National

મોદી સરકારે મદરેસાઓને મળતા આ લાભ પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી: મદરેસામાં (Madrasa) બાળકોને મળતી શિષ્યવૃતિ (Scholarship) હવે બંધ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે (Central Government) મદરેસામાં મળતી શિષ્યવૃતિ પર રોક (ban) લગાવવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી બાળકોને અલગ અલગર કોર્સ (Course) પર શિષ્યવૃતિ મળતી હતી. કેન્દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને (Student) આપવામાં આવતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. આ અંગે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધી મદરેસામાં 1 થી 5 સુધીના બાળકોને રૂ.1000ની શિષ્યવૃત્તિ મળતી હતી. સાથે જ 6 થી 8 ના બાળકોને અલગ-અલગ કોર્સ પ્રમાણે સ્કોલરશિપ મળતી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફત છે. આ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મદરેસાઓમાં મધ્યાહન ભોજન અને પુસ્તકો મફત આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સરકારે શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે 9 અને 10ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ સ્કોલરશિપ મળતી રહેશે.

મળતી માહિતી અનુસાર ગયા વર્ષે રાજ્યની 16558 મદરેસાઓમાં 4 થી 5 લાખ બાળકોને શિષ્યવૃત્તિ મળી હતી. આ વખતે નવેમ્બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્દ્ર સરકારે અચાનક સ્કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે.

યુપીમાં મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરવામાં આવશે
ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તાજેતરમાં મદરેસાઓનો સર્વે કર્યો હતો. જેમાં 8496 મદરેસા માન્યતા વગરના મળી આવ્યા છે. સર્વે દરમિયાન આ મદરેસાઓની આવકનો સ્ત્રોત જકાત (દાન) જણાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે યુપી સરકાર મદરેસાઓની આવકના સ્ત્રોતની તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે.

વાસ્તવમાં, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં અજાણી મદરેસાઓ મળી આવી છે. સિદ્ધાર્થનગરમાં 500, બલરામપુરમાં 400, બહરાઈચ અને શ્રાવસ્તીમાં 400, લખીમપુરમાં 200, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં મહારાજગંજમાં 60 અજાણી મદરેસાઓ મળી આવી છે. આ મદરેસાઓમાં કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, સાઉદી અને નેપાળમાંથી જકાત મળી છે. આવી સ્થિતિમાં હવે તેમના સ્ત્રોતની તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top