Columns

ઈઝરાયેલ કયા સંજોગોમાં ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકી શકે?

ઝરાયલ પર 13 એપ્રિલની રાતે ઈરાને કરેલા મિસાઇલ હુમલાને કારણે મધ્ય પૂર્વમાં તણાવનો ખતરો વધી ગયો છે. ઈરાને કરેલા હુમલાઓને કારણે ઇઝરાયલમાં કોઈ મોટું નુકસાન તો ન થયું. જો કે ઈરાન તરફથી છોડવામાં આવેલી 300થી વધુ મિસાઇલોએ દૂરનાં લક્ષ્યો પર હુમલો કરવાની તેની ક્ષમતાને સામે લાવી છે. ઇઝરાયલ ગાઝામાં પહેલાંથી જ લડાઈ લડી રહ્યું છે. ઇઝરાયલ સીમા પર લેબનાનના હિઝબુલ્લાહ ગ્રુપ તરફથી કરવામાં આવતા હુમલાઓનો પણ સામનો કરી રહ્યું છે. ઇઝરાયલની સેનાના પ્રમુખ લેફ્ટેનન્ટ કર્નલ હરજેઈએ કહ્યું કે તેમનો દેશ હુમલાનો જવાબ આપશે. બીજી તરફ ઈરાનના ડેપ્યુટી વિદેશ મંત્રી અલી બધેરી કાનીએ કહ્યું કે ઈરાન હુમલાનો જવાબ કલાકોમાં નહીં સેંકડોમાં આપશે.
પહેલો અહેવાલ ઈઝરાયેલની સરકારી મીડિયા સંસ્થા કાનમાં પ્રકાશિત થયો છે. ઈઝરાયેલના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નેતન્યાહુએ 14 એપ્રિલે જ ઈરાન પર વળતો હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. યુદ્ધ કેબિનેટની બેઠકમાં મોટાભાગનાં લોકો તેમની સાથે સહમત હતા. તે ઈરાનમાં ઘૂસીને હત્યા કરવાના પક્ષમાં હતા. ત્યાર પછી નેતન્યાહુને US પ્રમુખ જો બાઈડેનનો ફોન આવ્યો હતો. જે બાદ ઈરાન સામે કાર્યવાહી કરવાની યોજના પર ઠંડું પાણી રેડી દેવામાં આવ્યું હતું. ઇઝરાયેલ જવાબ આપશે, મોટા પાયે આપશે એ નક્કી છે.
એક અહેવાલ કતારની મીડિયા સંસ્થા ‘ધ ન્યૂ અરબ’ તરફથી આવ્યો છે. આ મુજબ અમેરિકાએ રફાહ પર હુમલાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. રફાહ ગાઝા પટ્ટીનું સૌથી દક્ષિણનું શહેર છે. તે ઇજિપ્તની સરહદે છે. ઈઝરાયેલનો દાવો છે કે આ શહેર હમાસનો છેલ્લો ગઢ છે. અહીં બંધકોને રાખવામાં આવ્યા છે. ઈઝરાયેલે ફેબ્રુઆરીમાં જ રફાહ પર હુમલો કરવાનું મન બનાવી લીધું હતું. તેની સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પરંતુ અમેરિકાના દબાણ બાદ તેણે પીછેહઠ કરવી પડી હતી. હવે અમેરિકાએ દબાણ દૂર કર્યું છે. તેના બદલામાં ઈઝરાયેલ ઈરાન પર કોઈ મોટો હુમલો નહીં કરે તેવું વચન લેવામાં આવ્યું છે.
જો કે આ અંગે નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે. કેટલાકનું કહેવું છે કે ઈરાને જે રીતે હુમલો કર્યો હતો તેવી જ રીતે મિસાઈલ છોડવામાં આવશે. કેટલાંક લોકો ઇન્ટેલિજન્સ ઓપરેશનના વિકલ્પમાં માને છે. કેટલાક માને છે કે ઈરાનના પ્રોક્સી જૂથોને નિશાન બનાવવામાં આવશે. કેટલાંક લોકોનો દાવો છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટનો નાશ કરવામાં આવશે.આમાંથી, ન્યુક્લિયર પ્લાન્ટ્સ સાથેનો વિકલ્પ સૌથી સચોટ અને બોલ્ડ લાગે છે. આનાં ત્રણ કારણો છે. નંબર 1.
13 એપ્રિલે ઈરાને ઈતિહાસમાં પ્રથમ વખત ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હતો. આમાં કોઈ મોટું નુકસાન થયું નથી પરંતુ ઈઝરાયેલની અભેદ્ય છબીને ચોક્કસ ફટકો પડ્યો છે. હવે તેણે સાબિત કરવું પડશે કે તે પણ ઈરાનની સરહદમાં પ્રવેશ કરી શકે છે. ઈઝરાયેલ પર હુમલો કરીને ઈરાન પણ સુરક્ષિત નહીં રહી શકે તે બતાવવા માટે. આ મોટે ભાગે ઓપ્ટિક્સનો વિષય બની ગયો છે. આ ગુપ્તચર કામગીરી અથવા પ્રોક્સી જૂથો પરના હુમલાઓ દ્વારા સાબિત કરી શકાતું નથી. ન્યુક્લિયર સાઇટ્સ ઈરાનની સૌથી મોટી સંપત્તિ છે. અહીં તે પરમાણુ બોમ્બ બનાવે છે. આના આધારે તે મધ્ય પૂર્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. તે શક્તિને ખતમ કરીને ઇઝરાયેલ બદલો પૂર્ણ કરી શકે છે.
નંબર 2. ઈરાન પરમાણુ હથિયાર બનાવવાના આરોપોને નકારી રહ્યું છે. કહેવાનો અર્થ એ છે કે તેનો પરમાણુ કાર્યક્રમ નાગરિક ઉપયોગ માટે છે. પરંતુ નિષ્ણાતો આ દાવાને ભ્રામક ગણાવે છે. જાન્યુઆરી 2024માં અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ ઓલબ્રાઇટે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાને એવી ટેક્નોલોજી મેળવી લીધી છે કે તે એક અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ઇઝરાયેલ આવી પરમાણુ સાઇટ્સ શોધવામાં સક્ષમ છે, જે ઇરાનના દાવાથી વિપરીત કામ કરે છે તો ઇરાન માટે તેને નકારવું મુશ્કેલ બનશે. આંતરરાષ્ટ્રીય દબાણ વધશે. એક મોટો વર્ગ ઈઝરાયેલની સાથે ઊભો રહેશે.
જોવાનું રસપ્રદ રહેશે કે ઈરાન કેવા પ્રકારના હુમલાને તેની સાર્વભૌમત્વ માટે ખતરો માને છે. તે તેને કેટલી ગંભીરતાથી લે છે અને તે તેના પર શું પગલાં લે છે? ઉદાહરણ તરીકે, તેમણે ભૂતપૂર્વ કુદ્સ ફોર્સ કમાન્ડર કાસિમ સુલેમાની અને પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યાની નિંદા કરી હતી . બદલો લેવાની ધમકી પણ આપી હતી પરંતુ બદલો લેવામાં આવ્યો ન હતો. જ્યારે સીરિયામાં તેના કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેણે ઇઝરાયેલ પર હુમલો કરીને જવાબ આપ્યો હતો. 13 એપ્રિલના હુમલા બાદ તે બદલાની વાત દોહરાવી રહ્યું છે. ઈરાનમાં 16 એપ્રિલે લશ્કરી પરેડ યોજાઈ હતી. આમાં ઈરાને તેના સૌથી અત્યાધુનિક હથિયારો પ્રદર્શિત કર્યાં હતાં. આના દ્વારા ઈઝરાયેલને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેની ઝલક રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના ભાષણમાં પણ જોવા મળી હતી. તેણે કહ્યું કે ઈઝરાયેલને વળતા હુમલાની કિંમત ચૂકવવી પડશે.
નંબર 3. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ઈઝરાયેલ સ્પષ્ટ રહે છે. તેણે જાહેરમાં કહ્યું છે કે તે ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં. તેને રોકવા માટે તે કંઈ પણ કરી શકે છે. છેલ્લાં 15 વર્ષમાં ઈરાનના અનેક પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યામાં તેનું નામ સામે આવ્યું છે. કેટલાંક ઉદાહરણો જાણો.

  • નવેમ્બર 2010માં તેહરાનમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં માજિદ શહરયારીનું મોત થયું હતું. માજિદ તેહરાનની શાહિદ બેહેસ્તી યુનિવર્સિટીમાં ન્યુક્લિયર એન્જિનિયરિંગના પ્રોફેસર હતા. ઇઝરાયેલ અને અમેરિકા પર પણ તેની હત્યાનો આરોપ હતો.
  • જાન્યુઆરી 2012માં તેહરાનમાં જ મુસ્તફા અહમદી રોશનની કારને ઉડાવી દેવામાં આવી હતી. એક બાઇકસવારે ચાલતી કારમાં બોમ્બ મૂક્યો હતો. વિસ્ફોટમાં મુસ્તફાનું મોત થયું હતું. તેઓ પરમાણુ વૈજ્ઞાનિક પણ હતા. દોષ ફરી ઇઝરાયેલ અને અમેરિકા પર મૂકવામાં આવ્યો હતો.
  • નવેમ્બર 2020માં પરમાણુ વૈજ્ઞાનિક મોહસેન ફખરીઝાદેહની તેહરાનની બહાર હત્યા કરવામાં આવી હતી. તેમની કાર પર રિમોટ કંટ્રોલ રોબોટથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફખરીઝાદેહને ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમના પિતા માનવામાં આવતા હતા. ઇઝરાયેલ પર તેની હત્યાનો આરોપ હતો.આ બધા સિવાય ઈઝરાયેલે સાયબર હુમલાઓ પણ કર્યા છે. 2010માં, ઈરાનની પરમાણુ ફેસિલિટીઝ પર સ્ટક્સનેટ વાયરસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ઓછામાં ઓછા 30 હજાર કમ્પ્યુટર અટકી પડ્યાં હતાં. લગભગ 1000 સેન્ટ્રીફ્યુજ પણ નાશ પામ્યા હતા.ઈઝરાયેલે જાન્યુઆરી 2018માં ઈરાન વિરુદ્ધ સૌથી ખતરનાક ઈન્ટેલિજન્સ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાર બાદ મોસાદના એજન્ટો તેહરાનમાં પરમાણુ કેન્દ્રમાં પ્રવેશ્યા અને ત્યાંથી એક લાખથી વધુની ગુપ્ત ફાઈલોની ચોરી કરી બહાર નીકળી ગયા હતા. એપ્રિલ 2018માં વડા પ્રધાન નેતન્યાહુએ તે ફાઇલો પ્રેસને બતાવી હતી અને કહ્યું હતું કે ઈરાન સાથેનો પરમાણુ કરાર જુઠ્ઠાણા અને ભ્રમ પર આધારિત છે. આ ખુલાસા બાદ અમેરિકાએ ઈરાન સાથેની પરમાણુ સમજૂતી તોડી નાખી હતી.
    ઈરાન ઈઝરાયેલ અને અમેરિકાને પોતાના જીવલેણ દુશ્મન માને છે. ઈઝરાયેલનું કહેવું છે કે જે દિવસે તેને પરમાણુ હથિયારો મળી જશે તે દિવસે આપણું અસ્તિત્વ જોખમમાં આવી જશે. તેથી, તે ઈરાનની પરમાણુ ક્ષમતાને ઘટાડવામાં વ્યસ્ત રહે છે. 13 એપ્રિલના હુમલાએ તેને સારી તક આપી છે.
    હવે જાણીએ ઈરાનની પરમાણુ ક્ષમતા વિશે. ઈરાનમાં પરમાણુ કાર્યક્રમ 1950ના દાયકામાં શરૂ થયો હતો. પછી મોહમ્મદ રેઝા પહેલવીનું શાસન ચાલી રહ્યું હતું. પહેલવીને પશ્ચિમી દેશોના ખાસ ગણવામાં આવતા હતા. તેમણે તેમના માટે ઈરાનના કુદરતી સંસાધનો ખોલી દીધા હતા. બદલામાં સુરક્ષા ઉપરાંત તેઓ પશ્ચિમમાંથી ટેક્નોલોજી પણ મેળવતા હતા. 1957માં એટોમ ફોર પીસ પ્રોગ્રામ હેઠળ, અમેરિકાએ ઈરાનમાં પરમાણુ રિએક્ટર બનાવવાની જાહેરાત કરી હતી. આનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થવાનો હતો. બાદમાં ફ્રાન્સે પણ મદદ આપવાનું વચન આપ્યું હતું. વર્ષ હતું 1970. ઈરાને પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય કર્યો હતો. NPTમાં નવાં પરમાણુ હથિયારો બનાવવા પર પ્રતિબંધ હતો. ઈરાને ત્યાં સુધી કોઈ પરમાણુ હથિયાર પણ બનાવ્યાં ન હતાં. સંધિ પછી, બાકી બચેલું બધું સ્ટોપ થઈ ગયું હતું. જો કે, ટૂંકા ગાળામાં જ ઈરાનમાં એક મોટી રમત રમાઈ. 1979માં આયતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીના નેતૃત્વ હેઠળ ઇસ્લામિક ક્રાંતિ થઈ. રેઝા પહેલવીએ સત્તા ગુમાવી હતી. ખોમેનીએ પશ્ચિમી દેશો સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તેમણે જૂના કરારોની પણ અવગણના કરી. જેના કારણે ન્યુક્લિયર રિએક્ટરનું કામ અટકી ગયું હતું. ત્યાર બાદ 1980માં ઈરાક સાથે યુદ્ધ પણ શરૂ થયું. આમાં બાકીનાં રિએક્ટર પણ નાશ પામ્યાં હતાં. યુદ્ધ 1988 સુધી ચાલ્યું હતું. 1990ના દાયકામાં ઈરાન યુદ્ધના કારણે થયેલા વિનાશમાંથી બહાર આવવામાં સફળ રહ્યું હતું. જે બાદ તેણે ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ શરૂ કરી હતી. તેને પાકિસ્તાન અને ઉત્તર કોરિયાની મદદ મળી હતી. પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક અબ્દુલ કાદિર ખાને ગેરકાયદેસર રીતે ઈરાનને પરમાણુ ટેકનોલોજી વેચી હતી. થોડાં વર્ષો પછી ઈરાને પ્રોજેક્ટ અમાદ શરૂ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય 2004 સુધીમાં પાંચ પરમાણુ શસ્ત્રો તૈયાર કરવાનો હતો. મોહસીન ફખરીઝાદેહ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા હતા. પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં એક ખુલાસો થઈ ગયો હતો! 2002માં બળવાખોર જૂથ ‘નેશનલ કાઉન્સિલ ઓફ રેઝિસ્ટન્સ’ એ અહેવાલ આપ્યો હતો કે નાતાન્ઝ અને અરાકમાં બે પરમાણુ ફેસિલિટીઝ કાર્યરત છે. તેનો ઉપયોગ બોમ્બ બનાવવા માટે થઈ શકે છે. ઈરાને ફેબ્રુઆરી 2003માં સત્તાવાર રીતે આનો સ્વીકાર કર્યો હતો. તે જ સમયે, અમેરિકા ઇરાક પર વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન (WMD)નો આરોપ મૂકીને હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. ઈરાન પણ હુમલાથી ડરતું હતું. તેથી, તેણે પ્રોજેક્ટ અમાદનો અંત લાવ્યો હતો. દબાણ અને ખુલાસાઓ છતાં, ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ ગુપ્ત રીતે આગળ ધપાવ્યો હતો. 2013 સુધીમાં તેણે 10 હજાર કિલોથી વધુ યુરેનિયમનો સ્ટોક એકઠો કર્યો હતો. તે સમયે એવો અંદાજ હતો કે ઈરાન બેથી ત્રણ મહિનામાં બોમ્બ બનાવી લેશે.
    તેથી, પશ્ચિમી દેશોએ પાછલા બારણે વાતચીત શરૂ કરી હતી. તેમનો પ્રયાસ મુત્સદ્દીગીરી દ્વારા ઈરાનને રોકવાનો હતો. 2015માં આ પ્રયાસ સફળ રહ્યો હતો. 14 જુલાઈએ અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આમાં ઈરાને વચન આપ્યું હતું કે, – તે 10 વર્ષ સુધી 5,060થી વધુ સેન્ટ્રીફ્યુજનો ઉપયોગ નહીં કરે. – 15 વર્ષ સુધી 3.67%થી વધુ યુરેનિયમ એનરીચ નહીં કરે. – તેના ન્યુક્લિયર પ્લાન્ટની ક્ષમતામાં ઘટાડો કરશે. અને તે આંતરરાષ્ટ્રીય એજન્સીને પણ દેખરેખ રાખવાની મંજૂરી આપશે.
    બદલામાં UN સિક્યુરિટી કાઉન્સિલ અને અમેરિકાએ ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવ્યા હતા. એવી અપેક્ષા હતી કે આ ડીલ બાદ ઈરાન પરમાણુ હથિયારો મેળવવાનો વિચાર છોડી દેશે પરંતુ આવું ન થયું. ડીલની આડમાં તેણે ગુપ્ત કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. 2018માં ઈઝરાયેલે આખી દુનિયા સમક્ષ તેનો પુરાવો રજૂ કર્યો હતો. ત્યાર બાદ મે 2018માં ટ્રમ્પે ઈરાન પરમાણુ કરારમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું. ત્યારથી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બેલગામ ઘોડા જેવો થઈ ગયો છે. હવે ચાલો જાણીએ કે ઈઝરાયેલની પરમાણુ ક્ષમતા કેટલી છે? એ બધા જ જાણે છે કે સમગ્ર વિશ્વમાં 8 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. રશિયા પાસે સૌથી વધુ છે. 5800થી વધુ. પછી અમેરિકાનો વારો આવે છે – 5200, ચીન – 410, ફ્રાન્સ – 290, બ્રિટન – 225, પાકિસ્તાન – 170, ભારત – 164 અને ઉત્તર કોરિયા – 30. ઘણી વાર એવી ચર્ચા થાય છે કે ઈઝરાયેલ પણ આ યાદીમાં હોવું જોઈએ. એવો દાવો કરવામાં આવે છે કે ઈઝરાયેલ પાસે જમીન, હવા અને સમુદ્રથી પરમાણુ હુમલા કરવાની ક્ષમતા છે. જો કે, તેણે ક્યારેય સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરી નથી. તે કહે છે, અમે ન તો માનશું કે ના પણ નહીં પાડીએ. જેને જે વિચારવું હોય તે વિચારતા રહે. કોલિન પોવેલનો ઈમેલ સપ્ટેમ્બર 2016માં લીક થયો હતો. પોવેલ 2001 થી 2005 સુધી US સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. તેમના ઈમેલ મુજબ ઈઝરાયેલ પાસે 200 પરમાણુ બોમ્બ હતા. જો કે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. જુદા જુદા અભ્યાસમાં તેમની સંખ્યા 90 થી 400 ની વચ્ચે હોવાનું કહેવાય છે. સમયની સાથે તેમને અપગ્રેડ પણ કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલે NPT પર હસ્તાક્ષર કર્યા નથી. આ સંધિ નવા પરમાણુ શસ્ત્રોના સંપાદનને અટકાવે છે. ભારત અને પાકિસ્તાન પણ NPTનો ભાગ નથી. ઈઝરાયેલ ડિમોનામાં પરમાણુ સંશોધન કેન્દ્ર માટે સંમત થઈ ગયું છે પરંતુ તેમણે પરમાણુ હથિયારો અંગે મૌન જાળવી રાખ્યું છે. જો કે, ઘણી વખત ઈઝરાયેલના નેતાઓની જીભ લપસી ગઈ છે અને પરમાણુ બોમ્બ પોતાના પાસે હોવાનો ઈશારો કર્યો છે.
    ઈઝરાયેલ પાસે પરમાણુ હથિયાર હોવાનો દાવો કર્યો હતો. અનેક પુરાવા પણ રજૂ કર્યા હતા. વનુના દાવાએ સનસનાટી મચાવી દીધી હતી. આ દાવો કર્યો એ પહેલાં તે લંડન ગયા હતા. એક દિવસ તે શેરિલ બેન્ટોવ નામની યુવતીને મળ્યા હતા. બંનેએ રોમમાં રજાઓ ગાળવાનો પ્લાન બનાવ્યો હતો. બંને રોમ પહોંચ્યાં કે તરત જ બેન્ટોવે પોતાનું રહસ્ય જાહેર કર્યું હતું. ખરેખર પેલી યુવતી મોસાદની એજન્ટ હતી. આ પછી, મોસાદના એજન્ટોએ વનુનુને બેભાન કરી દીધા હતા અને તેને એક જહાજમાં દરિયાઈ માર્ગે ઈઝરાયેલ લઈ આવ્યા હતા. ઇઝરાયેલમાં વનુનુ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજદ્રોહના આરોપમાં તેને 18 વર્ષની જેલ થઈ હતી. આજે પણ તે ઈઝરાયેલમાં પ્રતિબંધો હેઠળ જીવે છે.છેલ્લે જાણીએ કે ઈઝરાયેલ કયા સંજોગોમાં પરમાણુ બોમ્બ ફેંકી શકે છે? ઈતિહાસકાર એવનર કોહેન અનુસાર, આ માટે 4 રેડ લાઈન્સ છે,
  • જો ઇઝરાયેલના મોટાં શહેરો પર અન્ય દેશો દ્વારા હુમલો કરવામાં આવે.- જો ઈઝરાયેલની એરફોર્સ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય. – જો ઇઝરાયેલ પર રાસાયણિક અથવા જૈવિક હથિયારોથી હુમલો કરવામાં આવે. અથવા કોઈ દેશ ઇઝરાયેલ પર પરમાણુ બોમ્બ ફેંકે તો.
    ઇઝરાયેલની સત્તાવાર વાત એક જ છે, અમે મધ્ય પૂર્વમાં પહેલા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું નહીં. જો કે ઇઝરાયેલ એવું પણ કહે છે કે અમે અમારા પાડોશમાં કોઈને કંઈ હાંસલ કરવા નહીં દઈએ.

Most Popular

To Top