Gujarat

સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 57000 કરોડના 74 પ્રોજેક્ટ્સ કાર્યરત છે : સર્બાનંદ સોનોવાલે

ગાંધીનગર : ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર (Mahatma Temple) ખાતે કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે આ ગ્રીન શિપ રિસાયક્લિંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત (Gujarat) હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે ૪૦ ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે.

તેમણે કહ્યું હતુ કે, ભારતના પશ્ચિમ કિનારે તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનના આધારે, પ્રોએક્ટિવ પોલિસીઝ અને પહેલ તેમજ મજબૂત ઔદ્યોગિક અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત ભારતની દરિયાઇ સફળતાની વાર્તાના ધ્વજ ધારક તરીકે ઉભરી આવ્યું છે. સાગરમાલા પ્રોજેકટ એ પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનો ફ્લેગશિપ કાર્યક્રમ છે. છેલ્લા સાત વર્ષમાં સાગરમાલા પ્રોજેકટ હેઠળ અનેક નવીન પહેલ કેન્દ્ર સરકારે હાથ ધરી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ દ્વારા પોર્ટ્સની ક્ષમતા વધારવા અને પોર્ટ્સની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે બંદરોની એકંદર ઓપરેશનલ ખર્ચ ઘટાડવા,વાહનો માટે ટર્ન અરાઉન્ડ સમય ઘટાડવા, કાર્યક્ષમતા અને થ્રુપુટને ઘટાડવામાં મદદ મળી છે મોટા જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા, અને દક્ષિણ એશિયાના પ્રદેશમાં ભારતીય બંદરોના વ્યૂહાત્મક મહત્વ વિકસાવવાની ક્ષમતા જેવા પગલાંઓને પરિણામે વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૦૦ અબજ ડોલરની માલ નિકાસ સાથે રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

સાગરમાલા પ્રોજેકટ હેઠળ ગુજરાતમાં સમૃદ્ધ દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે અનેરૂ પ્રોત્સાહન આપ્યું છે જેમાં પોર્ટ આધુનિકીકરણ, રેલ, રોડ, ક્રુઝ ટુરિઝમ, રો-રો અને પેસેન્જર જેટીઝ, મત્સ્યઉદ્યોગ, તટવર્તી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ, વગેરે જેવી વિવિધ કેટેગરીઝ હેઠળ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રૂ. ૫૭,૦૦૦ કરોડના ૭૪ પ્રોજેક્ટ્સ કાર્યરત છે જેમાંથી રૂ. ૯૦૦૦ કરોડના ૧૫ પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. રૂ. ૨૫,૦૦૦ કરોડના ૩૩ પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે અને રૂ. ૨૨,૭૦૦ કરોડના ૨૬ પ્રોજેક્ટ્સ વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. સાગરમાલા પ્રોગ્રામ હેઠળ, તટવર્તી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ કૉમ્પ્લેક્સ લોથલ પર ૫૦૦૦ વર્ષીય મેરિટાઇમ હેરિટેજનું પ્રદર્શનનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્યમાં આઇકોનિક સ્થળોને કનેક્ટ કરવા માટે વધુ સીપ્લેન સેવાઓ પણ અમલમાં આવી રહી છે.

સોનોવાલે કહ્યું હતું કે,દરિયાઇ ભારત વિઝન ૨૦૩૦ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે ઘોઘા-હઝીરા વચ્ચેની રોપેક્ષ સર્વીસની સેવાઓ શરૂ કરી દીધી છે જેના પરિણામે પૂર્વ અને પશ્ચિમ બાજુના વચ્ચેનું અંતર ઘટ્યું છે. ખંભાત-પીપાવાવ અને દ્વારકા વચ્ચે રો પેક્સ સુવિધા માટેના કામ મંજૂર કરવામાં આવ્યું છે જેના પરિણામે રાજયના લોકોના સમયની સાથે ઈંધણની બચત થશે અને પર્યાવરણના જતન સાથે પરિવહનની ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ બનશે.

તેમણે જણાવ્યું હતું કે ભારત શિપ બ્રેકીંગ અને રિસાયક્લિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગુજરાતમાં શિપ રિસાયક્લિંગની કામગીરી ૧૯૮૩થી એલાંગ-સોસિયામાં શરૂ થઈ છે. ૧૦ કિ.મી. તટવર્તી દરિયા કિનારા પર ૧૫૩ પ્લોટ પર દર વર્ષે ૨૦૦ થી વધુ જહાજોનું રિસાયક્લિંગ કરીને દર વર્ષે ૩.૫ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કુદરતી સંસાધનોને નુકસાન કર્યા વગર કરે છે. શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ આશરે ૧૫૦૦૦ વ્યક્તિઓને સીધા અને લગભગ ૧.૫ લાખ વ્યક્તિઓને રોજગારી આપે છે. યાર્ડની ક્ષમતાને બમણી કરવાની સૂચિત વિસ્તરણ યોજના સાથે, રોજગારની તકો પણ બમણી થઈ જશે, જે સમગ્ર પ્રદેશમાં વધુ આર્થિક સમૃદ્ધિ લાવશે.

Most Popular

To Top