Top News

More Posts

   The Latest

Most Popular

માનવસમાજની મહત્ત્વની શોધ એટલે લોકતંત્ર અને માનવ અધિકાર રક્ષણ. ઉપરાંત સ્ત્રી માન સન્માન અધિકાર પણ લાગે છે કે આપણે ત્યાં માનવતા પુરી થતી જાય છે. એક વાત સ્પષ્ટ છે કે માનવતા નહીં હોય તો ધર્મનું અસ્તિત્વ પણ દેશમાં એક મોટો કોયડો બની જશે. જેને ધર્મ સાથે લેવાદેવા નહીં હોય તેને લોકતંત્ર શું અને માનવ અધિકાર શું? બધું શૂન્ય! જુઠા મનુષ્ય હવે જોરજોરમાં બોલીને જૂઠને સાચું કરવામાં પડયા છે. સાચો માનવ પોતાને સાબિત કરવામાં ફાંફા મારે છે. ત્યાં સુધી ધર્મના નામના, સત્તાના નામના ભાગલા છે ત્યાં સુધી આપણે આદર્શ દેશ સાબિત નહીં કરી શકીશું. નકસલવાદી, માઓવાદી, જેહાદી, આતંકવાદીને પહેલાં ખલાસ કરો, દેશનું આંતરિક બળ મજબૂત થશે એટલે દેશ આપોઆપ આગળ વધશે.
સુરત     – તૃષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

To Top