ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં (Lakhmipur Khiri) હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત યોગી સરકારને (UP Government) ફટકાર લગાવી છે . આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે...
ભારતની વન્ય જીવન સંસ્થા ‘WWI’ એ ગંગા નદીના મુખ્ય પ્રવાહની બીજી મોજણીમાં જણાવ્યું છે કે આ નદીનો 49% હિસ્સો ઊંચું જૈવવૈવિધ્ય ધરાવે...
અમેરિકાની ટેંપલટન ફાઉન્ડેશન દ્વારા આધ્યાત્મિક ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન આપવા બદલ ટેંપલટન પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારના જ્યૂરી પેનલમાં હિંદુ, ઇસાઇ, યહૂદી,...
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Shah Rukh Son Aryan Khan ) આજે 20 ઓક્ટોબરને બુધવારના રોજ ડ્રગ્સ કેસમાં (Drugs Case...
ઇ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા ત્યારે પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લા દેશ) માં હિન્દુઓની વસતિ ૨૮ ટકા હતી તો ભારતમાં મુસ્લિમોની વસતિ ૯.૮...
દાહોદ: એસ.ટી. વિભાગના કર્મચારીઓની ૨૦ મુખ્ય માંગણીઓનો નિકાલ નહીં આવતાં આગામી તારીખ ૨૦મી ઓક્ટોમ્બર ૨૦૨૧ના મધ્યરાત્રીનાથી એક દિવસની માસ સી.એલ. તેમજ તેમ...
ફતેપુરા: ફતેપુરા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીના ગુનેગારોને ડિટેક્ટ કરી ગુનેગારોને ઝડપી પાડયા હતા. ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓ દ્વારા આપેલા...
નડિયાદ: કઠલાલ અને મહેમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. જોકે, હવે બુટલેગરો બેખોફ બની ગયા હોય તેમ પોલીસથી...
આણંદ : ખંભાત, પેટલાદ અને તારાપુર પંથકમાં છેલ્લા કેટલાક મહિનાથી વિવિધ મશીનરીની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો હતો. આ ગેંગ કોઇ...
સોમવારથી શરૂ થયેલા એકધારા વરસાદે ઉત્તરાખંડ (Uttarakhand Flood) રાજ્યના વિવિધ ભાગોને ધમરોળવાનું આજે પણ ચાલુ જ રાખતા, ખાસ કરીને કુમાઉ પ્રદેશમાંથી ભારે...
વડોદરા: વડોદરા શહેરમાં બસની સેવા પૂરી પાડતી વિનાયક એજન્સી દ્વારા શરત ભંગ કરી ઓછી બસો દોડાવતા પાલિકાએ એજન્સીને રૂ, 4 લાખના...
વડોદરા : છેલ્લાં કેટલાક વર્ષોથી રજુઆત છતાં પણ સરકાર દ્વારા માંગણી સંદર્ભે યોગ્ય નિર્ણય નહીં લેવાતા એસટી કર્મચારીઓએ એસટી ડેપો ખાતે દેખાવો...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના કહેવાતા સ્માર્ટ શાસકો અને અધિકારીઓ પૂર આવ્યા પછી જ પાળ બાંધવા ટેવાયેલા હોવાની વધુ એક નમૂનારૂપ હકીકત...
વડોદરા : મહાનગરપાલિકાએ બે મહિનામાં પાંચ ઓપન હાઉસમાં રજા ચિઠ્ઠીની 74 ફાઇલનો નિકાલ કરી. પાલિકાને ૭૪ કરોડની આવક થઇ છે. ઇન હાઉસમાં...
વડોદરા: વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામના એક ખેતરમાં આવેલા 12 ફૂટના મહાકાય મગરને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો...
વડોદરા: મૃતક ભાઇની લાખો રૂપિયા મિલ્કત તેના વારસદારોને પાસેથી પચાવી પાડવા સાસરીયાઓએ પરીણીતા અને તેના બંને પુત્રોને વારંવાર ધાકધમકી આપી મિલ્કતના કાગળ...
વડોદરા: વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગાયત્રીપુરામાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે વારંવાર રજૂઆતો પછી પણ પાલિકાના અધિકારીઓ અને કુંભકર્ણ નિદ્રામાં...
સુરત: સુરતી દેશી મીઠાઈની રેસિપી ગણાતી સુરતી ઘારીની (Surti Ghari) શોધને 183 વર્ષ પૂર્ણ થયાં છે. શહેરનાં સોની ફળિયા દેવશંકર ઘારીવાળાના ખાંચા...
સમાચાર છે કે વ્યાપક વરસાદનેક ારણે કોલસાની ભારે અછતને કારણે ઘણા રાજયોમાં વીજ કટોકટી ઉભી થિ છે તેનું સાચું ચિત્રણ 11.10.21 ‘ગુજરાતમિત્ર’ના...
આજકાલ વર્તમાનપત્રમાં વાંચીએ છીએ કે મહિલાઓનો થતો બળાત્કાર, હત્યા અને યૌન શોષણ વધતા જાય છે. આથી સરકાર તેમજ સમાજ માટે દેશમાં મહિલાઓની...
રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને દ્વી ચક્રી વાહનો પર ત્રણ સવારી એ સુરતમાં જોવા મળતી એક અતિસામાન્ય રોજીંદી ઘટના (બીના) છે જેને સુરતની...
હાલમાં જ એક નાના પણ ગુજરાતને આનંદ અને ગૌરવ અપાવે તેવા સમાચાર વાંચવા મળ્યા. રાજકરણ વિશે લોકોની વર્ષો જૂની માન્યતાઓ અને ધારણાઓનો...
તમે ક્યાંય એવું સાંભળ્યું છે…? કે દિકરાના જન્મની વધામણીમાં એવું બોલ્યું હોય કે અમારે ત્યાં વિષ્ણુ પધાર્યા…! તમે ક્યાંય એવું સાંભળ્યું છે..?...
એક લોકપ્રિય મરાઠી નવલકથાકાર શ્રી ખાંડેકર તેમની એકરસ નવલકથામાં રાજા રાણીનો સંવાદ સરસ સંદેશ આપે છે નવલકથામાં કોઈ દુઃખના ભાર નીચે દબાયેલા...
ઉત્તરાખંડમાં (Uttarakhand Flood) છેલ્લા બે દિવસ દરમ્યાન આભ ફાટવાની ઘટનાને પગલે 24 લોકોનો મોત થયા છે, જ્યારે ખાસ કરીને ચાર ધામની યાત્રાએ...
કોંગ્રેસ કારોબારીની તા. 16મી ઓકટોબરની બેઠકથી રાજી થનાર જો કોઇ લોકો હોય તો તે સોનિયા ગાંધી અને તેમના પરિવારની નિકટના લોકો જ...
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં એક પિતાના પોતાના જીવ કરતા વ્હાલા બાળકને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળા પાસે છોડીને જતો રહે છે, જો કે પોલીસની...
આ વર્ષે ફરી એક વાર ભૂખમરા અંગેના વૈશ્વિક સૂચકઆંકમાં ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઇ છે. ભારત આ ઇન્ડેક્સમાં ખૂબ પાછળના સ્થાને...
રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વલસાડમાં 5 કેસ નોંધાયા છે. બીજી બાજુ કોરોનાના 26 દર્દીઓ સાજા...
રાજ્યની પ્રજાને સરકારની યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહે તે માટે સ્થાનિક લોકોની રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા...
અકોટા વિસ્તારમાં રહેણાક મકાનમાં પીસીબીની રેડ
સૂરસાગરના કાંઠે ઓસમાન મીરની ભજન સંધ્યા અને કીર્તિ મંદિરમાં તસવીર પ્રદર્શન થશે
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈ એકશન પ્લાન જાહેર
સ્માર્ટ મીટર પખવાડિયા અંતર્ગત વીજ ગ્રાહકોને મીટરના ફાયદા અંગે માહિતગાર કરાયા
ટુંડેલના વખતપુરામાં ડી.જે.ના ઘોંઘાટ વચ્ચે યુવકનું જાહેરમાં નિર્લજ્જ પ્રદર્શન: વીડિયો વાયરલ
ફોરેક્સ ટ્રેડિંગના નામે આસિસ્ટન્ટ મેનેજર સાથે ₹19.86 લાખની ઠગાઈ
ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં ગયેલા રાજપાલ યાદવની વહારે સોનૂ સૂદ પછી હવે સલમાન ખાન, વરુણ ધવન અને અજય દેવગન પણ આવ્યા સપોર્ટમાં
ડભોઈમાં ગંદકી ફેલાવતા દર્શન હોટલના કર્મચારીઓ રંગેહાથ ઝડપાયા
પહેલા રોહિત શેટ્ટી હવે રણવીર સિંઘ, શું આ બિશ્નોઈ ગેંગ કરી રહી છે? સિંઘને વોટ્સઅપ વોઇસ મેસેજ પર મળી ધમકી
ગોત્રીના શિવાલય હાઇટ્સ માં ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય, નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા રહીશો મજબૂર
વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2026-27 ના બજેટ પર મહોર મારવા 17 ફેબ્રુઆરીના રોજ મળશે સામાન્ય સભા
વડોદરામાં વિકાસનો ફિયાસ્કો, જેલ રોડ પર પાલિકાએ પ્રજાના સુખ-ચેનનું ‘ખોદકામ’ કર્યું
કારેલીબાગની સાધના નગર સોસાયટીના બંધ મકાનમાં આગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે AAP ને ઝાટકો: કિસાનસેલના અધ્યક્ષ રાજુ કરપડાએ રાજીનામુ ધરી દીધું!
T20 વર્લ્ડ કપમાં નામીબિયા સામે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફાર, અભિષેક શર્મા બહાર, બુમરાહ અને સંજુ સેમસનને તક
“અમેરિકાએ આપણો ઉપયોગ ટોઇલેટ પેપરની જેમ કર્યો!” પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફ ખ્વાજા આ શું બોલી ગયા?
H-1B વીઝા બંધ કરવાનું બિલ અમેરિકી સંસદમાં રજૂ! ભારતીયોને લાગશે મોટો ઝટકો
ઉનમાં રખડતા શ્વાનોનો આતંક, 2 વર્ષની બાળકી પર હુમલો,CCTVમાં કેદ દ્રશ્યો જોઈ કંપી ઉઠ્યું શહેર
બોર્ડના વિદ્યાર્થીઓ આ વર્ષે બૂટ-મોજાં પહેરી પરીક્ષા આપી શકશે
બીસીએની ચૂંટણી પૂર્વે રોયલ-સત્યમેવ જયતે જૂથની બેઠક
વરાછામાં 24 કલાકમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,16.40 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સુપરત
વડોદરામાં “શિવજી કી સવારી”માં ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત
વાસદ મહીસાગર નદી પટમાં ગેરકાયદેસર રેતી ખનન સામે જિલ્લા વહીવટ તંત્રની આકસ્મિક રેડ, રૂ. 4.32 કરોડનો માલ મુદ્દામાલ જપ્ત
વડોદરા: VMC માં ખાલી પડેલી ઉચ્ચ કક્ષાની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા તેજ બની
કાલોલના ઘોડા ગામે ખેતરમાં દવા છાંટતા યુવકનું વીજ કરંટથી કરુણ મોત
દેરાસરમાંથી ભગવાનના મુગટ અને દાનપેટીની ચોરી, ₹1.30 લાખનો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર
પઢીયાર નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચારની ગંધ
સુરતના રાંદેરમાં અનોખો તસ્કર ત્રાટક્યો!સોના-ચાંદી નહીં,બ્રાન્ડેડ બૂટ પર નજર
દેવગઢ બારીયા સબ જેલમાંથી ફરાર પોકસો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
છાણી કેનાલ રોડ પર બુટલેગરે મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ ફેંકી
ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં (Lakhmipur Khiri) હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત યોગી સરકારને (UP Government) ફટકાર લગાવી છે . આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેને જણાવ્યું હતું કે, કોર્ટ મોડી રાત સુધી સ્ટેટસ રિપોર્ટ દાખલ થવાની રાહ જોતી હતી પરંતુ એવું થયું નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમને હવે સ્ટેટસ રિપોર્ટ મળ્યો છે. કોર્ટે સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખવાની યુપી સરકારની માંગને પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે યુપી સરકાર પોતાનું કામ કરવાનું ટાળી રહી છે. કોર્ટે લખીમપુર ખેરી હત્યા કેસની આગામી સુનાવણી 26 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.
અમને લાગે છે કે તમે તમારી જવાબદારી ટાળી રહ્યા છો. એવું ન કરો. સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારને ઠપકો આપતા આ વાત કહી હતી. આ સાથે કોર્ટે યુપી સરકારને આ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેણે કુલ 44 સાક્ષીઓમાંથી 4 ના નિવેદન નોંધ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે યુપી સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટ અંગે આ કહ્યું.
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવામાં આવ્યો છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે અમે મોડી રાત સુધી રિપોર્ટ દાખલ થવાની રાહ જોતા હતા પરંતુ હવે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. CJI એ કહ્યું કે, ‘જો આટલો મોડો રિપોર્ટ રજૂ કરશો તો અમે તેને કેવી રીતે વાંચીશું? ઓછામાં ઓછા એક દિવસ અગાઉથી ફાઇલ કરવી આવશ્યક છે. આ અંગે યુપી સરકારે કોર્ટ પાસેથી શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે યુપી સરકારે હજુ સુધી આ મામલે વધુ લોકોની પૂછપરછ કેમ નથી કરી. CJIએ કહ્યું કે, તમે અત્યાર સુધીમાં 164 માંથી 44 સાક્ષીઓની તપાસ કરી છે, અને લોકો કેમ નથી. જોકે, સાલ્વેએ જવાબ આપ્યો હતો કે પ્રક્રિયા ચાલુ છે અને તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
યુપી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધીમાં 10 લોકોને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે. લખીમપુરમાં પ્રદર્શનકારીઓના ટોળા દ્વારા ભાજપના બે કાર્યકરો અને એક કાર ચાલકને માર મારવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રાનો સમાવેશ થાય છે.
3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને વાહન દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ પછી, હિંસામાં એક પત્રકાર સહિત ચાર અન્ય લોકો પણ માર્યા ગયા હતા. આ કેસમાં કુલ આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ખેડૂત સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, જે વાહનમાં ખેડૂતોને કચડી નાખવામાં આવ્યા હતા તે પણ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા હતા. જોકે કેન્દ્રીય મંત્રીએ આ આરોપોને નકાર્યા હતા પરંતુ આશિષ મિશ્રાની ધરપકડ આ કેસમાં લગભગ એક સપ્તાહ બાદ થઈ હતી.