National

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

જમ્મુ-કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરમાં કટરાથી 97 કિમી પૂર્વમાં 17 ફેબ્રુઆરી એટલે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી હતી, જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા નથી.

મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં કટારાથી 97 કિમી દૂર વહેલી સવારે 5:01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અગાઉ ગત રોજ પણ મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દેશના પૂર્વોત્તર રાજ્યોમાં આગલા દિવસે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે16 ફેબ્રુઆરી મેઘાલયમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અહેવાલ મુજબ, ભૂકંપ સવારે લગભગ 9.26 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર 46 કિલોમીટરની ઊંડાઈએ પૂર્વ ખાસી હિલ્સમાં હતું.

રવિવારે અને સોમવારે પણ અનુભનવાયા હતા ભૂકંપના આંચકા
આ ભૂકંપ શિલોંગ, પૂર્વ ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલય રી-ભોઈ અને આસામના કામરૂપ મેટ્રોપોલિટન જિલ્લાના ભાગોમાં અનુભવાયો હતો. ભૂકંપથી તાત્કાલિક જાનહાનિ અથવા સંપત્તિને નુકસાનના કોઈ અહેવાલો નથી. ગયા રવિવાર અને સોમવારે, અનુક્રમે 4 અને 3.2ની તીવ્રતાના બે ભૂકંપ મધ્ય આસામમાં હોજાઈ નજીક તેમના કેન્દ્ર સાથે નોંધાયા હતા. ઉત્તરપૂર્વીય પ્રદેશ ઉચ્ચ સિસ્મિક ઝોનમાં આવે છે, જ્યાં ધરતીકંપના આંચકા વારંવાર અનુભવાય છે.

આ પહેલા 13 ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના યુક્સોમમાં સવારે 4.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા નોંધાઈ હતી.

સુરતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ પહેલા 11 ફેબ્રુઆરીએ ગુજરાતના સુરતમાં ધરતી ધ્રૂજી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી. સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ હતી.

દિલ્હી હાઈકોર્ટે ભૂકંપથી સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે
તે જ સમયે, તુર્કી, ફિલિપાઇન્સ, સીરિયા, નેપાળમાં ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખીને, દેશની અદાલતે પણ ચિંતા વ્યક્ત કરી છે. દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં ભૂકંપની તૈયારી સાથે સંબંધિત એક અરજી પર સુનાવણી કરતા ગુરુવારે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાના જીવનની સુરક્ષાને લઈને ચિંતિત છે.

Most Popular

To Top