National

કોલકાતામાં ઇમારત ધરાશાયી થતા 9ના મોત

કોલકાતા: દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તેમજ 13 લોકોને ઇમારતના કાટમાળમાથી બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે હાજર છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ બંગાળ સરકારના મંત્રી સુજીત બોઝ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે કાટમાળ નીચે દટાઈ જવાથી નવ લોકોના મોત થયા છે. 13 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા છે. આ સાથે જ બંગાળના મુખ્યમમંત્રી મમતા બેનર્જી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ઘટનાની માહિતી મેળવી હતી.

આ ઘટના વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાજેતરમાં જ તેમને માથામાં ઈજા થઈ હતી. માથા પર પટ્ટી બાંધેલી હોવા છતાં મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની માહિતી લીધી હતી. તેમણે સ્થાનિક રહીશોને ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે સરકાર દરેક મૃતક અને ઘાયલ વ્યક્તિના પરિવારને વળતર આપશે.

“આ એક ગેરકાયદેસર બાંધકામ છે.” તેમણે હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા પછી કહ્યું, ‘હું પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હું વહીવટીતંત્રને વિનંતી કરીશ કે ગેરકાયદેસર બાંધકામમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવામાં આવે.’

13 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે
અગાઉ સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની આશંકા છે. તેથી જ સર્ચ ઓપરેશન ચાલુ છે. સ્થળ પર એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. તે જ સમયે, એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે બાંધકામ હેઠળની ઇમારતમાં કોઈ રહેતું નથી. પરંતુ બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટી પર મકાન ધરાશાયી થયું હતું. અમને આશંકા છે કે લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.

વિપક્ષના નેતાએ પણ ટ્વીટ કર્યું
બંગાળના વિપક્ષના નેતા સુભેન્દુ અધિકારીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હજારી મોલ્લા બગાના, મેટિયાબ્રુઝમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. જે કોલકાતા મેયર ફિરહાદ હકીમનો ગઢ છે. તેમણે કહ્યું કે પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ સ્થળ પર હાજર છે.

Most Popular

To Top