Entertainment

આમિર ખાન એવોર્ડ શોમાં કેમ નથી જતો? ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના પ્રોમોમાં કર્યો મોટો ખુલાસો

મુંબઈ: બોલિવુડના (Bollywood) સુપર સ્ટાર આમિર ખાન (AamirKhan) ક્યારેય કોઈ એવોર્ડ (Award) ફંકશનમાં જોવા મળતો નથી. નેશનલ એવોર્ડ અને ઓસ્કાન એવોર્ડ સમારોહમાં આમિર ખાન દેખાય છે, પરંતુ ફિલ્મફેર, આઈફા સહિતના બોલિવુડના અન્ય એવોર્ડ સમારોહમાં તે ક્યારેય નજરે પડતો નથી. આખરે આમિર ખાન એવોર્ડ લેવા કેમ જતો નથી? તે અંગે ખુદ આમિર ખાને ખુલાસો કર્યો છે, ચાલો જાણીએ શું છે તેની પાછળનું કારણ..

‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ના (The Great Indian Kapil Show) આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ એપિસોડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન જોવા મળશે. શોનો પ્રોમો જોઈને એવું લાગી રહ્યું છે કે નવો એપિસોડ ઘણો જ રસપ્રદ બનવા જઈ રહ્યો છે, કારણ કે આમિર ખાન તેમાં પોતાના વિશે ઘણી મહત્વની વાતો કહેવા જઈ રહ્યો છે. કપિલ શર્મા તેની કારકિર્દી સાથે જોડાયેલા ઘણા મોટા પ્રશ્નો પૂછતો જોવા મળશે.

કપિલે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આમિર તેના શોમાં આવશે. કપિલ શર્માને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે આમિર ખાન તેના શોમાં દેખાશે. સાથે જ આમિર ખાન કહી રહ્યો છે કે મારા બાળકો મારી વાત બિલકુલ સાંભળતા નથી. મેં પહેરેલાં કપડાં વિશે લાંબી ચર્ચા થઈ. હું ચડ્ડી પહેરીને આવવાનો હતો. આમિરના આ નિવેદન પર દર્શકો હસે છે.

એટલા માટે આમિર એવોર્ડ શોમાં નથી જતો
જ્યારે અર્ચના પુરણ સિંહે આમિર ખાનને પૂછ્યું કે તે કોઈ એવોર્ડ શોમાં કેમ નથી જતા, તો આમિરે હસીને કહ્યું કે સમય ઘણો કિંમતી છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો જોઈએ. કપિલ શર્માએ આમિરને પૂછ્યું કે શું તેને લાગે છે કે તેણે સેટલ થવું જોઈએ? કપિલનો આ પ્રશ્ન પ્રોમોના અંતમાં આવે છે, તેથી તેનો જવાબ એપિસોડ રિલીઝ થયા પછી જ મળશે. 

Most Popular

To Top