Gujarat

રાજ્યમાં કોરોનાના નવા 14,120 કેસ, 174નાં મોત

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 14,120 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આજે અમદાવાદ મનપામાં 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 174 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 6830 થયા છે. સુરત મનપામાં 16, અમદાવાદ મનપામાં 26, વડોદારમાં 11, રાજકોટમાં 9, જામનગરમાં 14, જૂનાગઢમાં 3, જામનગર મનપામાં 11, કચ્છમાં 10, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગર 8 સહિત કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.

બીજી તરફ આજે 8595 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,98,824 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 74.01 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 5672, સુરત મનપામાં 1764, વડોદરા મનપામાં 622, રાજકોટ મનપામાં 363, ભાવનગર મનપામાં 250, ગાંધીનગર મનપામાં 162, જામનગર મનપામાં 407 અને જૂનાગઢ મનપામાં 110 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 352, તાપી 148, ભરૂચ 123, નવસારી 140, વલસાડ 119 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,33,191 વેન્ટિલેટર ઉપર 421 અને 1,32,770 દર્દીઓ સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં કુલ 95,64,559 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 21,93,303 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,17,57,862 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 47,432 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 75,571 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top