National

મહારાષ્ટ્ર જેવી હાલત હવે બિહારમાં થવાની છે: BJP નેતા સુશીલ મોદી

બિહાર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં ઉથલ પાથલ થયા પછી હવે બિહારનું (Bihar) રાજકારણ ગરમાયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિહારની નીતિશ કુમાર (Nitish Kumar) સરકારમાં ટૂંક સમયમાં મોટો ભૂકંપ જોવા મળી શકે છે. બિહારમાં પલટાઈ ગયેલા નેતાનું બિરુદ મેળવનાર નીતિશ કુમાર ક્યારે પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે છે એવું સૂત્રોનું કહેવું છે.

મહારાષ્ટ્ર બાદ હવે સમગ્ર દેશની નજર બિહારના રાજકારણ પર ટકેલી છે. બિહાર સરકારને લઈને અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે નીતીશ કુમાર ટૂંક સમયમાં ચૂંટણી પહેલા ફરીથી બીજેપીના ખોળામાં બેસી શકે છે જ્યારે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે તેમની પાર્ટી જેડીયુ પણ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. આવી સ્થિતિમાં બિહારની રાજનીતિમાં સર્જાયેલો ભૂકંપ ક્યાં શાંત થશે તે કહેવું ઘણું મુશ્કેલ બની ગયું છે. અને તેનો જવાબ પણ સમય જતાં જ મળશે.

પાર્ટી જેડીયુના ઘણા નેતાઓ નીતીશ કુમારથી નારાજ: સૂત્રો
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે વારંવાર પક્ષ બદલવાને કારણે માત્ર રાજકીય પક્ષોમાં જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેમની પાર્ટી જેડીયુના ઘણા નેતાઓ નીતીશ કુમારથી નારાજ છે અને વિવિધ મુદ્દાઓ પર અલગ-અલગ વિચાર ધરાવે છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર લાંબા સમય સુધી બિહારની સરકાર સંભાળી શકશે નહીં, કારણ કે તેમની પાર્ટીમાં ભાગલા થવાની સંભાવના વધી ગઈ છે. કેટલાક સૂત્રો કહી રહ્યા છે કે નીતિશ આવનારા તોફાનને ઓળખવામાં નિપુણ ખેલાડી છે. આવી સ્થિતિમાં તે વાવાઝોડાના આગમન પહેલા ભાજપ તરફ વળી શકે છે.

બિહારના રાજકારણમાં હલચલ
બીજેપી નેતા સુશીલ મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં NCPની આ હાલત બિહારમાં 2024માં રાહુલ ગાંધીને PM તરીકે પ્રોજેક્ટ કરવાના કારણે થઈ છે. મહારાષ્ટ્ર જેવી હાલત જ હવે બિહારમાં જેડીયુમાં થવાની છે. સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે જેડીયુના બહુમતી નેતાઓ પણ રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર તરીકે સ્વીકારશે નહીં. બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે જે ખેલ મહારાષ્ટ્રમાં થયો તે જ ખેલ બિહારમાં પણ થવાનો છે. જેના કારણે બિહારના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. નીતીશ પોતાની ખુરશી બચાવવા શું કરશે તે તો સમય જ કહેશે.

Most Popular

To Top