Charchapatra

 ‘બેંકો’ તરફથી કનડગત?

તાજેતરમાન એવી લોકચર્ચા જાણવા સાંભળવા મળેલ છે કે સુરતની કેટલીક બેંકોના બચત ખાતેદારોએ એમના સેવિંગ્સ એકાઉન્ટમાં હવે ઓછામાં ઓછી રૂપિયા 3000ની રકમ જમા રાખવાની રહેશે. અગાઉ ક્રમશ: આ મીનીમન એકાઉન્ટ બેલેન્સ રૂા.500 થી 1000નું જ રાખવામાં આવતું હતું. હવે સીધા જ રૂપિયા 3000 બેલેન્સ જાળવવુ એ ખરેખર તો આમજનતા માટે તકલીફ જ કહેવાય એવુનં નથી લાગતું? સાંપ્રત કાળે દેશભર જગતભરમાં કોરાનાકાળની થાપટો પડવાથી પ્રજા બિચારી બાપડી થઇ ચૂકી છે. બધાના જ ધંધા રોજગાર નોકરી બેકારી મોંઘવારી માઝા મુકતી થઇ ગઇ છે. એમાંય વળી બળતામાં ઘી હોમતુ યુક્રેન-રશિયાના યુધ્ધના ઢોળાયેલા પાપઘડા થકી જગતભરની પ્રજાને પેટ્રોલ-ડિઝલ અને એના કારણે રોજીંદી ચીજવસ્તુઓ જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવો કૂદકે ને ભૂસકે વધતાં જ જાય છે ત્યારે ઉકત બેંકીંગ સીસ્ટમ જે પ્રજાને માથે ઝીંકવામાં આવે છે એ પીડાદાયક છે. ખાસ કરીને મધ્યમ વર્ગ ત્રાહિમામ પોકારીતો થયો છે ત્યારે સર્વસત્તાધીશો આ અંગે યોગ્ય તે ઉકેલની દિશામાં માનવીય અભિગમ અપનાવશે ખરાં??
સુરત              – પંકજ શાં. મહેતા           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top