National

વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા દેશને સમર્પિત, મોરારી બાપુએ કર્યું ઉદ્ઘાટન, 20 કિમી દૂરથી થશે દર્શન

નાથદ્વારા: ભારતના રાજેસ્થાનના (Rajasthan) નામે આજે એક નવો વિક્રમ (New Record) નોંધાવવા જઈ રહ્યો છે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમાનું (Shiva Statue) ઉદ્ઘાટન કરાશે. રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં બનેલી આ શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે.પ્રતિમા બનવા જાય તે પહેલાથી જ તેની ચર્ચાઓ શરુ થઇ ગઈ હતી.આ વિશાળ શિવ પ્રતિમાની ઉંચાઈ 369 ફૂટ છે.વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને ‘વિશ્વ સ્વરૂપ’ નામ આપવામાં આવ્યું છે.પ્રાપ્ત જાણકારી મુજબ વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાના ઉદ્ઘાટન માટે 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમ્યાન ઉદ્ઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. વિશ્વની આ સૌથી ઊંચી શિવ પ્રતિમાને નિર્માણ થવામાં 10 વર્ષનો સમય લાગ્યો છે. આ શિવ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

369 ફૂટ ઊંચી પ્રતિમા 51 વીઘા જમીનમાં સ્થાપિત કરવામાં આવી છે
સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટીઓએ મૂર્તિના અભિષેક માટે આયોજિત કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મહાદેવની પ્રતિમાના અર્પણને લગતા આ યજ્ઞમાં નવ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર આ દરમિયાન મુરારી બાપુની નવ દિવસીય રામ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં સંસ્થાનના ટ્રસ્ટીએ જણાવ્યું કે ભગવાન શિવની આ અદ્ભુત પ્રતિમા ભક્તો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને રાજસ્થાનના પ્રવાસનને નવો આયામ આપશે. નાથદ્વારાના ગણેશ ટેકરી પર બનેલી આ 369 ફૂટ ઊંચી પ્રતિમા 51 વીઘા જમીનમાં સ્થાપિત કરવામાં આવી છે. ધ્યાનની મુદ્રામાં બેઠેલી શિવની આ પ્રતિમા 20 કિલોમીટર દૂરથી દેખાય છે. રાત્રે પણ શિવ પ્રતિમા સ્પષ્ટ દેખાઈ શકે તે માટે તેને ખાસ લાઈટોથી શણગારવામાં આવી છે.

દરરોજ એક લાખ લોકોને પ્રસાદ બનાવવામાં આવશે
દરરોજ 50 થી 60 હજાર ભક્તો ભેગા થવાનો અંદાજ ભગવાન શિવની પ્રતિમાના અર્પણ માટે આયોજિત કાર્યક્રમમાં દરરોજ લગભગ 50 થી 60 હજાર ભક્તો એકઠા થવાની ધારણા છે. જેને જોતા આયોજકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો દાવો કર્યો છે. આ વિસ્તારમાં દિવાળી જેવો નજારો જોવા મળી રહ્યો છે. દરરોજ એક લાખ લોકોને પ્રસાદ બનાવવામાં આવશે આયોજકો પાસેથી મળેલી માહિતી મુજબ દરરોજ એક લાખ લોકો પ્રસાદ ગ્રહણ કરશે. સર્વિસ કાઉન્ટર સુધી સામગ્રી પહોંચાડવા માટે અહીં ઓવરહેડ કન્વેયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પોતે જ અદ્ભુત છે. આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારની મોટાભાગની હોટલોમાં તમામ રૂમ બુક થઈ ગયા છે.

શું છે શિવ પ્રતિમાની વિશેષતા?
ભગવાન શિવની આ 369 ફૂટ ઊંચી પ્રતિમા વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા હશે જ્યાં દર્શન માટે લિફ્ટ અને સીડી, ભક્તો માટે હોલ બનાવવામાં આવ્યા છે જ્યાં એક સાથે 10 હજાર લોકો પ્રવેશ કરી શકે છે. પ્રતિમાની ટોચ સુધી પહોંચવા માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડી બનાવવામાં આવી છે. પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા. પ્રતિમાના નિર્માણમાં 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યુબિક ટન કોંક્રિટ અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાનું નિર્માણ 250 વર્ષની સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ આ પ્રતિમાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. આ પ્રતિમાની ડિઝાઇનનું વિન્ડ ટનલ ટેસ્ટ (ઊંચાઈ પર પવન) ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. તેને વરસાદ અને તડકાથી બચાવવા માટે તેના પર ઝિંક કોટિંગ કર્યા બાદ કોપર કલર કરવામાં આવ્યો છે.

Most Popular

To Top