નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ચાલી રહેલા આંતરિક ફેરફારો વચ્ચે ભારતીય ટીમ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે....
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) આ વખતે વરસાદે (Rain) તમામ રેકોર્ડ (Record) તોડી નાખ્યા છે. આ વખતે જે વરસાદ અહીં આવ્યો છે...
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ(Alia Bhatt) અને રણબીર કપૂર(Ranbir Kapoor)નાં ઘરે પારણું બાંધવા જઈ રહ્યું છે. નાના મહેમાનથી ઘરે ગુંજી ઉઠશે. હાલમાં...
નવી દિલ્હી: દિવાળીના (Diwali) તહેવાર પહેલા ખાનગી બેંક કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) અને ફેડરલ બેંક (Fedral Bank) સહિત દેશની સૌથી...
વડોદરા: વાસણા રોડ પર દંપતીની રિવોલ્વરની અણીએ બંધક બનાવી 41 તોલા સોનાની સનસનાભરી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક પોલીસને ઝડપી પાડ્યો...
વડોદરા: વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ટ્રેક્ટરની અડફેટે સાઇકલ સવાર વિદ્યાર્થિની આવી જતા માથા સહિત શરીરના અન્યભાગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત...
વડોદરા: વડોદરા સંસ્કારી નગરી વડોદરાએ ગાયકવાડ સરકારની દેન છે.પરંતુ તેમના આ ઐતિહાસિક વારસાને જાળવવા માટે પાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે અને...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને નવા પ્રમુખ મળ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની (Saurav Ganguly) વિદાય થઈ છે....
દાહોદ: દાહોદમાંથી પસાર થતાં જેકોટ – રેટીયા – બોરડી રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે અલગ અલગ સમયે એક મહિલા અને એક પુરૂષ...
ગરબાડા: ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે કામોના બીલો બાબતે આત્મવિલોપન કરવા આવેલ વડવા ગામના સરપંચના પતિની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી....
પેટલાદ : આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા બોરસદ અને પેટલાદ શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર જાહેરનામું સરકાર...
આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ બનેલી હોટલ બ્લ્યુ આઈવી ફરી ચર્ચામાં આવી છે. હોટલનું બાંધકામ નિયમ મુજબ ન હોવાથી...
નડિયાદ: પ્રદૂષણ મામલે ફરી એકવાર નડિયાદ નગરપાલિકા તંત્ર ભીંસમાં મુકાયુ છે. મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારે સંકલન સમિતિની બેઠકમાં નડિયાદ પ્રશાસનના ડમ્પિંગ સાઈટે...
કોરોનામાં પણ ઘણાં લોકોનાં અકાળ મૃત્યુ થયાં છે…. પોતાનું અને કુટુંબનું જીવન બચાવવા એક દીવો પ્રગટાવજો!પ્રકાશ અને ઉલ્લાસનું મહાપર્વ દીપાવલી આવે છે....
શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું: આજથી મીઠાને સૌ ‘સબરસ’ તરીકે ઓળખશે અને મીઠું શુકનવંતુ ગણાશે! સબરસ…….. સબરસનો અર્થ:- મીઠું, નમક (ગુજરાતમાં દિવાળીની પાછલી રાતે...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડ(Uttarakhand)નાં કેદારનાથ(Kedarnath)માં એક હેલિકોપ્ટર(Helicopter) ક્રેશ(Crash) થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ છ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે....
સુરત: (Surat) સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યો છે, ત્યારે આ શહેરની એક મોટી સમસ્યા વ્યાજખોરીની છે. નાના, ગરીબ...
વાઘ/વાગ્બારસ- તા. 21.10.2022 આસો વદ, 11/12 ને શુક્રવાર – રમા એકાદશી તથા વાઘ/વાગ્ બારસ. -(સાંજે 17.22 સુધી એકાદશી તિથિ રહેશે ત્યાર બાદ...
સુરત: સુરતમાં (Surat) ડ્રેનેજની (Drainage) સફાઈ દરમિયાન મોટી દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. SVNIT કોલેજ નજીક ડ્રેનેજની સફાઈ કામગીરી દરમિયાન ત્રણ...
પ્રાકૃતિક સૌંદર્યના ધામસમા વલસાડમાં આવેલું ધરમપુર ઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે. તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં દૃષ્ટિગોચર થાય છે. ધરમપુર...
નવી દિલ્હી: રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે યુદ્ધ (War) હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા યુક્રેન...
ગાંધીનગર: ગુજરાત(Gujarat)માં આગામી વિધાનસભા(Assembly)ની ચૂંટણી(Election)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન હવે ગુજરાતના એક હજારથી વધુ કોર્પોરેટ હાઉસે(Corporate House) ચૂંટણી પંચ(Election Commission)...
ગીત સંગીત આપણો સાંસ્કૃતિક વારસો છે. આધુનિક વિજ્ઞાન પણ ગીત-સંગીતને રોગ નિવારક ગણે છે. ગીતસંગીતને ભાષાની કોઈ મર્યાદા નડતી નથી. મહાસાગરના જલતરંગોની...
સુરત: (Surat) સુરતના અમરોલી (Amroli) છાપરાભાઠા વિસ્તારમાં સ્કૂલની સામે એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતું કૂટણખાનું (Prostitution) પોલીસે (Police) ઝડપી પાડ્યું છે. અહીં એક મહિલા...
આમ જોવા જઈએ તો ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગને વિલ’ બનાવવાની જરૂરીયાત હોતી નથી. કોઈપણ વ્યકિતના જીવનકાળ દરમ્યાન પોતે ઊભી કરેલી આર્થિક મૂડી...
ટોકિયો(Tokyo): કિમ જોંગ(Kim Jong-un)ના મિસાઈલ પરીક્ષણ વચ્ચે જાપાને (Japan) હવે ઉત્તર કોરિયા (North Korea) પર નવા પ્રતિબંધો(Restrictions) લાદવાનો નિર્ણય લીધો છે. મુખ્ય...
નવી દિલ્હી: આ વર્ષે ધનતેરસ (Dhanters) -દિવાળી (Diwali) પહેલા, ખરીદી અને રોકાણનો ખૂબ જ શુભ સંયોગ આજે, 18 ઓક્ટોબર, 2022, મંગળવારના રોજ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારીમાં છે. પાંચ વર્ષમાં પ્રધાનમંત્રીએ ગુજરાતની જેટલી ચિંતા કરી નથી એટલી ચિંતા કરી (આપણે ખર્ચે) વારંવાર ગુજરાતની...
એક સજ્જન હંમેશા ખુશ રહે , એક્ટીવ રહે, કામ કરે.બીજાને મદદ કરે અને કોલોનીનાં બાળકોને ભેગાં કરી ધમાલ પણ કરાવે.ક્યારેય થાકેલા દેખાય...
હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.! હથેળી વામણી પડી જાય ને આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ચાલી રહેલા આંતરિક ફેરફારો વચ્ચે ભારતીય ટીમ સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે. BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારત 2023માં એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. અગાઉ એવી અટકળો હતી કે ટીમ ઈન્ડિયા આ શ્રેણી માટે પાકિસ્તાન જઈ શકે છે. મંગળવારે બીસીસીઆઈની એજીએમમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આમાંથી એક મુદ્દો એશિયા કપ 2023નો(Asia Cup 2023) હતો. જય શાહ બીસીસીઆઈના સચિવ તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ છે.
AGMમાં જય શાહે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન રમવા જશે નહિ. વર્ષ 2023માં પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપનું સ્થળ બદલીને કોઈ ન્યૂટ્રલ વેન્યુ પર આયોજન કરવામાં આવે તેવો વિચાર છે. બન્ને દેશ વચ્ચે રાજકીય ટેન્શનને કારણે આ નિર્ણય લીધો હોવાનું જય શાહે જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે, એટલે હવેનો એશિયા કપ પણ વન-ડેના ફોર્મેટમાં જ રમાડાશે. જોકે આ ટૂર્નામેન્ટની તારીખ હજુ સુધી નક્કી નથી થઈ. ટૂર્નામેન્ટ કદાચ જૂન અથવા તો સપ્ટેમ્બરમાં રમાઈ શકે છે. આ અગાઉ ચાલુ વર્ષ 2022નો એશિયા કપ T20 વર્લ્ડ કપ પહેલા સમાપ્ત થઈ ગયો છે, જ્યાં શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. આ એશિયા કપ UAE માં યોજાયો હતો, તે પહેલા શ્રીલંકામાં યોજાવાનો હતો પરંતુ ખરાબ પરિસ્થિતિને કારણે તેને UAE શિફ્ટ કરવો પડ્યો હતો.
પાકિસ્તાન બોર્ડને થશે મોટું નુકસાન
જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન (Pakistan) ન જવાનો નિર્ણય લે છે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે તે મોટો ઝટકો હશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અહીં યજમાન તરીકે ઘણું કમાઈ શક્યું હોત, પરંતુ હવે તે તેમના માટે ખોટ સમાન હશે. કારણ કે જો ટીમ ઈન્ડિયા પીછેહઠ કરશે તો સ્થળ બદલવું પડશે.
છેલ્લે 14 વર્ષે પહેલાં ભારતની ટીમ પાકિસ્તાનમાં રમવા ગઈ હતી
ભારતીય ક્રિકેટ ટીમ 14 વર્ષથી પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા ગઈ નથી. ભારતીય ટીમ છેલ્લે 2008માં પાકિસ્તાનમાં રમી હતી. ત્યાર બાદ બન્ને ટીમ ICC અને ACC ઇવેન્ટ્સમાં જ એકબીજા સામે રમે છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લી બાઈલેટરલ સિરીઝ 2012-13માં રમાઈ હતી. ત્યારે પાકિસ્તાન ભારત રમવા આવ્યું હતું. છેલ્લી મેચની વાત કરીએ તો બન્ને ટીમ છેલ્લે 4 સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપમાં આમને-સામને ટકરાઈ હતી.
એશિયા કપ 2022નું ચેમ્પિયન શ્રીલંકા
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 મેચ રમાઈ હતી, જેમાં એકમાં ભારત અને એક પાકિસ્તાને જીતી હતી. જોકે, બાદમાં બંનેમાંથી કોઈ એશિયા કપ જીતી શક્યું ન હતું અને શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું. આ વખતે એશિયા કપ 20-20 ફોર્મેટમાં રમાયો હતો. જો BCCIની AGMની વાત કરીએ તો આ મહત્વની બેઠકમાં બોર્ડ માટે નવા પ્રમુખ મેળવવા સહિત ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. રોજર બિન્ની હવે સૌરવ ગાંગુલીના સ્થાને BCCIના નવા પ્રમુખ બન્યા છે. રાજીવ શુક્લા ઉપપ્રમુખ, જય શાહ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી દેવજીત સાયકિયા, ટ્રેઝરર આશિષ શેલાર બન્યા છે.