World

પાકિસ્તાનની રાજનીતિમાં મોટો વળાંક આવ્યો: હુમલા બાદ પણ ISI અધિકારીના સંપર્કમાં હતા ઈમરાન ખાન

નવી દિલ્હી: પાકિસ્તાનની (Pakistan) રાજનીતિમાં મોટો વળાંક આવ્યો છે. હાલમાં જ ઈમરાન ખાનના મોઢેથી આઈએસઆઈના (ISI) મેજર જનરલ ફૈઝલ નસીરનું નામ સામે આવ્યું હતું. ઈમરાન આ અધિકારીને પોતાની વિરુદ્ધના ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ કહે છે, પરંતુ હવે સામે આવ્યું છે કે ઈમરાન આ આઈએસઆઈ ઓફિસરના સંપર્કમાં હતો અને ઈમરાનના ઈશારે તેના લોકો મેજર જનરલ ફૈઝલ નસીર સાથે વારંવાર મુલાકાત કરતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન અને આઈએસઆઈ વચ્ચે એક મોટી ડીલ થવાની હતી જેમાં મેજર જનરલ ફૈઝલની મહત્વની ભૂમિકા હતી, પરંતુ આ ડીલ કોઈ નિષ્કર્ષ પર પહોંચે તે પહેલા ઈમરાનને ગોળી મારી દેવામાં આવી હતી.

શરીફ અને ભુટ્ટો પરિવાર સામે સેનાએ મને સાથ આપવો જોઈએઃ ઈમરાન
મળતી માહિતી મુજબ આ ગોળીએ પાકિસ્તાન અને ઈમરાનની આખી રમત બગાડી દીધી હતી, જેના પછી ઈમરાન મેજર જનરલ ફૈઝલ પર ગુસ્સે થઈ ગયો હતો અને તેના પર હત્યાના ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. કોઈપણ ભોગે સત્તામાં પાછા ફરવા મક્કમ રહેલા ઈમરાન ખાને પાકિસ્તાનીઓના મનમાં ચકચાર મચાવી દીધી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અડધું પાકિસ્તાન ઇમરાનની લોંગ માર્ચના તમાશાથી ઘેરાયેલું છે, જ્યારે બાકીનું અડધું તેના પર પોતાનો જીવ આપવા તૈયાર છે. ઈમરાન પોતે પણ મુંઝવણમાં છે કે તેને શું જોઈએ છે. એક તરફ તે ISI ઓફિસર મેજર જનરલ ફૈઝલ સામે ખુલ્લેઆમ મોરચો ખોલી રહ્યો છે. બીજી તરફ આ અપીલ પર એવી પણ અપીલ કરવામાં આવી રહી છે કે શરીફ અને ભુટ્ટો પરિવારો સામે સેનાએ તેમનો સાથ આપવો જોઈએ.

ઈમરાને ફૈઝલ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે
ઈમરાન પહેલા દિવસથી જ પોતાના પર થયેલા હુમલાને આઈએસઆઈ ઓફિસર ફૈઝલ નસીરનું કાવતરું ગણાવી રહ્યો છે. તેઓ ફૈઝલ નસીર સહિત પાકિસ્તાનના વડા પ્રધાન અને ગૃહ પ્રધાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની જીદ પર અડગ છે. આ માટે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી રહ્યા છે જો કે કોર્ટે તેમની અરજી મિનિટોમાં ફગાવી દીધી હતી. ઈમરાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, “હું જાણું છું કે આ બઘું ફૈઝલનું જ માસ્ટરમાઈન્ડ છે. હું સાડા ત્રણ વર્ષ સુધી વડાપ્રધાન હતો, આ એજન્સી મારા હેઠળ હતી, મને ખબર છે કે આ એજન્સી કેવી રીતે ચાલે છે. મને અંદરથી સમાચાર મળી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ આઈએસઆઈ ઓફિસર ફૈઝલ નસીરને મળવા માટે ઈમરાન ખાને પોતાના દૂતને મોકલ્યા હતા. તેઓ એક નહીં પરંતુ ત્રણ વખત મળ્યા હતા. ISI ઓફિસર ફૈઝલ નસીરને પોતાના જીવનો દુશ્મન ગણાવનાર ઈમરાન 3 નવેમ્બરે પોતાના પર થયેલા હુમલા બાદ પોતે ફૈઝલને મળવાની તૈયારી કરી રહ્યો હતો. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાકિસ્તાની મીડિયામાં આ ખુલાસો બીજા કોઈએ નહીં પણ ઈમરાનના મેસેન્જર મેજર ખુર્રમે કર્યો છે.

Most Popular

To Top