Latest News

More Posts

સુરત: ફોર્મ રદ થઈ ગયા બાદ ગાયબ થઈ ગયેલા સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી શુક્રવારે રાત્રે અચાનક 22 દિવસ પછી મીડિયા સામે હાજર થયા હતા અને એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને 2017માં ટિકીટ આપીને પરત ખેંચી લીધી હતી. જેથી મેં તેનો બદલો લીધો છે.

  • મારી 2017માં કોંગ્રેસે ટિકીટ કાપી હતી, તેનો મેં બદલો લીધો છે: નિલેશ કુંભાણી
  • ફોર્મ રદ થયા બાદ 22 દિવસથી ગુમ નિલેશ કુંભાણીએ અચાનક મીડિયા સામે પ્રગટ થયા
  • 2017માં હું 20 હજાર લોકો સાથે ફોર્મ ભરવા નીકળ્યો અને મારે પરત આવવું પડ્યું
  • હું કોંગ્રેસ સાથે નથી અને મારે ભાજપ સાથે પણ લેવાદેવા નથી, શું કરવું તેની ટેકેદારો સાથે ચર્ચા કરીશ

કુંભાણીએ કહ્યું હતું કે, 2017માં હું છ મહિનાથી મહેનત કરતો હતો અને છેલ્લે મારી ટિકીટ કાપી નાંખી હતી. કોંગ્રેસ મને પુછ્યું પણ નથી. મેં પ્રમુખને પુછ્યું કે , ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું મેન્ડેટ મળી ગયું હોય તો ફોર્મ ભરાવો. હું 20 હજાર લોકોને લઇને ફોર્મ ભરવા ગયો હતો. ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે, તમે પાછા વળો. શું તે મારી સાથે ગદ્દારી નહોતી. અત્યારે ગદ્દારીની વાતો કરે છે. મારે ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવો ખુલાસો પણ કુંભાણી દ્વારા કરાયો હતો.

આજે જે લોકો વિરોધ કરે છે તે લોકો ત્યારે કામ કરતા નહોતા. અત્યારે કોંગ્રેસવાળા ગદ્દારી ગદ્દારી કરે છે. કોંગ્રેસે પહેલા ગદ્દારી મારી સાથે કરી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વોર્ડ પ્રમુખ કામ કરે નહીં ને બીજા પાસે કામ કરાવે. અહીના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંયા બની બેઠલા 5 નેતાઓને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી.

આપના નેતાઓ કે કાર્યકર્તાઓ મારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટર મારી સાથે કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એને શું કરવા સાથે રાખો છો. એમના ફોટા કેમ રાખો છો. અમારા ફોટા કેમ નથી રાખતા. અમને કેમ સાથે નથી રાખતા.

પ્રતાપ દુધાત અને કોંગ્રેસના અન્ય આગેવાનો દ્વારા મને મારવાની વાત કરવામાં આવી છે પરંતુ કોઈ માઈનો લાલ પેદા થયો નથી કે જે મને મારી શકે. મેં જે કર્યું તે સુરતના 5 નેતાઓને કારણે કર્યું. આજે પણ મારા ટેકેદારો મારી સાથે જ છે. મને 2017માં છેતર્યો એટલે મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું.

હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્ચું સાથે ચર્ચા કરીશું. ટેકેદારોનું અપહરણ થયુ ન હતુ

કોરોનામાં મેં ખુબ કામ કર્યું. કોંગ્રેસના નામે જ આઈસોલેટેડ વોર્ડ ખોલ્યો હતો. ગામડે જવું હોય તો કોંગ્રેસે નંબર મુક્યો હતો. જેના આધારે મેં ખુબ કામ કર્યું હતું. ફોર્મ રદ થતાં હું અમદાવાદ ગયો હતો પરંતુ કરજણ પહોંચ્યો ત્યાં જ કોંગ્રેસ દ્વારા મારા ઘરે વિરોધ કરાયો.

હું મારી ગાડીમાં જ કલેકટર કચેરી આવ્યો હતો અને ત્યાંથી મારી ગાડીમાં જ કલેકટર કચેરીએથી નીકળ્યો હતો. હું કોઈ ભાજપ વાળાની ગાડીમાં ન હતો. મારા ઠેકેદારો બધુ જોતા હતા કે કોંગ્રેસના નેતાઓ કેવી રીતે મારી સાથે વર્તી રહ્યા હતા. દર્શનભાઈ નાયકને સાથે રાખીને કામ કરીએ તો સંગઠનને મારી સાથે કામ કરવું નથી. માણસો લઈ લઈએ તો સંગઠન વિરોધ કરે. કોંગ્રેસને નુકસાન ન થાય એટલે હું ચૂપ હતો.

To Top