Vadodara

આણંદના અંબા માતાના મંદિર ખાતે મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું

આણંદ | પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘મન કી બાત’નો કાર્યક્રમ આણંદ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા અંબા માતાજીના મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ, આણંદ શહેર સંગઠન પ્રમુખ મયુરભાઈ પટેલ, અમિતભાઇ ઠાકોર, આણંદ નગરપાલિકાના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને નિહાળ્યો હતો.

Most Popular

To Top