આજના વૈશ્વિકીકરણના યુગમાં દુનિયાના કોઈ એક ખૂણે આવતી આર્થિક સુનામીની અસર આખા વિશ્વનાં બજારો પર પડતી હોય છે. જૂન ૨૦૨૬ના પ્રારંભમાં આવી જ એક મોટી ઘટના દક્ષિણ કોરિયાના શેરબજારમાં ઘટી, જેણે સમગ્ર વિશ્વનાં રોકાણકારોને ચિંતામાં મૂકી દીધાં છે. દક્ષિણ કોરિયાનો મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ KOSPI ૮ જૂનના રોજ અચાનક ૮.૩% જેટલો તૂટી ગયો. બજારમાં વેચવાલી એટલી તીવ્ર હતી કે ટ્રેડિંગ રોકવા માટે ‘સર્કિટ બ્રેકર’ લગાવવું પડ્યું હતું.
KOSPI એ દક્ષિણ કોરિયાનું મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે (જેમ ભારતમાં સેન્સેક્સ અને નિફ્ટી છે). આ ઇન્ડેક્સમાં સેમસંગ અને એસકે હાયનિક્સ જેવી વિશ્વવિખ્યાત સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી કંપનીઓનો મોટો હિસ્સો છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના અસાધારણ boomના કારણે આ ઇન્ડેક્સમાં ૭૦%થી ૧૦૦% સુધીનો જંગી ઉછાળો આવ્યો હતો, પરંતુ નફાખોરી અને વૈશ્વિક દબાણના કારણે તે અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી પછીની આ સૌથી મોટી એકદિવસીય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.
દક્ષિણ કોરિયાના બજારમાં આવેલા આ કડાકા પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે બનેલી કેટલીક નકારાત્મક ઘટનાઓ જવાબદાર છે. KOSPI ઇન્ડેક્સમાં એકમાત્ર સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ જેવી ટેક કંપનીઓનું વજન ૪૦% કરતાં વધારે છે. અમેરિકાની મોટી ટેક કંપની Broadcomનાં ત્રિમાસિક પરિણામો નબળાં આવ્યાં અને અમેરિકન બજારોમાં AI શેરની તેજી નબળી પડવા લાગી. આના કારણે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી શેરોમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ, જેની સીધી અસર કોરિયાના બજાર પર પડી અને સેમસંગ જેવી કંપનીઓના શેર એક જ દિવસમાં ૬ થી ૧૨% સુધી તૂટી ગયા.
ઉપરાંત અમેરિકાની ‘ફેડરલ રિઝર્વ’ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે એવી શક્યતા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ તેમજ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી જવાબદાર ગણી શકાય. કોરિયાના આ ક્રેશની અસર ‘ડોમિનો ઇફેક્ટ’ની જેમ સમગ્ર વિશ્વનાં બજારોમાં જોવા મળી. બજાર તૂટવાના ડરે રોકાણકારોએ શેરો વેચીને સોના જેવી સુરક્ષિત સંપત્તિ ખરીદવાનું શરૂ કર્યું, જેને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેરબજાર હવે વૈશ્વિક બજારો સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલું છે.
આથી, જ્યારે કોરિયન બજાર તૂટ્યું, ત્યારે તેની અસર ભારતના શેરબજારમાં પણ જોવા મળી. ભારતીય બજાર ઘટવાનાં મુખ્ય કારણો જોઈએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) જ્યારે વૈશ્વિક સ્તરે સાવચેતીનો અભિગમ અપનાવે છે, ત્યારે તેઓ ભારત જેવા ઉભરતાં બજારોમાંથી પણ અસ્થાયી રૂપે નાણાં ખેંચી લે છે. બીજું, ભારતની ઘણી ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમેરિકા અને દક્ષિણ કોરિયાની સપ્લાય ચેઈન સાથે જોડાયેલી છે. કોરિયાની ટેક કંપનીઓ પર સંકટ આવતા ભારતીય આઈટી સેક્ટરમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું. ઉપરાંત કાચા તેલના ભાવ વધવાથી ભારત માટે આયાત મોંઘી બને છે, જેનાથી રૂપિયો નબળો પડે છે અને દેશમાં મોંઘવારી વધવાની ચિંતા ઊભી થાય છે.
જો કે, સૌથી રાહતની વાત એ રહી કે જ્યારે અન્ય એશિયાઈ બજારો ૪% થી ૮% સુધી તૂટી રહ્યા હતા, ત્યારે આપણું ભારતીય બજાર માત્ર ૧%ની આસપાસ ઘટીને સ્થિર થઈ ગયું. ભારત આ મોટી સુનામી સામે મજબૂતાઈથી ટકી રહ્યું તેનાં મુખ્ય કારણો જોઈએ તો ભારતમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) જેવા કે મ્યુચ્યુઅલ ફંડ્સ, એલઆઈસી અને સામાન્ય ભારતીયો દ્વારા થતું SIPનું રોકાણ એટલું મજબૂત છે કે વિદેશીઓની વેચવાલી સામે બજારને મોટો ટેકો મળી રહે છે. ભારતનો જીડીપી ગ્રોથ રેટ વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો સારો છે. જ્યારે આઈટી શેરો તૂટી રહ્યા હતા, ત્યારે નિફ્ટી બેન્કિંગ અને કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરમાં ખરીદી નીકળતાં બજારને મોટો કડાકો ખાતાં બચાવી લીધું.
શું આ લાંબા ગાળાની મંદી છે?
શેરબજારના ઇતિહાસ પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે જ્યારે કોઈ પણ ઇન્ડેક્સ ટૂંકા સમયમાં બહુ મોટી તેજી જોઈ લે છે, ત્યારે તેમાં મોટો ઘટાડો આવવો સ્વાભાવિક છે. આને માર્કેટની ભાષામાં ‘પ્રોફિટ બુકિંગ’કે ‘કરેક્શન’ કહેવામાં આવે છે. ભારતીય બજારે પણ વર્ષ ૨૦૨૦ (કોરોના કાળ) અને ૨૦૨૪-૨૫ દરમિયાન આવી અનેક વૈશ્વિક અસ્થિરતાઓ જોઈ છે. ૨૦૦૮ની મહામંદી હોય કે યુદ્ધની પરિસ્થિતિ, બજાર થોડા સમય માટે ચોક્કસ ઘટે છે, પરંતુ દેશના આર્થિક પાયા મજબૂત હોય તો તે બમણી ઝડપે પાછું ઊભું થઈ જાય છે. જો તમે શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમારા માટે આ ઘટના ત્રણ મહત્ત્વના પાઠ શીખવે છે: તમારાં બધાં નાણાં ક્યારેય કોઈ એક સેક્ટર (જેમ કે માત્ર IT કે માત્ર સેમિકન્ડક્ટર)માં ન રોકો. હંમેશા અલગ-અલગ સેક્ટર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં વહેંચીને રોકો જેથી જોખમ ઘટે. ટૂંકા ગાળાના ટ્રેડિંગમાં હંમેશા ‘સ્ટોપ-લોસ’નો ઉપયોગ કરો અને લાંબા ગાળાના વિઝન સાથે રોકાણ ચાલુ રાખો. બજારના આવા કડાકા ગુણવત્તાવાળા શેર સસ્તા ભાવે ખરીદવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
માત્ર સ્થાનિક સમાચાર જ નહીં, પરંતુ અમેરિકાના વ્યાજદર, આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વિદેશી રોકાણકારોના વલણ પર પણ નજર રાખવી જરૂરી છે. જૂન ૨૦૨૬નો આ KOSPI ક્રેશ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે આજના સમયમાં દુનિયાનાં અર્થતંત્રો એકબીજા સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલાં છે. ભારતીય બજારો પર તેની અસર મર્યાદિત રહી તે સાબિત કરે છે કે આપણું આર્થિક માળખું અને ડિજિટલ અર્થતંત્ર ખૂબ જ સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે. આવા સમયે સામાન્ય રોકાણકારોએ ગભરાઈને નુકસાનમાં શેર વેચવાના બદલે ધીરજ અને સમજદારીથી કામ લેવું જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાનાં આ વાદળો વચ્ચે પણ ભારતની મજબૂત આર્થિક સ્થિતિ વિશ્વભરનાં રોકાણકારો માટે એક આશાનું કિરણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આજના વૈશ્વિકીકરણના યુગમાં દુનિયાના કોઈ એક ખૂણે આવતી આર્થિક સુનામીની અસર આખા વિશ્વનાં બજારો પર પડતી હોય છે. જૂન ૨૦૨૬ના પ્રારંભમાં આવી જ એક મોટી ઘટના દક્ષિણ કોરિયાના શેરબજારમાં ઘટી, જેણે સમગ્ર વિશ્વનાં રોકાણકારોને ચિંતામાં મૂકી દીધાં છે. દક્ષિણ કોરિયાનો મુખ્ય સ્ટોક ઇન્ડેક્સ KOSPI ૮ જૂનના રોજ અચાનક ૮.૩% જેટલો તૂટી ગયો. બજારમાં વેચવાલી એટલી તીવ્ર હતી કે ટ્રેડિંગ રોકવા માટે ‘સર્કિટ બ્રેકર’ લગાવવું પડ્યું હતું.
KOSPI એ દક્ષિણ કોરિયાનું મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે (જેમ ભારતમાં સેન્સેક્સ અને નિફ્ટી છે). આ ઇન્ડેક્સમાં સેમસંગ અને એસકે હાયનિક્સ જેવી વિશ્વવિખ્યાત સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી કંપનીઓનો મોટો હિસ્સો છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના અસાધારણ boomના કારણે આ ઇન્ડેક્સમાં ૭૦%થી ૧૦૦% સુધીનો જંગી ઉછાળો આવ્યો હતો, પરંતુ નફાખોરી અને વૈશ્વિક દબાણના કારણે તે અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. ૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદી પછીની આ સૌથી મોટી એકદિવસીય ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.
દક્ષિણ કોરિયાના બજારમાં આવેલા આ કડાકા પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ વૈશ્વિક સ્તરે બનેલી કેટલીક નકારાત્મક ઘટનાઓ જવાબદાર છે. KOSPI ઇન્ડેક્સમાં એકમાત્ર સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ જેવી ટેક કંપનીઓનું વજન ૪૦% કરતાં વધારે છે. અમેરિકાની મોટી ટેક કંપની Broadcomનાં ત્રિમાસિક પરિણામો નબળાં આવ્યાં અને અમેરિકન બજારોમાં AI શેરની તેજી નબળી પડવા લાગી. આના કારણે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી શેરોમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ, જેની સીધી અસર કોરિયાના બજાર પર પડી અને સેમસંગ જેવી કંપનીઓના શેર એક જ દિવસમાં ૬ થી ૧૨% સુધી તૂટી ગયા.
ઉપરાંત અમેરિકાની ‘ફેડરલ રિઝર્વ’ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે એવી શક્યતા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો તણાવ તેમજ વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી જવાબદાર ગણી શકાય. કોરિયાના આ ક્રેશની અસર ‘ડોમિનો ઇફેક્ટ’ની જેમ સમગ્ર વિશ્વનાં બજારોમાં જોવા મળી. બજાર તૂટવાના ડરે રોકાણકારોએ શેરો વેચીને સોના જેવી સુરક્ષિત સંપત્તિ ખરીદવાનું શરૂ કર્યું, જેને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેરબજાર હવે વૈશ્વિક બજારો સાથે ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલું છે.
આથી, જ્યારે કોરિયન બજાર તૂટ્યું, ત્યારે તેની અસર ભારતના શેરબજારમાં પણ જોવા મળી. ભારતીય બજાર ઘટવાનાં મુખ્ય કારણો જોઈએ તો વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) જ્યારે વૈશ્વિક સ્તરે સાવચેતીનો અભિગમ અપનાવે છે, ત્યારે તેઓ ભારત જેવા ઉભરતાં બજારોમાંથી પણ અસ્થાયી રૂપે નાણાં ખેંચી લે છે. બીજું, ભારતની ઘણી ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અમેરિકા અને દક્ષિણ કોરિયાની સપ્લાય ચેઈન સાથે જોડાયેલી છે. કોરિયાની ટેક કંપનીઓ પર સંકટ આવતા ભારતીય આઈટી સેક્ટરમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું. ઉપરાંત કાચા તેલના ભાવ વધવાથી ભારત માટે આયાત મોંઘી બને છે, જેનાથી રૂપિયો નબળો પડે છે અને દેશમાં મોંઘવારી વધવાની ચિંતા ઊભી થાય છે.
જો કે, સૌથી રાહતની વાત એ રહી કે જ્યારે અન્ય એશિયાઈ બજારો ૪% થી ૮% સુધી તૂટી રહ્યા હતા, ત્યારે આપણું ભારતીય બજાર માત્ર ૧%ની આસપાસ ઘટીને સ્થિર થઈ ગયું. ભારત આ મોટી સુનામી સામે મજબૂતાઈથી ટકી રહ્યું તેનાં મુખ્ય કારણો જોઈએ તો ભારતમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) જેવા કે મ્યુચ્યુઅલ ફંડ્સ, એલઆઈસી અને સામાન્ય ભારતીયો દ્વારા થતું SIPનું રોકાણ એટલું મજબૂત છે કે વિદેશીઓની વેચવાલી સામે બજારને મોટો ટેકો મળી રહે છે. ભારતનો જીડીપી ગ્રોથ રેટ વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો સારો છે. જ્યારે આઈટી શેરો તૂટી રહ્યા હતા, ત્યારે નિફ્ટી બેન્કિંગ અને કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરમાં ખરીદી નીકળતાં બજારને મોટો કડાકો ખાતાં બચાવી લીધું.
શું આ લાંબા ગાળાની મંદી છે?
શેરબજારના ઇતિહાસ પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે જ્યારે કોઈ પણ ઇન્ડેક્સ ટૂંકા સમયમાં બહુ મોટી તેજી જોઈ લે છે, ત્યારે તેમાં મોટો ઘટાડો આવવો સ્વાભાવિક છે. આને માર્કેટની ભાષામાં ‘પ્રોફિટ બુકિંગ’કે ‘કરેક્શન’ કહેવામાં આવે છે. ભારતીય બજારે પણ વર્ષ ૨૦૨૦ (કોરોના કાળ) અને ૨૦૨૪-૨૫ દરમિયાન આવી અનેક વૈશ્વિક અસ્થિરતાઓ જોઈ છે. ૨૦૦૮ની મહામંદી હોય કે યુદ્ધની પરિસ્થિતિ, બજાર થોડા સમય માટે ચોક્કસ ઘટે છે, પરંતુ દેશના આર્થિક પાયા મજબૂત હોય તો તે બમણી ઝડપે પાછું ઊભું થઈ જાય છે. જો તમે શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમારા માટે આ ઘટના ત્રણ મહત્ત્વના પાઠ શીખવે છે: તમારાં બધાં નાણાં ક્યારેય કોઈ એક સેક્ટર (જેમ કે માત્ર IT કે માત્ર સેમિકન્ડક્ટર)માં ન રોકો. હંમેશા અલગ-અલગ સેક્ટર્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં વહેંચીને રોકો જેથી જોખમ ઘટે. ટૂંકા ગાળાના ટ્રેડિંગમાં હંમેશા ‘સ્ટોપ-લોસ’નો ઉપયોગ કરો અને લાંબા ગાળાના વિઝન સાથે રોકાણ ચાલુ રાખો. બજારના આવા કડાકા ગુણવત્તાવાળા શેર સસ્તા ભાવે ખરીદવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
માત્ર સ્થાનિક સમાચાર જ નહીં, પરંતુ અમેરિકાના વ્યાજદર, આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વિદેશી રોકાણકારોના વલણ પર પણ નજર રાખવી જરૂરી છે. જૂન ૨૦૨૬નો આ KOSPI ક્રેશ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે આજના સમયમાં દુનિયાનાં અર્થતંત્રો એકબીજા સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલાં છે. ભારતીય બજારો પર તેની અસર મર્યાદિત રહી તે સાબિત કરે છે કે આપણું આર્થિક માળખું અને ડિજિટલ અર્થતંત્ર ખૂબ જ સુરક્ષિત અને મજબૂત સ્થિતિમાં છે. આવા સમયે સામાન્ય રોકાણકારોએ ગભરાઈને નુકસાનમાં શેર વેચવાના બદલે ધીરજ અને સમજદારીથી કામ લેવું જોઈએ. વૈશ્વિક અનિશ્ચિતતાનાં આ વાદળો વચ્ચે પણ ભારતની મજબૂત આર્થિક સ્થિતિ વિશ્વભરનાં રોકાણકારો માટે એક આશાનું કિરણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.