Comments

બાળકોની આત્મહત્યા એ વડીલોનો પ્રશ્ન છે,સમાજની ગંભીર સમસ્યા છે

શિક્ષણ, વિદ્યા, કેળવણી આ બધું જ માનવ જીવન ઘડતર માટે છે. ઉન્નતિ માટે છે. માણસને જીવનનો માર્ગ બતાવવા માટે છે. નહી કે જીવનનો અંત લાવનારા બોજને સર્જવા માટે ! જો આપણી કેળવણી કે શિક્ષણની વ્યવસ્થામાં એક પણ બાળક શીખ્સ્ન ના બોજથી આત્મહત્યા કરે છે તો આવા શિક્ષણ અને વ્યવસ્થાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવા જોઈએ અથવા આપના પાલ્યને આ વ્યવથા થી દુર કરી દેવું જોઈએ અને આપને ત્યાતો ત્રણ હજારથી વધુ બાળકો યુવાનોએ આત્મહત્યા કરી ! ખરેખર તો તોફાનો ફાટી નીકળવા જોઈએ બંધના એલાનો અપાવવા જોઈએ સરકારો પડી જવી જોઈએ ..પણ ના આપને તો મસ્ત થઇ ને ફરીએ છીએ.

વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે આ વાત જ આઘાત જનક છે. લેખકો સમાંજ્શાત્રીઓ માંનોવએગ્યાનીકો આ સો એ જો સૌથી પહેલી કોઈં ચર્ચા કરવાની હોય તો તે આ છે કે અભયાસ કરતા વિદ્યાર્થીઓ માં આત્મહત્યા નું પ્રમાણ આટલું ચિંતા જનક કેમ છે?કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે તે કરતા પણ શાળા ના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે તે બાબત વધારે ચિંતા જનક છે. પણ પ્રશ્ન એ છે કે શું ખરેખર બાળકો કે યુવાનો શિક્ષણના કારણે આત્મહત્યા કરે છે ? કે કારણ કોઈ બીજાજા છે ?

આમ પણ દેશમાં આત્મહત્યા નું પ્રમાણ ખુબ વધી ગયું છે દેખીતા કારનો અનેક હોય છે જેમકે આર્થિક કારણો ,સામાજિક કારણો, ખોટા માંન-સન્માનના કારણો પણ આ બધા જ કારણના અંતે ઉભી થતી માનસિક એકલતા ..મારું હવે કોઈ નથી ..આવું જીવી ને શું કરવું ? જેવો માનસિક નીરસાવાદી શૂન્યાવકાશ આત્મહત્યા નું મૂળ કારણ છે. જેમને ટેકો આપવાનો છે તેમનામાં જ વ્યક્તિ ને વિશ્વાસ ના હોય ત્યારે ઉભી થતી એકલતા આત્મહત્યા તરફ લઇ જાય છે ….તો આ ખાલીપો કોણ ભરે ?

આપણે ત્યાં હમણાં હમણાં પરીક્ષા પહેલા મોટીવેશનલ સ્પીકર દ્વરા પાનો ચડાવવા ના સેમીનાર નો પ્રવાહ શરુ થયો છે. “આ પરીક્ષા જીવનની એક માત્ર પરીક્ષા નથી .આ જીવનની છેલ્લી પરીક્ષ્ઘા નથી ..પેલો ક્રિકેટર એસ એસ સી માં નપાસ હતો ..પેલો એકતર કોલેજ પણ પૂરી નથી કરી શક્યો ..આ ઉદ્યોગપતિ ભણેલા જ નથી”……આવા આવા ઉદાહરણો અપાય ત્યારે સામે બેઠેલો વિદ્યાર્થી એક જ વાત મનમાં બોલતો હશે કે “સર આ બધું મને કહેવાનો આર્થ જ નથી આ બધું મારા માં બાપ ને કહો !” ભરતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માં આત્મહત્યા નું વધતું પ્રમાણ એ શિક્ષણના કારને નહી પણ માં બાપ દ્વરા ઉભા કરેલા પરિણામના દબાણને કારણે છે . હવે માતા પિતા પોતાની મ્હત્વ્કાક્શાઓ બાળકો પર લાદી દે છે અને તેના જીવનની પ્ર્તુય્યેક બાબતને પરિણામ સાથે જોડી દે છે.

આત્મહત્યાને કારણ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ મુદ્દો છે જ્ઞાન કરતા પરિણામ નું વધારે મહત્વ ? આવડત કરતા માર્કશીટ મહત્વની કારણકે નોકરી તેની સાથે જોડાયેલી છે આત્મહત્યા નું બીજું અગત્યનું કારણ છે સેલ્ફ ફાઈનાન્સ શિક્ષણને કારને વાલીઓ પર વધતો આર્થિક બોજો જે અંતે વિદ્યર્થિઅને ઉચા પરિણામ માટે ટેન્શન આપે છે .આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ આ ? ત્રીજો અગત્યનો મુદ્દો વેભાવી અને વસ્તુવાદી જીવન ધોરણ..આજના યુવાનોમાં આ બાત ગ્માંભીર રીતે વધતી જાય છે .મોઘા મોવ્બાઈલ.કંપની ના મોઘા કપડા …ભૌતિક સગવડો અને તે માટેની દેખાદેખી
આત્મહત્યાનું એક પરીબળ એ મુલ્યો નો વિરોધાભાસ પણ છે.

મતલબ કે ઘરમાં સમાજમાં જુના અને પરમ્પરાગત મૂલ્યોનું મહત્વ હોય અને યુવાન નવા મૂલ્યોમાં મોટો થતો હોય . છોકરીઓ માં આ મુદ્દો વધારે અગત્યનો છે કરન્નકે એક તરફ ઘરમાં સતત ટુ સાચવજે ..જો જે હો ગડબડ ના કરતી ..આબરૂ ના અને અસ્મિતાના મુદ્દા સતત અભ્યાસ કરતી દીકરીએ જ સાચવવા ના હોય છે .છોકરાઓ આ બાબતમાં સ્વતંત્ર છે એટલે છોકરીઓ જ્યારે નવા મિત્ર મંડળમાં નવી હવા માં સામેલ થાય છે ત્યારે નવી જિંદગી જીવે છે પણ થોડા જ સમય પછી જો એને જાતે જ એમ થવા માંડે કે અરેરે મે તો ખોટું કર્યું ..તો આ અપરાધ ભાવ તેને બોજો સર્જે છે આવા સમયે જો પરિણામ નબળું આવે તો તે ખોટું પગલું ભરી દેતા અચકાતી નથી.

ખબર બધાને છે પણ બોલવા કોઈ નથી માંગતું અતે કારણ છે આત્મહત્યાના વર્ણન સાથેના મોટા મોટા સમાચારો ..હા નબળા મનનના લોકો ને આવા સમાચારો ની અવળી અસર થાય છે . નબળા પરિણામને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી ..કુવારી છોકરી સગર્ભા થતા આત્મહત્યા કારી ..માં અબાપે બાઈક ના પાવતા યુવકે જીવન ટુંકાવ્યું ..આવા સમાચારો સામાન્ય જનતા માટે માત્ર સમાચાર હોય છે પણ અવ જ મુદ્દામાં જજુમતા લોકો માટે તો ખોટો મેસેજ હોઈ શકે છે માટે જ સમાચાર પાત્રો કે ચેનલોએ આત્મહત્યાના સમાચાર જવાબદારી પૂર્વક અને ગ્લેમર હટાવી ને છાપવા જોઈએ
આપણે ત્યાં શિક્ષણ સંસ્થાઓ અને સમાજમાં કાઉન્સેલરો ની ખાસ જરૂર છે જે વિદ્યાર્થી ને સાભ્જ્લે અને માતા પિતાને સલાહ આપે. આપણે વિદ્યાર્થીઓ ને સલાહો આપીએ છીએ ખરેખર તેમને સાભળવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top