Charchapatra

લોન અને આપઘાત

આજકાલ આપઘાતના કિસ્સાઓ વધી ગયા છે. એનું એક કારણ ‘‘લોન’’ કે સામાજીક પ્રસંગ માટે ‘લોન’ મળે છે. આથી લોકો લોન ભરપાઈ કરવાની તાકાત ન હોય તો પણ લોન લઈને વસ્તુ લે છે. આવક ઓછી હોવાથી આ લોન તેવો ભરપાઈ નથી કરી શકતા પરીણામે તેવો ‘આપઘાત’ નો માર્ગ લે છે.

મનુષ્ય એની જેટલી આવક હોય એમાં જ જીવતો થઈ જાય તો આવી પરિસ્થિતી ન આવે. કોઈ વ્યકિતએ લોન લીધી હોય અને ઘરમાં એજ કમાનાર હોય અને અધવચ્ચે જ એનું મૃત્યુ થાય તો એના કુટુંબીજનો માટે લોન ભરપાઈ કરવાનું મુશ્કેલ બની જાય છે. સાચે જ ‘લોન’ વ્યકિતને દેવાદાર બનાવી આપઘાતને માર્ગે લઈ જાય છે.

સુરત     – ઉપેન્દ્ર કે. વૈષ્ણવ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top