National

OYOનાં ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતાનું 20માં માળેથી પટકાતા કમકમાટી ભર્યું મોત

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચર્ચિત ઓયો (OYO) રુમના ફાઉન્ડર રીતેશ અગ્રવાલના પિતાનું શુક્રવારના રોજ મોત (Death) થઈ ગયું છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે એક ઉંચી ઈમારત પરથી પડી જવાના કારણે તેઓનું મોત થયું હતું. રિતેશ અગ્રવાલે જ તેઓના પિતાના મોત અંગેની પુષ્ટિ કરી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી કે પોલીસને આ ધટના અંગેની જાણકારી લગભગ બપોરે 1 વાગ્યાના અરસામાં મળી હતી. પોલીસ ધટના સ્થળે પહોંચી ત્યારે રમેશ અગ્રવાલનું 20માં માળેથી પટકાતા મૃત્યુ થઈ ગયું હતું. તેઓ દિલ્હીની DLF ક્રિસ્ટા સોસાઈટીમાં રહેતા હતા. તેઓ પોતાના ઘરની બાલ્કનીમાંથી પટકાયા હતા અને 20માં માળેથી નીચે પટકાતા તેઓનું મૃત્યુ થઈ ગયું હતું. જે સમયે તેઓ બાલ્કનીમાંથી નીચે પટકાયા તે સમયે તેઓના ઘરમાં રિતેશ અગ્રવાલ, તેની પત્ની અને રમેશ અગ્રવાલની પત્ની હાજર હતા. સેક્ટર-53ના એસએચઓ સાથેની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં મૃતકના પુત્ર આશિષ અગ્રવાલના નિવેદન બાદ સીઆરપીસીની કલમ 174 હેઠળ તપાસ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે.

રિતેશ અગ્રવાલે 7 માર્ચે 29 વર્ષીય ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા
રિતેશ અગ્રવાલે 7 માર્ચે 29 વર્ષીય ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા હતા. તેમણે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપી હતી, જેમાં દેશ અને દુનિયાની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. પેટીએમના સીઈઓ વિજય શેખરથી લઈને સોફ્ટબેંકના ચીફ માસાયોશી પુત્ર પણ રિસેપ્શનમાં સામેલ થયા હતા. રિતેશ અગ્રવાલ દેશના સૌથી યુવા અબજપતિઓમાંના એક છે. તેણે વર્ષ 2013માં ઓયો રૂમ્સની શરૂઆત કરી હતી.

OYO રૂમ્સએ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી હોટેલ ચેઇન
OYO રૂમ્સએ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી હોટેલ ચેઇન છે. કંપનીના નેટવર્કની વાત કરીએ તો તે 35 થી વધુ દેશોમાં 1.5 લાખથી વધુ હોટલ સાથે કામ કરી રહી છે. OYO લોકોને તેમની મનપસંદ હોટેલને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે પોસાય તેવા ભાવે બુક કરવાની મંજૂરી આપે છે.

Most Popular

To Top