Charchapatra

ભારત પોતાના નિર્ણયો લેવા સ્વતંત્ર છે

છેલ્લા કેટલાક લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે નિંતરત યુધ્ધ ચાલી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ યુરોપના દેશો અને અમેરિકાએ રશિયા પર આકરા આર્થિક પ્રંતિબંધો મુકયા છે પરંતુ આ સમગ્ર વિશ્વની ઘટના ક્રમમાં ભારત નિર્વિવાદીત અને તટસ્થ રહ્યું છે. ભારત પોતાના જુના અને વિશ્વાસુ મિત્ર દેશ રશિયા પાસેથી તૈલની આયાત કરે છે તો તેમાં કશું જ અયોગ્ય નથી વિશ્વમાં દરેક દેશ પોતાની વિદેશી નિતિ માટે મુકત છે. તમે એમાં અમેરિકા પરોક્ષ રીતે ભારતને રશિયા પાસેથી તેલ આયાત ન કરવા અંગે દબાણ કરતુ હોય કે પછી ભારત તેલ આયાત કરશે તો એની કિંમત ચૂકવવી પડશે એવી ધમકી આપતુ હોય તો તે બિલકુલ ગેરવ્યાજબી અને આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરૂધ્ધ છે. આ અંગે ભારતે વિશ્વને પોતાનો નિર્ણય નિભર્યતાથી જણાવી દીધો છે. ભારત એજ કરશે જે ભારત અને ભારતનો લોકોના હિંતમાં હશે.
સુરત                 – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top