Vadodara

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા પૂનમ નિમિત્તે વડોદરામાં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે દિવ્યાગ લોકો માટે ગરબાનુ આયોજન કરાયું…

આધ્યા શક્તિમાં આંબાની આરાધનાના પર્વ નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી દ્વારા પૂનમ નિમિત્તે વડોદરા શહેર માં આવેલ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે વિકલાંગો માટે ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિકલાંગો મન મૂકીને ઉત્સાહભેર ગરબે રમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. આ વેળાએ માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે અનોખા દ્રશ્ય સર્જાયા હતા.


ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. આ વાતને વડોદરા ના દિવ્યાંગોએ સાર્થક કરી બતાવી હતી. અમુક દિવ્યાંગોને ચાલવું પણ મુશ્કેલ હોય છે. આવા સમયે તેઓએ ગરબે રમી પોતાની તાકાતમાં પરચો આપ્યો હતો
આ કાર્યકમ માં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ના અધ્યક્ષ ગૌરવ પવળે, મંડળીના સભ્યો, પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વોર્ડ નંબર નવના પૂર્વ નગર સેવક રાજેશભાઈ આયરે સાથે સામાજિક આગેવાનો સાથે માનસિક આરોગ્ય હોસ્પિટલ ના કર્મચારીઓ સાથે હોસ્પિટલ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી ના અધ્યક્ષ ગૌરવ પવળે એ જણાવ્યું કે…

Most Popular

To Top