National

સ્વતંત્રતા દિવસ પહેલા આતંકથી મુક્તિ, કાશ્મીરમાં બે આતંકી પકડાયા, મોટું કાવતરું નિષ્ફળ

સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ -કાશ્મીર (J & K)માં સુરક્ષા દળો (Indian Army)એ મોટી સફળતા મેળવી છે. બે અલગ અલગ સ્થળોએ સુરક્ષા દળોએ આતંકવાદી (Terrorist) કાવતરાને નિષ્ફળ બનાવ્યા છે અને આતંકવાદથી આઝાદી મેળવી છે. 

એક તરફ કિશ્તવાડ (Kishtawad)માં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ પકડી પાડ્યા છે, જ્યારે પૂંછમાં BSF એ એક મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે. કિશ્તવાડમાં પકડાયેલા આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો (Weapon) અને દારૂગોળો પણ મળી આવ્યો છે. આ સિવાય સોમવારે પૂંછમાં એક ષડયંત્રને નિષ્ફળ બનાવતા સુરક્ષાદળોએ આતંકવાદીઓના ઠેકાણામાંથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે.

આ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે, પૂંછ જિલ્લાના સાંગદ ગામમાં એક ઠેકાણામાંથી આતંકવાદીઓના હથિયારો મળી આવ્યા છે. જોકે ઘટનાસ્થળેથી કોઈ આતંકવાદી પકડાયો નથી. આ આતંકવાદીઓએ ગામની નજીક આવેલા જંગલમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. બીએસએફે આતંકીઓના ઠેકાણામાંથી બે એકે -47 રાઇફલ, 4 મેગેઝિન, ચાઇનીઝ પિસ્તોલ અને 10 પિસ્તોલ મેગેઝિન પણ જપ્ત કર્યા છે. આ સિવાય સ્થળ પરથી વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં સુરક્ષા દળોએ તેમની કામગીરીને તેજ કરી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળો દ્વારા 90 જેટલા આતંકવાદીઓને પકડવામાં કરવામાં આવ્યા છે.

પંજાબમાં ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા વિસ્ફોટકો અને ગ્રેનેડ ટિફિનમાં ભરાયેલા હતા

એટલું જ નહીં, પડોશી રાજ્ય પંજાબમાં પણ આતંકવાદીઓનું નવું કૃત્ય સામે આવ્યું છે. પંજાબ પોલીસે પાકિસ્તાનની સરહદે આવેલા ગામોમાંથી ટિફિન બોક્સમાં ભરેલા વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ્સ મેળવવાનો દાવો કર્યો છે. રાજ્ય પોલીસ વડા દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પોલીસ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને આ મામલે કામ કરી રહી છે. એટલું જ નહીં, ગુપ્તાએ શંકા વ્યક્ત કરી કે IED વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ સરહદ પરથી ડ્રોન મારફતે છોડવામાં આવ્યા હતા. જોકે તેમણે એ નથી કહ્યું કે આતંકવાદીઓ કોને નિશાન બનાવી શકે છે. 

મહત્વની વાત છે કે આઝાદીના સેલિબ્રેશન પહેલા જ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જો કે આ તમામ આતંકી તાર પહેલાથી જ કાપી કાઢવામાં આવે એ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે જરૂરી થઇ પડે છે.

Most Popular

To Top