સુખસર : ફતેપુરા તાલુકામાં છેલ્લા એક માસ ઉપરાંતથી પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ-ડીઝલ નહીં હોવાના પેટ્રોલ પંપો ઉપર પાટિયા ઝુલતાં નજરે પડે છે....
સુખસર: ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મા અનેક ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.અને તેમાં ખેડૂતો,શ્રમિકો,નોકરિયાતો તથા વેપારીઓ જેવા...
આણંદ : આણંદના મંગળપુરા ફાટક પાસે મંગળવારની મોડી રાત્રે મોબાઇલ પર વાતોમાં વ્યસ્ત યુવકને ટ્રેન આવવાની ભનક ન લાગી અને હડફેટે આવી...
મકરંદ દેશપાંડેને સહુએ હમણાં જ RRRમાં જોયો છે. મકરંદ આમ મરાઠી છે, પણ તે તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ અને મરાઠી ફિલ્મોમાં કામ...
સુરત (Surat): સોમવારે રાત્રે આઠ વાગ્યે સુરતની લા-મેરેડિયન હોટલ પર શિવસેનાના (Shivsena) પ્રથમ ધારાસભ્યની એન્ટ્રી થઇ ત્યારથી મંગળવારે મોડી રાત્રે બે વાગ્યે...
નડિયાદ: નડિયાદ એસ.ટી ડેપોની મુસાફરો ભરેલી એક બસ ડિઝલ પુરાવવા શહેરના એક ખાનગી પેટ્રોલપંપમાં પહોંચી હતી. જોકે, તે વખતે ડિઝલનો જથ્થો ન...
ઘણીવાર અટકો એવી હોય છે કે નામ સાથે જાળવી રાખવી મુશ્કેલ પડે. આના ઉપાય અનેક છે. આદર્શ નામના ટીવી વેબ સિરીઝના અભિનેતાની...
સુરત: સુરત(Surat) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ઉમરપાડા(Umarpada) તાલુકામાં ધોધમાર વરસાદ(Rainfall) શરૂ થયો અને વરસાદ માંગરોળ(Mangarol) થઈ ઓલપાડ(Olpad) તાલુકામાં પવન...
અમરેલી: (Amreli) ગુજરાતમાં (Gujarat) વિધિવત ચોમાસું (Monsoon) બેસી ગયું છે. ગયા શનિવારથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઈકાલે બુધવારે...
સંતરામપુર : મહિસાગર જિલ્લાના બાકોર ગામ નજીક આવેલા રિસોર્ટમાં દારૂની મહેફિલના વાયરલ થયેલા વિડિયો સાથે ધારાસભ્યની હાજરીના ફોટા પણ વાયરલ થયાં છે....
એક સમય એવો હતો જે અભિનેતા યા અભિનેત્રી યુવાન હોય તેમને જ વધારે કામ મળતું પણ TV સિરીયલો, વેબ સિરીઝ આવ્યા પછી...
આણંદ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે બુધવારના રોજ અચાનક જ મલાતજ મેલડી માતાના નવચંડી યજ્ઞમાં પરિવાર સાથે દર્શન કર્યાં હતાં....
આણંદ : પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે. જે માટે રહિશોએ પાલિકાને વારંવાર રજૂઆત કરી હોવા છતા...
સુરત (Surat) : સોમવારે શિવસેનાના (Shivsena) ધારાસભ્યોને (MLA) હોટેલ ર્લે-મેરિડિયન પર આવવાનું શરૂ થયુ ત્યારથી મંગળવારે રાત્રે અઢી વાગ્યે ફલાઇટથી એરલિફ્ટ (Airlift)...
ઇરફાનખાન તો હવે નથી પણ તેને યાદ કરાવવા તેનો પુત્ર બાબીલખાન આવી રહ્યો છે. અનુષ્કા શર્માએ નેટફલિક્સ માટે ‘કાલા’ નામની ફિલ્મ બનાવી...
કોઈ પણ રાજકીય પક્ષ પોતાના મૂળભૂત સિદ્ધાંતોને ભૂલીને સત્તાનો ભૂખ્યો થઈ જાય છે, ત્યારે તેની હાલત શિવસેના (Shivsena) જેવી થઈ જાય છે....
હવે સુરતની સૂરત બદલાતાં તે ખૂબસુરત બનવા જઈ રહ્યું છે. 126 હેકટરમાં સુરત મહાનગર રાજ્યનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે....
તા. 13 જુનના પ્રેમ સુમેસરાજીના ચર્ચાપત્ર દેશ ટનાટન ચલાવવો છે? એમાં થોડી વધુ વિગત. ભારતના તમામ રાજ્યમાંથી રાજ્યપાલની પોસ્ટ જ કેન્સલ કરી...
હમણાં ફાધર્સ ડે આવ્યો અને ગયો પણ પિતા તો હંમેશ છે. પિતા કુટુંબનું છત્ર છે, તેમ છતાં તે નેપથ્ય પાછળના હિરો છે....
દેશના વિકાસમાં અત્યંત ઉપકારક એવી વૈશ્વિક અવકાશ ઉદ્યોગમાં દેશનો હિસ્સો વધારવા માટે ખાનગી ક્ષેત્રની મહત્વની ભૂમિકા માટે ઇન સ્પેસ યોજના લોંચ થતી...
તંત્રી શ્રી તા. 19/6ના ગુજરાતમિત્રમા ચર્ચાપત્રી K.T.સોનીએ અખંડ ભારતનો લોલીપોપ પકડાવતું જ્યોતિષ આધારિત ચર્ચાપત્ર લખ્યું છે. પહેલું તો એ કે જ્યોતિષ એ...
મહારાષ્ટ્રમાં આજે પણ પોલીટીકલ ડ્રામા ચાલુ છે. ઘણા વધુ ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે. મળતી માહિતી મુજબ શિંદે સાથે 49 એમએલએ જોડાયા...
આવતી કાલે નીનાના ઘરે કામવાળી બાઈ આવવાની ન હતી તેથી તેણે બાજુના બંગલામાં કામ કરતા એક માજીને એક દિવસ છૂટક કામ કરવા...
ઘેજ : ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્યો સહિતનાઓ દ્વારા ગામમાં ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લેખિત રજૂઆત ટીડીઓ,...
આ અબ લૌટ ચલે (2)નૈન બિછાયે બાહેં પસારે, તુઝકો પુકારે દેશ તેરા આ અબ લૌટ ચલે(2)નૈન બિછાયે, બાંહે પસારે, તુઝકો પુકારે દેશ...
સત્તા સાથે એની આગવી જવાબદારી સંકળાયેલી હોય છે પણ એ જવાબદારીનું વહન કરવા માટે સહુ કોઈ સક્ષમ હોય એમ બની શકતું નથી....
રહેમાન ઇન્ડિયન એર ફોર્સના પ્રશિક્ષિત પાયલટ હતા એવું આજે કોઇ કહે તો માની ન લેવાય પણ રાજકુમાર જો પોલીસ અધિકારી હતા એમ...
આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા...
કેટલાક એવા સંગીતકાર હોય છે કે જેમના સંગીતના કારણે ઘણી ફિલ્મો આપણને યાદ આપતી રહે. રાહુલદેવ બર્મન બસ એવા સંગીતકાર છે. ‘જાના...
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના શક્તિશાળી નેતા એકનાથ શિંદેએ પોતાના પક્ષ સામે બળવો કરીને મહારાષ્ટ્રના શાસક ગઠબંધનને આજે રાજકીય કટોકટીમાં ધકેલી દીધું...
સુરત: ફોર્મ રદ થઈ ગયા બાદ ગાયબ થઈ ગયેલા સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી શુક્રવારે રાત્રે અચાનક 22 દિવસ પછી મીડિયા સામે હાજર થયા હતા અને એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને 2017માં ટિકીટ આપીને પરત ખેંચી લીધી હતી. જેથી મેં તેનો બદલો લીધો છે.
કુંભાણીએ કહ્યું હતું કે, 2017માં હું છ મહિનાથી મહેનત કરતો હતો અને છેલ્લે મારી ટિકીટ કાપી નાંખી હતી. કોંગ્રેસ મને પુછ્યું પણ નથી. મેં પ્રમુખને પુછ્યું કે , ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું મેન્ડેટ મળી ગયું હોય તો ફોર્મ ભરાવો. હું 20 હજાર લોકોને લઇને ફોર્મ ભરવા ગયો હતો. ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે, તમે પાછા વળો. શું તે મારી સાથે ગદ્દારી નહોતી. અત્યારે ગદ્દારીની વાતો કરે છે. મારે ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવો ખુલાસો પણ કુંભાણી દ્વારા કરાયો હતો.
આજે જે લોકો વિરોધ કરે છે તે લોકો ત્યારે કામ કરતા નહોતા. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી ગદ્દારી કરે છે. કોંગ્રેસે પહેલા ગદ્દારી મારી સાથે કરી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વોર્ડ પ્રમુખ કામ કરે નહીં ને બીજા પાસે કામ કરાવે. અહીના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંયા બની બેઠલા 5 નેતાઓને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી.
આપના નેતાઓ કે કાર્યકર્તાઓ મારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટર મારી સાથે કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એને શું કરવા સાથે રાખો છો. એમના ફોટા કેમ રાખો છો. અમારા ફોટા કેમ નથી રાખતા. અમને કેમ સાથે નથી રાખતા.
પ્રતાપ દુધાત અને કોંગ્રેસના અન્ય આગેવાનો દ્વારા મને મારવાની વાત કરવામાં આવી છે પરંતુ કોઈ માઈનો લાલ પેદા થયો નથી કે જે મને મારી શકે. મેં જે કર્યું તે સુરતના 5 નેતાઓને કારણે કર્યું. આજે પણ મારા ટેકેદારો મારી સાથે જ છે. મને 2017માં છેતર્યો એટલે મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું.
હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્ચું સાથે ચર્ચા કરીશું. ટેકેદારોનું અપહરણ થયુ ન હતુ
કોરોનામાં મેં ખુબ કામ કર્યું. કોંગ્રેસના નામે જ આઈસોલેટેડ વોર્ડ ખોલ્યો હતો. ગામડે જવું હોય તો કોંગ્રેસે નંબર મુક્યો હતો. જેના આધારે મેં ખુબ કામ કર્યું હતું. ફોર્મ રદ થતાં હું અમદાવાદ ગયો હતો પરંતુ કરજણ પહોંચ્યો ત્યાં જ કોંગ્રેસ દ્વારા મારા ઘરે વિરોધ કરાયો.
હું મારી ગાડીમાં જ કલેકટર કચેરી આવ્યો હતો અને ત્યાંથી મારી ગાડીમાં જ કલેકટર કચેરીએથી નીકળ્યો હતો. હું કોઈ ભાજપ વાળાની ગાડીમાં ન હતો. મારા ઠેકેદારો બધુ જોતા હતા કે કોંગ્રેસના નેતાઓ કેવી રીતે મારી સાથે વર્તી રહ્યા હતા. દર્શનભાઈ નાયકને સાથે રાખીને કામ કરીએ તો સંગઠનને મારી સાથે કામ કરવું નથી. માણસો લઈ લઈએ તો સંગઠન વિરોધ કરે. કોંગ્રેસને નુકસાન ન થાય એટલે હું ચૂપ હતો.