Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 6, વડોદરા મનપામાં 3, નવસારી, રાજકોટ મનપામાં 2-2, જામનગર, વલસાડ, રાજકોટ ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં રાજ્યમાં કોરોનાના કુલ 149 એક્ટિવ કેસ છે, જેમાં 03 વેન્ટિલેટર પર અને 146 દર્દીઓ સ્ટેબલ છે.

શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 5,05,671 વ્યકિતઓને રસી આપવામાં આવી

રાજ્યમાં આજે 18-45 વર્ષ સુધીના 1,83,155ને પ્રથમ અને 1,87,896 બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 13 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કર પ્રથમ જ્યારે 2569ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 66,282ને પ્રથમ 65,756ને બીજો મળી આજે કુલ 5,05,671 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,93,80,142 વ્યકિતઓને રસી આપવામાં આવી છે.

To Top