેટ ખાતે આવેલી ખાનગી ક્લિનિકમાં નોકરી કરતી 25 વર્ષીય પરિણીતા તેની સાથે ક્લિનિકમાં નોકરી કરતા સંજય મિશ્રા (ઉ.વ.50, રહે.ભેસ્તાન) નામના યુવક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીએ જણાવ્યું હતું કે ગત ગુરુવારના રોજ સાંજે તેઓ ક્લિનિક ઉપર હાજર હતા. તે વખતે એકલતાનો લાભ ઉઠાવી સાથે કામ કરતા નરાધમ સંજય મિશ્રાએ તેને રિસેપ્શનના પેસેજમાં પાછળથી પકડી જબરજસ્તીથી અડપલા કરી બળાત્કાર કર્યો હતો. યુવતીએ હિંમત દાખવી સંજયના ચુંગલથી બચવા માટે તેને ધક્કો મારતા તે દૂર ફેકાઈ જતા યુવતીએ પોતાના કપડા પહેરીને લિફ્ટનું બટન દબાવ્યું હતું. લિફ્ટ ત્રીજા માળેથી આવતી જોઈ નરાધમ સંજય મિશ્રા ત્યાંથી દાદરથી નીચે ઉતરી ભાગી ગયો હતો. ઘટના અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. આરોપી બે સંતાનોનો પિતા છે.

મહિધરપુરામાં બે લાખની ઉઘરાણી કરવા ગયેલી મહિલા સાથે પિતા-પુત્રનું દુષ્કર્મ
સુરત : લાલ દરવાજા ખાતે રહેતી 49 વર્ષીય પરિણીતા ઉપર તેના પતિના વેપારી મિત્ર અને તેના પુત્રએ ચપ્પુની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહિલા પાસેથી લીધેલા ઉછીના 2 લાખ ઘરે આપવા ગયા ત્યારે તેની એકલતાનો લાભ લઈને આ કૃત્ય કર્યું હતું. એક મહિના પછી પરિણીતાને પૈસા આપવાને બહાને વેપારીએ ઘરે બોલાવી પોતે અને તેના પુત્રએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલ દરવાજા ખાતે રહેતી 49 વર્ષીય પરિણીતા અને તેનો પતિ વર્ષ 1996 માં ગણપતિની મૂર્તિનું વેચાણ કરતા હતા. તે વખતે શિવકુમાર કિશન પારકર (ઉ.વ.૪૪.રહે, સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ અમરોલી) સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ શિવકુમારે પરિણીતાને વાતોમાં ફસાવી તેની પાસેથી ધંધો કરવા માટે ૨ લાખ ઉછીના લીધા હતા. લાંબો સમય થતા પરિણીતાએ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરતા શિવકુમાર ગત 17 સપ્ટેમ્બર 2015 ના રોજ પરિણીતાના ઘરે ગયો હતો. તે વખતે ઘરમાં પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ચપ્પુ બતાવી બળજબરી પૂર્વક બળાત્કાર કર્યો હતો. બાદમાં 26 ઓક્ટોબર 2015 ના રોજ શિવકુમારે કતારગામ દરવાજા કાજીપુરા ખાતે આવેલા ઘરે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ પરિણીતા 18 જાન્યુઆરી 2021 ના રોજ ઉઘરાણી કરવા જતા શિવકુમારે તેને ઉપરના રૂમમાં બોલાવી હતી. રૂમમાં જતા જ તેના પુત્ર વેદાંતે પાછળથી પકડીને દરવાજો બંધ કરી મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો. અને બાદમાં હાથ પગ બાંધી દીધા હતા. પછી રૂમાલ કાઢીને બળજબરી દારૂ પીવડાવ્યો હતો. અને પછી પિતા અને પુત્રએ વારાફરતી બળાત્કાર કર્યો હતો. આખરે પરિણીતાએ પિતા-પુત્રની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top