Gujarat

નરેશ પટેલની PM મોદી સાથે બેઠક યોજાતા રાજકારણમાં ગરમાવો, 45 મિનિટ સુધી વાતચીત ચાલી

અમદાવાદ : ટૂંક સમયમાં હવે ગુજરાત (Gujarat) વિધાનસભાની (Assembly) ચૂંટણીની તારીખો જાહેર થવા જઇ રહી છે. ત્યારે એ પહેલા ખોડલધામના (Khodaldham) ચેરમેન (Chairman) નરેશ પટેલ (Naresh Patel) સહિત ખોડલધામ ટ્રસ્ટના અન્ય 2 સભ્યોએ પણ PM મોદી સાથે મુલાકાત કરી છે. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નરેશ પટેલ, રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી PM મોદીને મળ્યા હતા. તેઓએ 45 મિનિટ સુધી PM મોદી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે.

ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ!
ટૂંક સમયમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવા જઇ રહી છે. ત્યારે એ પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત ખોડલધામ ટ્રસ્ટના અન્ય 2 સભ્યોએ પણ PM મોદી સાથે મુલાકાત કરી છે. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નરેશ પટેલ, રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણી PM મોદીને મળ્યા હતા. તેઓએ 45 મિનિટ સુધી PM મોદી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે.

જુઓ ગુજરાતમાં પાટીદારોનો કેટલો પાવર?
ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી રહેલી છે. પરંતુ એ જ 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં (2017) માં ભાજપથી રિસાઇ જતા ભાજપે સૌરાષ્ટ્રમાં માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા અને આખાય દેશમાં ગુજરાતમાં ડંકો વગાડનાર ભાજપ 100ના આંકડાને પણ પાર ન હોતું કરી શક્યું. 2012માં 115 સીટ જીતનારી ભાજપ 2017માં 99એ અટકી ગઇ હતી. બીજું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની નારાજગીના કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

ભાજપ હવે આગોતરી તૈયારી કરી રહ્યું છે
આ સિવાય 2017માં આંદોલનના કારણે પાટીદાર સમાજે કોંગ્રેસને વોટ આપીને કોંગ્રેસને અનેક સીટો પર જીતાડી હતી. 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાટીદારોનો બીજો ગઢ ગણાતા સુરતમાં પાટીદારોએ આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડી હતી. જેથી કોંગ્રેસ-ભાજપ જો કદાચ પાવર ન બતાવે તો ક્યાંક AAP પણ સૌરાષ્ટ્રમાં પાવરફૂલ ન બની જાય તેની ભાજપ હવે આગોતરી તૈયારી કરી રહ્યું છે. આથી ગુજરાતમાં એમ કહી શકાય કે પાટીદારોના પાવરની જો વાત કરીએ તો પાટીદારોની વસ્તી ભલે 15 ટકા હોય પણ ચૂંટણી ટાણે કોઇ પણ પક્ષ તેમની અવગણના કરી..

દિવાળી બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખ થઈ શકે છે જાહેર
બીજી બાજુ દિવાળી બાદ ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નવેમ્બરના અંત કે ડિસેમ્બરની શરુઆતમાં મતદાન થશે જ્યારે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. મહત્વનું છે કે, ગત ટર્મમાં 25 ઓક્ટોબરે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હતી.

ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે આખરી મતદાર યાદી
ચૂંટણી પંચે આખરી મતદાર યાદી તૈયાર કરી છે. જેમાં ચૂંટણી પંચની વિગતો અનુસાર ગુજરાતમાં કુલ 4 કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો નોંધાયા છે જે આંકડો અગાઉ 4 કરોડ 83 લાખ 75 હજાર 821 મતદારોનો હતા તેમજ પંચની યાદી મુજબ 2 લાખ 68 હજારથી વધુ પુરુષ મતદારો નોંધાયા છે તેમજ 1 લાખ 93 હજારથી વધુ મહિલા મતદારો નોંધાયા છે તેમજ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં 4 લાખ 61 હજાર 494 મતદારો ઉમેરાયા છે.

Most Popular

To Top