Gujarat

કોરોનાકાળ શરૂ થયો પછી પહેલી વખત રાજ્યમાં પોઝિટિવ કેસ 100ની અંદર, ફક્ત 96 દર્દી

રાજ્યમાં આજે કોરોનાના નવા વધુ 96 કેસ નોંધાયા છે. જ્યારે વધુ ત્રણ દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 10,054 થયો છે.આજે 315 દર્દીઓ સાજા થતાં સાજા થવાના દર 98.36 ટકા થયો છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓ સાજા થયા છે. આજે વધુ ત્રણ દર્દીઓ મૃત્યુ પામ્યાં છે. તેમાં અમદાવાદ મનપા, તાપી અને છોટાઉદેપુરમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે.

આજે નવા 96 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપા 21, સુરત મનપામાં 11, સુરત ગ્રામ્યમા 03, વડોદરા મનપામાં 10, વડોદરા ગ્રામ્ય 06, રાજકોટ મનપામાં 08 અને અમરેલીમાં 06 નવા દર્દીઓ નોંધાયા છે.રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 3,465 થઈ છે. 14 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 3,451 દર્દીઓ સ્ટેબલ છે.

આજે 2,49,125 વ્યકિતઓને રસી આપવામાં આવી
45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 41,148, બીજો ડોઝ 54,197 વ્યક્તિને આપવામાં આવ્યા છે. તેવી જ રીતે હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 177, અને બીજો ડોઝ 9,358ને આપવામાં આવ્યો છે. જ્યારે 18 થી 45 વર્ષ સુધીના વ 1,38,740 વ્યક્તિને પ્રથમ અને 5504 વ્યક્તિને બીજો ડોઝ આપવમાં આવ્યો છે આમ કુલ 2,49,125 વ્યકિતઓને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,51,28,252 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top