Business

હિંડનબર્ગના રીપોર્ટ સામે અદાણી ગ્રુપની આ બે કંપનીએ પોતાના ત્રિ-માસિક રિપોર્ટ રજૂ કર્યા

નવી દિલ્હી: છેલ્લાં કેટલાય સમયથી અદાણી ગ્રુપ (Adani Group) ઉપર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. હિડનબર્ગના રિપોર્ટ પછી તો શેર બજારમાં (Market) પણ તેના શેરના ભાવોમાં કડાકો બોલી ગયો છે. ત્યારે આજરોજ 8 ફેબ્રુઆરીના રોજ અદાણી ગ્રુપની બે કંપનીઓએ પોતાના પરિણામો રજૂ કર્યા હતાં. આજે બે કંપનીઓએ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા હતા. આમાં, ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ખાદ્ય તેલ ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિલ્મરનો સંકલિત ચોખ્ખો નફો 16 ટકા વધીને રૂ. 246.11 કરોડ થયો છે. આવકમાં વધારો થવાથી કંપનીનો નફો વધ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. 211.41 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલા સંદેશાવ્યવહારમાં, કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક વધીને રૂ. 15,515.55 કરોડ થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 14,398.08 કરોડ હતી. અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ ખાદ્ય તેલ અને અન્ય કેટલાક ખાદ્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે. તે અદાણી ગ્રૂપ અને સિંગાપોરના વિલ્મર વચ્ચેનું 50:50નું સંયુક્ત સાહસ છે.

જાણો ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો કોન્સોલિડેટેડની સ્થિત શું હતી
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 96 ટકા ઘટીને રૂ. 8.77 કરોડ થયો છે. ખર્ચમાં વધારાને કારણે કંપનીનો નફો ઘટ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 218.49 કરોડનો નફો કર્યો હતો. BSE ને ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેનો કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધીને રૂ. 8,078.31 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,389.24 કરોડ હતો. કંપની અને તેની પેટાકંપનીઓએ ક્વાર્ટર દરમિયાન સરેરાશ 42.1 ટકા ક્ષમતા (PLF) પર કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીનું વેચાણ 11.8 અબજ યુનિટ રહ્યું હતું. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 41 ટકા જ્યારે વેચાણ 10.6 અબજ યુનિટ હતું.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 96 ટકા ઘટીને રૂ. 8.77 કરોડ થયો છે. ખર્ચમાં વધારાને કારણે કંપનીનો નફો ઘટ્યો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 218.49 કરોડનો નફો કર્યો હતો. BSE ને ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેનો કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધીને રૂ. 8,078.31 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 5,389.24 કરોડ હતો. કંપની અને તેની પેટાકંપનીઓએ ક્વાર્ટર દરમિયાન સરેરાશ 42.1 ટકા ક્ષમતા (PLF) પર કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન કંપનીનું વેચાણ 11.8 અબજ યુનિટ રહ્યું હતું. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 41 ટકા જ્યારે વેચાણ 10.6 અબજ યુનિટ હતું.

અદાણી જૂથમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ જણાવ્યું કે..
અદાણી જૂથમાં સૌથી મોટા વિદેશી રોકાણકારો પૈકીના એક ફ્રાન્સની ટોટલ એનર્જીએ જણાવ્યું છે કે તેણે હાલમાં $50 બિલિયનના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં અદાણી જૂથ સાથેની ભાગીદારી અટકાવી દીધી છે. યુએસ ફાઇનાન્શિયલ રિસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ જૂથ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યા બાદ ટોટલ એનર્જીએ આ પગલું ભર્યું છે. અદાણી જૂથ સાથેની ભાગીદારીની જાહેરાત ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી પરંતુ કંપનીએ હજુ સુધી કરાર પર હસ્તાક્ષર કર્યા નથી, એમ ફ્રેન્ચ જૂથના ચીફ એક્ઝિક્યુટિવ પેટ્રિક પૌયને ફોન પર જણાવ્યું હતું. જૂન 2022માં જાહેર કરાયેલી જાહેરાત મુજબ, ટોટલએનર્જીએ અદાણી ગ્રુપની કંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL)માં 25 ટકા હિસ્સો હસ્તગત કરવાનો હતો. કંપની ગ્રીન હાઇડ્રોજન પર્યાવરણમાં 10 વર્ષમાં લગભગ $50 બિલિયનનું રોકાણ કરી રહી છે. તેની પ્રારંભિક ક્ષમતા 2030 પહેલા એક અબજ ટન હોવાનો અંદાજ છે.

Most Popular

To Top