Business

2030 સુધીમાં ભારતમાં 50 મિલિયન ઈ-વ્હીકલ હશે, આ વર્ષે ઈ-વ્હીકલના વેચાણમાં થયો આટલા ટકાનો વધારો

ભારતમાં (India) 2030 સુધીમાં 50 મિલિયન ઈ-વ્હીકલ (E-Vehicle) રસ્તા પર દોડતા થઈ જશે. એક રિપોર્ટ અનુસાર માર્ચ 2022 સુધીમાં ભારતીય રસ્તાઓ (Indian Roads) પર ઈ-વાહનોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ હતી. આ સંખ્યા 2030 સુધીમાં લગભગ 5 કરોડ સુધી પહોંચી શકે છે. વાહનોની સંખ્યા વધવાની સાથે ચાર્જિંગ સ્ટેશનો (Charging Station) પણ વધારવા પડશે. હાલમાં દેશભરમાં લગભગ 1,700 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન છે જે ઈ-વ્હીકલની વૃદ્ધિને ટેકો આપવા માટે પૂરતા નથી. 2030 સુધીમાં દેશના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનો (EVs) ની કુલ સંખ્યા 50 મિલિયન સુધી પહોંચી જશે. ઈ-વ્હીકલ ચાર્જિંગ કંપનીઓ માટે આ એક મોટી તક હશે. કન્સલ્ટન્સી ફર્મ કેપીએમજીએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં ઈ-વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. આ વાહનો ધીમે ધીમે મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. આ જ કારણ છે કે ગત નાણાકીય વર્ષમાં EVનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે.

દરેક વાહન કેટેગરીમાં ચાર્જિંગ બિઝનેસ વધવાની અપેક્ષા છે
ચાર્જિંગ બિઝનેસમાં વૃદ્ધિની સંભાવના અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટુ-વ્હીલર સેગમેન્ટ 2025 સુધીમાં 15-20 ટકાના દરે વૃદ્ધિ પામશે. 2030 સુધીમાં તેમાં વધુ 50-60 ટકાનો વધારો થઈ શકે છે. ખાનગી પેસેન્જર વાહનો માટે ચાર્જિંગ બિઝનેસ 2025 સુધીમાં 8-10 ટકા અને 2030 સુધીમાં 35-40 ટકા વધવાની ધારણા છે. ફોર વ્હીલર કોમર્શિયલ વાહનોમાં 2025 સુધીમાં 15-20 ટકા અને 2030 સુધીમાં 60-65 ટકા વૃદ્ધિ થવાની ધારણા છે. 2030 સુધીમાં દેશના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક વાહનો (EV) ની કુલ સંખ્યા 50 મિલિયન સુધી પહોંચી જશે. ઈ-વ્હીકલ ચાર્જિંગ કંપનીઓ માટે આ એક મોટી તક હશે. ભારતમાં ઈ-વાહનો વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. આ જ કારણ છે કે ગત નાણાકીય વર્ષમાં ઈ-વ્હીકલનું વેચાણ ત્રણ ગણું વધ્યું છે.

હાલમાં વેચાણમાં વૃદ્ધિ ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને બસ સેગમેન્ટમાંથી આવી રહી છે. રિપોર્ટ અનુસાર માર્ચ 2022 સુધીમાં ભારતીય રસ્તાઓ પર ઈ-વાહનોની સંખ્યા 10 લાખને પાર કરી ગઈ હતી. આ સંખ્યા 2030 સુધીમાં 4.5 થી 5 કરોડ સુધી પહોંચી શકે છે. હાલમાં દેશભરમાં લગભગ 1,700 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન છે. પરંતુ વધતા ઈ-વ્હીકલને જોતા ચાર્જિંગ સ્ટેશનો વધારવા પડશે તેમાં કોઈ બે મત નથી. ચાર્જિંગ કંપનીઓ માટે આ મોટી તક છે. વધતા વાહનોની જોતા ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ચાર્જિંગ સ્ટેશનોની જરૂરિયાત વધવાની છે. ખાસ કરીને ટુ વ્હીલર કેટેગરીમાં વધુ ચાર્જિંગ સ્ટેશનોની જરૂરિયાત વર્તાઈ શકે છે તેવું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ ઇ-વ્હીકલ સસ્તો વિકલ્પ હોવાને કારણે ફોર વ્હીલ ઈ-વ્હીકલનો ક્રેઝ પણ દેશમાં વધી રહ્યો છે.

Most Popular

To Top