National

‘CM કેજરીવાલની હત્યાનું કાવતરું..’, AAP નેતાનો નવો દાવો

નવી દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં (Delhi liquor scam case) તિહાર જેલમાં (Tihar Jail) બંધ છે અને હવે તેમની તબિયતને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે ગઈકાલે એટલે કે શુક્રવારે અરવિંદ કેજરીવાલની અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં તેણે પોતાના આહારને લઈને કોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે (Saurabh Bharadwaj) શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમજ તેઓએ કેજરીવાલના સ્વાસ્થ્યને લગતી મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી.

સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના સીએમ કેજરીવાલજી એક નકલી કેસમાં જેલમાં છે, તેમની બીમારી વિશે પણ ખોટી વાતો કહેવામાં આવી રહી છે. બધા જાણે છે કે તેઓ 22 વર્ષથી ડાયાબિટીસના દર્દી છે. જેમાં જ્યારે દવાથી શુગર કંટ્રોલ ન થાય તો ઇન્સ્યુલિન લેવું પડે છે.

તેમજ એકવાર ઇન્સ્યુલિન શરૂ થઈ જાય પછી, મોંથી લેવામાં આવતી દવાઓની કોઈ અસર થતી નથી. જેલમાં એ મુખ્યમંત્રીને દવા આપવામાં આવી રહી નથી કે જેણી દિલ્હીમાં દરેકને મફત કોલેજ અને દવા આપી હતી.

EDનો કેજરીવાલ પર આરોપ
EDએ કેજરીવાલ પર મેડિકલ જામીનના કારણે જાણીજોઈને જેલની અંદર મીઠાઈ ખાવાનો આરોપ લગાવ્યો છે. EDએ કહ્યું કે કેજરીવાલ માટે તેમને ઘરેથી આવતા ભોજનમાં કેરી, મીઠાઈ અને પુરી શાક આપવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમનું શુગર લેવલ વધી રહ્યું છે.

કેજરીવાલની હત્યાનું કાવતરું
ભારદ્વાજે કહ્યું કે, કેજરીવાલને એક મશીન લગાવવામાં આવ્યું છે જેમાં 24 કલાક તેમનું સુગર મોનિટર થાય છે. કેજરીવાલે કહ્યુ હતુ કે, ‘મારી સુગર લેવલની નીચે છે, મને ઇન્સ્યુલિન આપો, જેલ પ્રશાસન કહે છે ના, તમારે ઇન્સ્યુલિનની જરૂર નથી. પરિસ્થિતિ એવી બની કે મારે ઇન્સ્યુલિન માટે કોર્ટમાં જવું પડ્યું.’ ભારદ્વાજે કહ્યું, હું દિલ્હીની જનતાને કહેવા માંગુ છું કે તમારા મુખ્યમંત્રી, જેમને તેઓ ઇન્સ્યુલિન નથી આપી રહ્યા, શું તેમનો જીવ ત્યાં સુરક્ષિત છે? આ એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.

કેજરીવાલ શું ઈચ્છે છે?
ભારદ્વાજે કહ્યું જો ઇન્સ્યુલિન ઉપલબ્ધ ન હોય તો તેમના મહત્વપૂર્ણ અંગોને નુકસાન થશે. આ એક મોટું ષડયંત્ર છે. કેજરીવાલને ધીમે ધીમે મારવામાં આવી રહ્યા છે. આ લોકો કેજરીવાલને ધીમે ધીમે મારવા માંગે છે. આ લોકો ધીમે ધીમે કેજરીવાલને જેલમાં મારી રહ્યા છે.

તેઓ કેજરીવાલના બહુવિધ અંગોને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે, તેઓ ઇચ્છે છે કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે ત્યારે પણ તેઓ લિવર અને કિડનીની સારવાર કરાવે અને પછી એક દિવસ તેમનું મૃત્યુ થાય. આ બધું એક ષડયંત્ર છે.

Most Popular

To Top