Charchapatra

વડાપ્રધાન 365 દિવસ કામ કરે તો ન્યાયધીશો 300 દિવસ કેમ ન કરે?

ચીફ જસ્ટિસે વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધુ વધારવી જોઈએ.  જો કે,  મુખ્ય ન્યાયાધીશને જનતાનાં સૂચનોને અનુસરીને…  1:- તમે બધા જસ્ટિસ 10 વાગ્યે આવો – -2 અને 3 વાગ્યાની વચ્ચે લંચ કરો અને પછી 4 વાગ્યે ઘરે પાછા ફરો.  આ ક્યાં સુધી ચાલશે? 2:- સવારે 9 વાગ્યે આવો અને સાંજે 6 વાગ્યા સુધી કામ કરો, જેમ કે ડોક્ટર, એન્જિનિયર, પોલીસ, નોકરિયાત અને કોર્પોરેટ જગતનાં લોકો. 3:- જરૂરી હોય તો શનિવાર અને રવિવારે પણ કામ કરો. 4:- 1947 થી, 1 જૂનથી 30 જૂન સુધી, તમે ઉનાળાની રજાઓનો આનંદ માણો છો.  જ્યારે સમગ્ર એસસી સેન્ટ્રલાઈઝ્ડ એસી છે, તો જૂનમાં ઉનાળુ વેકેશન શા માટે? 5:- દરેક ન્યાયમૂર્તિએ વર્ષમાં માત્ર 15-20 દિવસની રજા લેવી જોઈએ. 6:- જલ્લીકુટ્ટુ, દહીહંડી જેવા મામલાઓમાં તમે ઈરાદાપૂર્વક તમારો સમય કેમ બગાડો છો? 7:- કેટલાક દેશદ્રોહી પ્રોફેશનલ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી સેંકડો નકામી પીઆઈએલ સાંભળીને તમે તમારો સમય કેમ બગાડો છો? 8:- EPFO ​​vs પેન્શનરો, તમે ઘણા કેસમાં 3 ન્યાય બેન્ચ, તો પછી 5 ન્યાય બેન્ચ કેમ બનાવો છો? 9:- દેશદ્રોહીઓ તથા તેમના દલાલોની અરજીઓની સમીક્ષા અને પછી સુધારણા?  તમે તેમના માટે રાત્રે પણ કોર્ટ કેમ ખોલો છો? જ્યારે જયારે કર્મચારીઓ તથા ગરીબ માણસો મૃત્યુ પામે ત્યાં સુધી  તમારી પાસે સમય નથી? 10:- તમે કરદાતા પાસેથી કરોડોનો પગાર અને સુવિધાઓ લો છો, પરંતુ જનતા પ્રત્યે જવાબદારી શૂન્ય છે. 11:- તમે AC બંગલામાં રહો છો, તમે લક્ઝુરિયસ કારમાં મુસાફરી કરો છો, જનતાના ખર્ચે ઝીણવટભરી સુરક્ષા છે, તો તમે શા માટે મહેનત નથી કરતા? 12:- તમને બધાને કેબિનેટ મંત્રીની સુવિધાઓ મળે છે. ઉંમર વધારવાની જરૂર નથી.   સુપ્રીમ કોર્ટ કામકાજના દિવસો, જે વર્ષમાં માત્ર 168 દિવસ કામ કરે છે, તેને વધારીને ઓછામાં ઓછા 300 દિવસ કરવા જોઈએ. જ્યારે વડા પ્રધાન 365 દિવસ કામ કરી શકે છે, તો ન્યાયાધીશોને 300 દિવસ કામ કરવાની કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
સુરત     – સુનીલ રા. બર્મન – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કોરોના વાયરસને Covid 19 બનાવી મહામારી જાહેર કરવાનું મહાપાપ
વિજ્ઞાનનાં સાધનો દ્વારા ખગોળદર્શન કે ભૂગોળ દર્શનને સાધના ગણવી તે પણ એક રીતે બૌદ્ધિક વ્યભિચાર છે. એક સમયે અતિ સૂક્ષ્મ જિન, બેક્ટેરીયા અને વાયરસની બધી કથા સાધનરહિત અને સાધનાપૂર્ણ હતી. પણ મરણ વિમાનું નામ જીવન વિમો માપી વિમા કંપની મને ફાર્મા કંપનીઓની મીડિયા કંપનીઓ ભાગીદારી બનીને માત્ર અર્થજગતની મારામારીને who એન્ડેમિકના નામે લોકડાઉન ગાઈડ લાઈન એસઓપીનો અત્યાચાર કરે તે શું મહાપાપ નથી?
ધરમપુર  – ધીરુ મેરાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top