National

અયોધ્યા રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન, આતંકવાદીઓ આ રીતે ભારત આવશે

નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. આગામી વર્ષ 2024માં રામ મંદિર બનીને તૈયાર થઇ જશે તેવું શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ વચ્ચે રામ મંદિર પર આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. ઉચ્ચ સ્તરીય ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં હાજર આતંકવાદી જૂથો આ વખતે અયોધ્યામાં રામજન્મભૂમિ પર મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, જૈશ-એ-મોહમ્મદ (JeM) અને લશ્કર-એ-તૈયબા (LeT) જ એવા આતંકવાદી સંગઠનો છે જે મુખ્યત્વે રામ મંદિર પર આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે આ આતંકવાદી જૂથો નેપાળ દ્વારા દારૂગોળો અને આત્મઘાતી બોમ્બર લાવવાની પણ યોજના બનાવી રહ્યા છે.

આતંકી સંગઠનોનાં મુખ્ય નિશાનાં પર રામજન્મભૂમિ
ઈન્ટેલિજન્સ સૂત્રોની માહિતી અનુસાર, 2024માં મંદિર તૈયાર થાય તે પહેલા રામજન્મભૂમિ પર હુમલો કરવો હવે આ આતંકી સંગઠનોનું મુખ્ય નિશાન બની ગયું છે. આ આતંકવાદી સંગઠનોનો ઈરાદો આ હુમલાના કાવતરાને અંજામ આપવાનો છે અને સાથે જ તેને એક મોટી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસા તરીકે દુનિયાની સામે રજૂ કરવાનો છે. ગુપ્તચર સૂત્રોનું માનવું છે કે આ મામલે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIની કેટલીક મજબૂરીઓ પણ સામે આવી છે. કલમ 370 ના સફળતાપૂર્વક નાબૂદ કર્યા પછી પાકિસ્તાનની ISI કાશ્મીરમાં હિંસા ભડકાવવામાં સ્પષ્ટપણે નિષ્ફળ રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદીઓની ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવી દીધો છે. તેમની તમામ સુરંગોની ઓળખ કરી લેવામાં આવી છે અને ડ્રગ્સની દાણચોરી પર મોટો અંકુશ લાદવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં આતંકવાદી તત્વો નિષ્ક્રિય
જો ગુપ્તચર સૂત્રોનું માનીએ તો પાકિસ્તાનમાં હાલમાં મોટી સંખ્યામાં આતંકવાદી તત્વો નિષ્ક્રિય બેઠા છે અને તાલિબાન પણ તેમને કોઈ પ્રકારનું સમર્થન નથી આપી રહ્યું. ISI હવે તેની પ્રાસંગિકતા જાળવવા માટે કોઈને કોઈ રીતે ભારતમાં કેટલીક પ્રવૃત્તિઓ હાથ ધરવાનો પ્રયાસ કરી રહી છે. અયોધ્યાનું રામ મંદિર ભારતની બહુમતી જનતા અને ભાજપ સરકાર માટે મોટો મુદ્દો છે. રામ મંદિર પરનો કોઈપણ હુમલો, નાનો કે મોટો, આઈએસઆઈ અને તેની સાથે સંકળાયેલા આતંકવાદીઓને ફરીથી સંબંધિત બનાવશે.

Most Popular

To Top