Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 16 કેસ, સુરત મનપામાં 5 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરા મનપામાં 6 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં 5 નવા કેસ નોંધાયા છે. તો વળી શનિવો 12 દર્દી સાજા પણ થયા છે.

શનિવારે કોરોનાના વધુ 16 નવા કેસ નોંધાવા પામ્યા છે. જેમાં વડોદરા મનપામાં 6, સુરત મનપામાં 5, અમદાવાદ મનપામાં 2, ગીર સોમનાથ, મહેસાણા, રાજકોટ મનપામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. તો રાજ્યમાં 12 દર્દી સાજા થયા છે.

આમ અત્યાર સુધીમાં કુલ 8,15,356 દર્દી સાજા થતાં સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 162 થઈ છે. જ્યારે 158 દર્દી સ્ટેબલ છે, તેમાંથી 04 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં શનિવારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 1,47,720 અને બીજો ડોઝ 1,25,866, જ્યારે હેલ્થ કેર વર્કર અને ફન્ટલાઈન વર્કર પ્રથમ ડોઝ 14 અને બીજો ડોઝ 4,529, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 50,679 અને બીજો ડોઝ 44,543 મળી શનિવારે કુલ 3,73,351 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કુલ 5,22,53,771 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top