આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 305.03 અંક...
આપણે બધા એક અથવા બીજા સ્વરૂપે ભેદભાવનો શિકાર છીએ, પરંતુ આર્ચી સિંઘ ( aarchi singh ) નો અનુભવ આપણા કરતા ઘણો ખરાબ...
મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો...
ફ્રાન્સના એક પ્રકાશન(FRENCH PUBLICATION)માં દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ (RAFAEL) બનાવનાર ફ્રેન્ચ કંપની દસોને ભારતમાં વચેટિયાને દાનમાં એક મિલિયન યુરો ‘ભેટ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ રવિવારે દેશભરમાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક (review meeting) યોજી...
કોરોનાના સંક્રમણ વચ્ચે નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં આજે એક ગંભીર બેદરકારી સામે આવી હતી. મુસ્લિમ મહિલાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવાયો હતો....
સ્વાતંત્ર્ય સંગ્રામમાં દાંડીયાત્રા એક મહત્વનો પડાવ હતો. ગાંધીજીની દાંડીયાત્રા આમ તો વલસાડ તાલુકાના ધરાસણા સુધી લંબાવાની હતી. પરંતુ ગાંધીજીની ધરપકડ થયા બાદ...
ભારતીય શૂટિંગ ટીમના કોચ રહી ચૂકેલા સંજય ચક્રવર્તીનું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા. તેમણે દેશને કેટલાક શૂટર જેમ...
ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના નવા 93,249 કેસ નોંધાયા છે. જે આ વર્ષે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના...
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ ભયંકર રૂપ ધારણ કરી રહી છે. આગ પર કાબૂ મેળવવા માટે એનડીઆરએફની ટીમો કબજો લેશે. તેમજ કેન્દ્ર સરકાર...
પોલીસે છત્તીસગઢના જંગલમાં આજે વધુ ૨૦ જવાનોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ સાથે ગત રોજ નક્સલવાદીઓ સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સુરક્ષા...
ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ક્રિકેટ જગતમાં (મહિલાઓ અને પુરુષો) સતત 22 વનડે જીત સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઉપરાંત, મેગ લેનિંગ પણ આ...
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ટીમ, જે અત્યાર સુધીમાં ઘણા ટોચના ખેલાડીઓની હાજરી હોવા છતાં પણ ખિતાબથી વંચિત રહી છે, જરૂરી સંતુલન કરીને...
પ્રીમિયર લીગની 14મી સિઝન દર્શકો વિના 9 એપ્રિલથી શરૂ થવા જઇ રહ્યું છે. પરંતુ કોરોનાના વધતાં કેસોને લીધે બીસીસીઆઇની ચિંતા વધી રહી...
સુરત: (Surat) કાપડ માર્કેટમાં (Textile Market) સોમવારથી વેપારીઓ અને મજૂરોને આરટીપીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ અને વેક્સિન લીધો હોય તોજ માર્કેટમાં પ્રવેશ આપવામાં આવશે...
નવસારી: (Navsari) નવસારી જિલ્લો કોરોનાના ભરડામાં છે. આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા. જ્યારે વલસાડ જિલ્લામાં રવિવારે 16 કેસ નોંધાયા હતા....
સુરત: (Surat) શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. શહેરીજનોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તંત્રએ પણ લાલ આંખ કરી છે ત્યારે...
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રવિવારે પ્રધાનોની પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો...
સુરત: (Surat) રાંદેર પોલીસે (Rander Police) બાતમીના આધારે બે સ્નેચરોને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એક તારક મહેતા (Tarak Mehta) સહિત અનેક...
સુરત: (Surat) સુરત મનપાની (Corporation) બજેટની સામાન્ય સભામાં ટેક્સટાઇલ માર્કેટની લીઝ રિન્યુ કરવાનો ઠરાવ રદ કરવા પાણી મીટરનાં બિલ રદ કરવા મુદ્દે...
સ્વ.મોહન ડેલકરના શ્રધ્ધાજંલિના કાયઁક્રમમાં પુતળા દહન કરવા અટકવતાપોલીસ લોકો ઉશ્કેરાતા મામલો બિચક્યો હતો. પોલીસ અને લોકો વચ્ચે ઝપાઝપી થતા મામલો ગરમાયો હતો...
ખેડૂત નેતા રાકેશ ટિકેટનું (Rakesh Tikait) ગુજરાત (Gujarat) આગમન થયું છે. ટિકૈતે ગુજરાતમાં છાપરીથી પ્રવેશ કર્યો છે. જેમાં ખેડૂતોએ હળ આપી તેમનું...
સાપુતારા, નવસારી, ધનોરી નાકા (ગણદેવી) : દ.ગુ.માં વાતાવરણમાં (South Gujarat Atmosphere) ફરી પાછો પલટો આવ્યો છે. વહેલી સવારે ધુમ્મસ છવાતા અને બપોરે...
NEW DELHI : આજે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપના 93 હજાર 249 નવા દર્દીઓ...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ એવી ગંભીર થઈ ગઈ છે કે કોરોનામાં રોજ અનેકના મોત થઈ રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કોરોનામાં...
દેશમાં કોરોનાના કેસોમાં ( CORONA CASE) જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા સરકાર તૈયારી કરી રહી છે કે કોવિડ રસી...
સુરત: (Surat) એકબાજુ સુરતમાં કોરોનાનો હાહાકાર ચરમસીમાએ પહોંચ્યો છે. તો બીજી બાજુ કોરોના સામે લડવા માટે એક માત્ર હથિયારસમાન કોવિડની વેક્સિન (Vaccine)...
સોના (GOLD ) માટે આ અઠવાડિયું ઠીકઠાક રહ્યું. દિલ્હી સરાફા બજારમાં સોનામાં 138 રૂપિયાની નીચી સપાટી સાથે 44113 રૂપિયા સાથે ગુરુવારે 881...
સદીના સુપરસ્ટાર (Bollywood superstar) અને બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ (amitabh bhachchan)...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
આખા વિશ્વને છેલ્લા દોઢેક વર્ષથી ધ્રુજાવી રહેલી કોરોનાની મહામારી ફરી વકરવા માંડી છે. વચ્ચે થોડો સમય કેસ ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા છે. અગાઉ કોરોનાની મહામારીમાં અમેરિકામાં સૌથી વધુ કેસ નોંધાયા હતાં, પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં મામલો ફરી ગયો છે.

જે ભારત બીજા સ્થાને હતું તે કોરોનાના કેસમાં હવે પહેલા સ્થાને આવી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 89 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. જે અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ ઘણા વધારે છે. ભારતમાં જે રીતે કોરોનાથી લોકો સંક્રમિત થઈ રહ્યાં છે તે જોતાં કોરોનાની સ્થિતિ હજુ વધુ ગંભીર થઈ શકે તેમ છે.
જેમાં એપ્રિલ માસમાં હાહાકાર મચી શકે તેમ છે. તમામ નિષ્ણાંતો અને સરવે એવું કહી રહ્યાં છે કે એપ્રિલ માસમાં કોરોનાના કેસ પીક પર હશે અને ત્યારબાદ તેમાં ઘટાડો થતો જોવા મળશે. થોડા સમય પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ એપ્રિલ માસમાં કોરોનાના કેસ વધશે તેવું કહેવામાં આવ્યું હતું. બાદમાં હવે સરવે પણ એવું કહી રહ્યાં હોવાથી લોકોએ એપ્રિલ માસમાં કોરોના મામલે ભારે સાવચેતી રાખવાની જરૂરીયાત છે.
કોરોનાના કેસ મામલે તાજેતરમાં IIT કાનપુર દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોરોનાની બીજી લહેરની પીક એપ્રિલના મધ્યભાગમાં આવશે. એપ્રિલના મધ્યભાગ સુધીમાં કોરોનાના કેસ સૌથી વધુ હશે.
જ્યારે કોરોનાની ગત વખતે પહેલી લહેર આવી તે વખતે IIT કાનપુરના વૈજ્ઞાનિકો દ્વારા ગણિતીય મોડેલ સૂત્રનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આધારે પહેલી લહેર વખતે એવું અનુમાન કરવામાં આવ્યું કે, ઓગષ્ટ-2020માં કોરોનાના કેસ વધશે અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ થશે. ત્યારબાદ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ઘટી જશે.
આ અનુમાન સાચું પડ્યું હતું. જેને પગલે આજ ગણિતીય સૂત્ર દ્વારા આ વખતે પણ એવું અનુમાન કરવામાં આવ્યું છે કે કોરોનાના કેસ એપ્રિલના મધ્ય સુધીમાં વધશે અને ત્યારબાદ ઘટશે. આ અનુમાન પ્રમાણે, સૌથી પહેલા પંજાબ અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં કેસ ઘટવા લાગશે. હાલમાં આ બંને રાજ્યો કોરોનામાં સૌથી વધુ ગ્રસ્ત છે. આ બંને રાજ્યોમાં કોરોનાના કેસ વધશે અને બાદમાં ઘટશે.
હજુ એપ્રિલની શરૂઆત જ છે અને તા.3જી એપ્રિલના રોજ કોરોનાના જે કેસ મળ્યાં છે. તે અગાઉના સૌથી વધુ કેસ કરતાં માત્ર 9000 કેસ જ ઓછા છે. અગાઉ તા.16 સપ્ટેમ્બરના રોજ સૌથી વધારે 97,860 દર્દી મળ્યા હતા. આ સૌથી વધુ કેસ બાદ કોરોનાના કેસ ઘટવાની શરૂઆત થઈ હતી.
હાલમાં ભારત દેશમાં સવા કરોડ લોકોનો કોરોના થઈ ચૂક્યો છે. જે પૈકી 1.15 લાખ લોકો સાજા પણ થઈ ગયા છે. જ્યારે 1.64 લાખ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો હતો. અન્યોની હાલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાનો પીક આવવાની હજુ વાર છે. જેથી દેશમાં કોરોનાના કેસ વધવાની સંભાવના છે. સંભવત: રોજના એક લાખનો આંક પણ કોરોનામાં પહોંચશે.
જો કોરોનાથી બચવું હોય તો લોકોએ આ એપ્રિલ માસને સાવચેતીપૂર્વક પસાર કરી દેવો પડશે. હાલમાં કોરોનાનું મોટાપાયે ટેસ્ટિંગ ચાલી રહ્યું છે ત્યારે ટેસ્ટિંગ કરાવી કોરોનાની સારવાર ઝડપથી કરાવી લેવી જરૂરી છે. આ ઉપરાંત વેક્સિનેશન ડ્રાઈવમાં પણ ભાગ લઈ વેક્સિન લગાડાવી લઈ કોરોનાની ભયાનકતા ઘટાડી શકાશે. સરકાર દ્વારા પહેલા 60થી વધુ, બાદમાં 45થી વધુ તમામને હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે.
લોકોએ સૌથી વધુ આ વેક્સિનેશનનો લાભ લેવો જોઈએ. જો વેક્સિનેશનનો લાભ લેવામાં આવશે તો કોરોનાથી બચી શકાશે. કોરોના થાય તેની સારવાર કરી શકાય છે પરંતુ કોરોનાની ભયાનકતાથી બચવું જરૂરી છે. લોકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખે તે જરૂરી છે.