Vadodara

શ્રાદ્ધ પક્ષમા કાગડાઓ જ ગાયબ : પક્ષીઓ ગાયબ થવાનુ કારણ પ્રદુષણ કે અન્ય કંઈક

વડોદરા: છેલ્લા અનેક વર્ષોથી જાણે કાગડાઓ નામશેષ થઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેર મા માત્ર વિશ્વામિત્રી નદીના કિનારે જૂજ માત્રામા કાગડા જોવા મળે છે.એક બૂમે આવી જતો કાગડો હવે હજારો બૂમો પાડો તો પણ દેખાતો નથી. મોટા ભાગના લોકો માને છેકે કાગડાઓ નામશેષ થઈ ગયા છે. જોકે હજૂ અમુક ગ્રામીણ વિસ્તારોમાં કાગડાઓ જોવા મળે છે. આ વખતે શ્રાદ્ધ પક્ષમાં દાન- પૂણ્યનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.જ્યારે કાગવાસ માટે જરૂરી કાગડાની ગેરહાજરીએ લોકોને નિરાશ કર્યા છે.

પિતૃ પક્ષની શરૂઆત થઇ છે ત્યારે ધાર્મિક માન્યતાઓ અનુસાર, મૃત પૂર્વજ આપણી સાથે પૃથ્વી પર 15 દિવસ આવે છે. આ સમયગાળામાં એમનું તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેઓ પ્રસન્ન થઇ આપણને સંપન્નતા અને ખુશીના આશીર્વાદ આપે છે. પિતૃપક્ષમાં તમે સામાન્ય રીતે જોયું હશે કે પિતૃઓ માટે કાગડાના ભોજન કરાવવામાં આવે છે, જેનું આ દરમિયાન વિશેષ મહત્વ છે.

કાગડાનું મૃત્યુ પછી શું કરે છે તેમના સાથીઓ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાગડો ક્યારેય પોતાની જાતને મારતો નથી અને ન તો તે કોઈ પણ પ્રકારના રોગને કારણે મૃત્યુ પામે છે. કાગડાઓ અચાનક મૃત્યુ પામે છે. જે દિવસે ટોળાનો કોઈપણ કાગડો મૃત્યુ પામે છે તે દિવસે તેના અન્ય કાગડા સાથી ખોરાક ખાતા નથી.

કાગડાને માનવામાં આવે છે પૂર્વજોનું પ્રતીક
પિતૃપક્ષ દરમિયાન કાગડાને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાગડો યમના પ્રતીક તરીકે ઓળખાય છે. આ સમય દરમિયાન, કાગડાઓની હાજરી પૂર્વજોની આસપાસ હોવાનો સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન કાગડાએ આખા 15 દિવસ સુધી ખોરાક ખાવો જોઈએ.

Most Popular

To Top