Gujarat

સેવા સેતુ કાર્યક્રમમાં એક જ દિવસમાં ૨૦ લાખથી વધુ રજૂઆતોનો સ્થળ પર નિકાલ કરાયો

રાજ્યમાં ગઈકાલે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમમાં એક જ દિવસમાં ૮.૨૦ લાખથી વધુ રજૂઆતોનો ઓન ધ સ્પોટ નિકાલ કરાયો હતો. એટલે કે, આ કાર્યક્રમોમાં મળેલી રજૂઆતો પૈકી ૯૯.૬૩ ટકા રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
સમગ્ર રાજ્યમાં ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ અને નગરપાલિકા-મહાનગરપાલિકા ક્ક્ષાએ કુલ ૪૩૩ સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૭ સેવાઓ આવરી લેવામાં આવી હતી .

સમગ્ર રાજ્યમાં કુલ ૮,૨૩,૫૮૪ અરજદારોએ ઉપસ્થિત રહી જુદી જુદી સેવાઓ માટે સેવા સેતુ કાર્યક્રમમાં અરજીઓ આપી હતી તે પૈકી ગ્રામ્ય કક્ષાએ ૫,૭૭,૪૪૭ અને શહેરી વિસ્તારમાં ૨,૪૬,૧૩૮ રજૂઆતો મળી હતી. કુલ મળેલી રજૂઆતો પૈકી ૮,૨૦,૫૧૩ રજૂઆતોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ થયો છે.

આ રજૂઆતોમાં મુખ્યત્વે રેશનકાર્ડમાં સુધારા, મિલકત આકારણીના ઉતારા, આવકના દાખલા, ૭/૧૨ અને ૮(અ)ના પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી જન આરોગ્ય (મા કાર્ડ) અને હેલ્થ વેલનેસ કાર્ડ અંગેની મુખ્ય અરજીઓ હતી.ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં-૬૨,૮૫૩, રાજકોટ જિલ્લામાં ૪૮,૦૧૦, નર્મદા જિલ્લામાં-૩૭,૭૪૬ અને અમદાવાદ જિલ્લામાં-૨૮,૫૮૪ રજૂઆતો મળી છે, જેની સામે આ જિલ્લાઓમાં ૯૯.૯૫ % હકારાત્મક નિકાલ થયો છે.

શહેરી વિસ્તારમાં ગાંધીનગરમાં ૧૦,૦૮૯ અરજીઓ મળી હતી જે તમામ અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. તે ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં-૩૫,૬૮૦, અમદાવાદ જિલ્લામાં-૨૪,૫૯૬, આણંદ જિલ્લામાં-૧૭,૬૭૮ અને વડોદરા જિલ્લામાં-૧૬,૯૧૨ અરજીઓ મળી છે અને આ જિલ્લાઓમાં શહેરી વિસ્તારમાં ૯૯.૯૮ ટકા હકારાત્મક નિકાલ થયો છે.

વ્યક્તિગત નિકાલમાં રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની ૨૩,૨૪૩ અરજીઓ, ૭/૧૨ અને ૮(અ) મેળવવાની ૨,૪૨,૮૪૪ અરજીઓ, આવકના દાખલા મેળવવા ૬૩,૩૩૫ અરજીઓ, હેલ્થ વેલનેસ પ્રમાણપત્ર માટે ૧,૦૨,૫૪૦ અરજીઓ અને મિલકત આકારણીની ૫૦,૫૮૦ અરજીઓ મળી છે, જે પૈકી ૯૯ ટકાથી વધારે અરજીઓના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે.

ખાસ તો કોવિડ-૧૯ મહામારી દરમ્યાન અનાથ બનેલા બાળકોની સહાય મેળવવાની સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૯૧ અરજીઓ મળી હતી. ઉપરાંત વિધવા, વિકલાંગ અને વૃદ્ધોને સહાય માટેની ૬,૮૬૯ અરજીઓ મળી હતી, જે તમામ અરજીઓનો પોઝિટિવ નિકાલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top