National

પંજાબમાં આ સમુદાય વિરુદ્ધ નિવેદન આપી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી વિવાદોમાં સપડાયા

પંજાબ(Punjab): પંજાબના પ્રવાસે ગયેલા બાગેશ્વર ધામના (BageshwarDham) ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShashtri) ફરી વિવાદોમાં (Controversy) ફસાયા છે. તેની સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ દિવસ પઠાણકોટમાં (PathanKoat) રોકાયા હતા. દરમિયાન તેમના નિવેદન (Statement) સામે ખ્રિસ્તી (Christian) સમુદાયે વાંધો ઉઠાવ્યો છે. પંજાબના ગુરદાસપુરમાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. 

ખ્રિસ્તી સમુદાયના લોકોએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી (DhirendraShahstri) સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તેમના ધર્મ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તે પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બાગેશ્વર ધામના વડા સાથે સંકળાયેલા રાજકીય લોકો હિન્દુ મત મેળવવા માટે આવી યુક્તિઓ રમી રહ્યા છે.

તેમની ટિપ્પણીના વિરોધમાં ખ્રિસ્તી સમુદાયના લોકો ગુરદાસપુરની SSP ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી અને તેમનું મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. તેમણે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખ્રિસ્તી સમુદાયના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તી સમુદાયની માફી નહીં માંગે તો તેઓ તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરશે અને વિવિધ સ્થળોએ તેમના પૂતળા સળગાવવામાં આવશે.

ખ્રિસ્તી સમુદાયના લોકોએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે તેમના ધર્મ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તે પંજાબનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાગેશ્વર ધામના વડા સાથે સંકળાયેલા રાજકીય લોકો હિન્દુ મત મેળવવા માટે આવી યુક્તિઓ રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પઠાણકોટમાં ચાલી રહેલા કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ખ્રિસ્તી ભાઈચારાની તુલના વિદેશી શક્તિઓ સાથે કરી હતી. 

Most Popular

To Top