National

અયોધ્યામાં 95 બાળકોને રેક્સ્યુ કરાયા, આવી રીતે ફસાયા હતા મદરેસા માટેની જાળમાં

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી ગેરકાયદેસર રીતે ઉત્તરપ્રદેશ લાવવમાં આવ્યા હતા. તેમજ તમને કોઇ પણ વસ્તુની જાણ ન હતી, કે તેમને શા માટે અહીં લાવવમાં આવ્યા છે. તેમની પુછતાછમાં ફક્ત એટલું જ જાણી શકાયું કે કોઇ હાફીઝજીએ તેમની માતાને કહીં તેમને ભેગા કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ બાળ કલ્યાણ સંસ્થાએ અયોધ્યામાં એક બસમાંથી 93 બાળકોને બચાવ્યા છે. લઘુમતી સમુદાયના આ બાળકોને બિહારના અરરિયાથી યુપીના મદરેસામાં લાવવામાં આવી રહ્યા હતા. આ બસમાં 93 બાળકો ઉપરાંત બે ડઝનથી વધુ મુસાફરો પણ મુસાફરી કરી રહ્યા હતા. આ સાથે જ બસમાં એવા ઘણા બાળકો છે જેમના માતાપિતા નથી. બાળ કલ્યાણ સમિતિનું કહેવું છે કે સમગ્ર મામલામાં એક મોટું કૌભાંડ અને છેતરપિંડી હોવાની સંભાવના છે.

આ 95 બાળકોમાં ઘણા એવા બાળકોનો સમાવેશ થાય છે કે જેમના માતા-પિતા નથી તેવા બાળકોને રેસ્ક્યુ બાદ હાલ માટે તેઓને આશ્રય ગૃહોમાં રાખવામાં આવશે. તેમજ જે બાળકોના માતા પિતા હયાત છે તેવા બાળકોના માતા પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ 93 બાળકોની ઉંમર 5 વર્ષથી 9 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. આ બાળકોને બાળ કલ્યાણ સમિતિના લોકોએ અયોધ્યાના દેવકાલી ચારરસ્તા પાસે બસમાંથી બચાવ્યા હતા. જે બસમાંથી બાળકોનું રેસ્ક્યુ કરાયુ હતુ તે બસમાં બાળકોને પશુઓની જેમ ભરવામાં આવ્યા હતા. બાળ કલ્યાણ સમિતિના સભ્યોનું કહેવું છે કે આમાંથી ઘણા બાળકોના આધાર કાર્ડ નકલી હોઈ શકે છે. તેમજ આ મામલો કોઈ મોટા ષડયંત્રનો ભાગ પણ હોઈ શકે છે.

Most Popular

To Top