Vadodara

વડોદરા: વાઘોડિયા રોડ પર વાજતે ગાજતે વિસર્જન, અગ્રવાલ સમાજની સેવા

બપોરે બાર વાગ્યા પછી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ તથા સરદાર એસ્ટેટ લેપ્રસી મેદાન તરફ જવાના વૃંદાવન ચારરસ્તા વાઘોડિયારોડ ખાતે લોકો પોતાની ગાડીઓ, ટુવ્હિલર તથા ટેમ્પોમા શ્રીજીને વાજતેગાજતે ગરબા સાથે ભાવભીની વિદાય વિસર્જન માટે લ ઇ જતાં હતા.

પાલિકા તંત્ર દ્વારા સવારથી જ આ રોડ પર સફાઇ કરવામાં આવી હતી. સમગ્ર રુટ પર અગ્રવાલ સમાજ તથા વેપારી મંડળો દ્વારા શ્રધ્ધાળુઓ માટે નાસ્તા, પાણી, છાસના વિતરણની સેવા માટે સ્ટોલ્સ તૈયાર કરવામાં આવ્યા છે. વેપારી નરેન્દ્ર અગ્રવાલ તથા સમગ્ર અગ્રવાલ સમાજ દ્વારા વૃંદાવન ચારરસ્તા થી એસ.એસ.વી.સ્કૂલ સુધીના કૃત્રિમ તળાવ સુધીમાં પાંચ સેવા સ્ટોલ્સ દર વર્ષની માફક આ વર્ષે પણ ઉભા કરવામાં આવ્યા છે. શ્રધ્ધાળુઓ રોડપર શ્રીજી સામે ગરબા રજૂ કરી પ્રસન્ન કરતાં નજરે પડ્યાં હતાં.

Most Popular

To Top