Madhya Gujarat

ચરોતરમાં 500 કરોડના ખર્ચે સરદારધામ બનશે

આણંદ : આણંદમાં સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે સરદારધામ ચરોતર એકમ દ્વારા એક શામ સરદાર કે નામ લોકડાયરો અને પાટીદાર મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. બૃહદ ચરોતર એટલે કે ખેડા અને આણંદ જિલ્લામાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વળી ચરોતરમાં પાંચસો કરોડના ખર્ચે હોસ્ટેલ, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ અને બિઝનેસ સેન્ટર સહિત પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે સરદારધામના અતિઆધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં જ ચરોતર સરદારધામ ટીમના આગેવાન એનઆરઆઈ રિકેશ પટેલે પાટીદારો પરીવારજનોના શાબ્દિક સ્વાગત સાથે હાર્ટ ટચિંગ આહવાન કરી કહ્યું હતું કે, હું અહી એક ભિક્ષા માંગવા આવ્યો છે જે તમે મને આપો…એમ જણાવી તેઓએ ‘મને તમારામાં રહેલો ઇગો આપી દો.’ પછી જુઓ ચરોતરનો પાટીદાર વિશ્વ પર રાજ કરશે.આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ચરોતર સંસ્કારોની ભૂમિ છે, સરદારના આદર્શો અહીં જ નિર્માણ થયા.

સરદાર સાહેબ ચરોતરમાં જન્મ્યાં, મોટા થયા અને ચરોતરના વિચારમાંથી વિશ્વ વિખ્યાત વિભૂતિ બન્યા હતાં. તેમના 149મા જન્મ દિવસ નિમિત્તે સંકલ્પ લઉં છું કે, હું ચરોતરનો વતની છું અને હું સરદાર છું. હું કોઇ પણ દ્વેષ અને ઇર્ષા વગર ભાઈ સાથે પગથી પગ મિલવી મનથી મન મિલાવી 500 કરોડના ખર્ચે ચરોતરની ભૂમિ પર પાટીદાર સમાજના કલ્યાણ માટે દિકરા – દિકરીઓની ભવિષ્ય માટે અને સમાજના ઉત્કર્ષ માટે સરદાર ધામ સાથે જોડાઉં છું. સરદારધામ માત્ર પાટીદાર માટેનું ધામ છે. પાટીદાર અમારો ધર્મ છે, નિષ્ઠા સમર્પણ ભાવના અને ઉત્કષ્ટ ભવિષ્ય આપણા સૌનું લક્ષ્ય છે.

આ પ્રસંગે સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, યહુદી સમાજ પાસેથી માત્ર પાટીદાર નહીં સમગ્ર ભારતે શીખવા જેવું છે. કે આપણી દિકરી શોપીંગમાં જતી હોય તો બાજુમાં રિવોલ્વર લટકતી હોવી જોઈએ. સરદારધામની અંદર લાઠીદાવ, તલવાર બાજી શિખવાડવાનું શરૂ કર્યું છે. સ્વરક્ષણ તેનો અધિકાર છે. જે રીતે યહુદીઓ આર્થિક સામ્રાજ્ય ભોગવી રહ્યો છે. 88 લાખ છે, પરંતુ આપણે સવા કરોડ છીએ. યહુદીઓ પોતાના ધંધાના વિકાસ માટે દુનિયા પર છવાઇ જતાં હોય, તેના અને આપણા લોહીના ગુણ મળતાં આવે છે.

તેજસ્વી અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય, પણ પ્રાકૃતિક સમાજનું નિર્માણ થવું જોઈએ. સ્વરક્ષણ માટે થવું જોઈએ. જેમા બિલકુલ અતિશક્યોતિ નથી.સમાજના ઉજજવળ ભવિષ્ય અને યુવાઓ શક્તિના સર્વાંગી વિકાસ માટે આપણે સંકલ્પ લેવો જોઈએ. સમસ્ત પાટીદાર સમાજ દેશ – દુનિયામાં જ્યાં પથરાયેલો છે, તેમાંથી ચુનંદા લોકોની એક થીંક ટેન્ક બનવી જોઈેએ. ચિંતન શીબીર થવી જોઈએ, ટીમની રચના થાય. સમાજનું નેતૃત્વ કરશે. આવી ટીમની રચના થાય તે જરૂરી છે.

કરમસદ ખાતે સૌરાષ્ટ્ર – કડવા પાટીદાર પટેલ સમાજનું ભવન સરદારધામ માટે અપાયું
આ પ્રસંગે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ નહોત તો આજનું આ હિન્દુસ્તાન નહોત. સરદાર વલ્લભભાઈ પટેલ જે માનતા હતા, ચાહતા હતાં, તે જ થયું હોત તો પાકિસ્તાનનો જન્મ પણ ન થયો હોત. કેટલાક લોકો સરદાર વલ્લભભાઈ પટેલ પાસે જઇને કહ્યું કે, પંડીતજી પોતાની આત્મકથા લખાવે છે, બાપુ આત્મકથા લખી રહ્યા છે. તમે પણ આત્મકથા લખવી જોઈએ. ઈતિહાસ લખવો જોઈએ. સરદાર પટેલે કહ્યું કે, ઈતિહાસ લખતો નથી. હું ઇતિહાસ રચું છું. વધુમાં ઉમેર્યું હતું કે, કરમસદ ખાતે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પટેલ સમાજનું ભવન છે. જે એક રૂપિયાના ટોકનના ભાવે સરદાર ધામને વાપરવા આપવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન અધુરૂ છે કે સૌ સમાજ વિકસે. પરંતુ આપણો સમાજ સક્ષમ, સબળ, સમૃદ્ધ સ્વાવલંબી અને તંદુરસ્ત પ્રાકૃતિ સમાજનું નિર્માણ થાય તે માટે સૌના સહકાર માટે સરદારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઇ વ્યક્તિ સરદારધામની વૈચારિક ટોપી પહેરી કોપી કરે તો રાજી થવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિમાં સરદારધામ બનવું જોઈએ. જે આખા ચરોતરની લાગણી છે.

Most Popular

To Top