Entertainment

તારક મહેતા શોના દયાબેનને કેન્સર હોવાની અફવા પર જેઠાલાલે જણાવ્યું સત્ય

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) દયાબેન (Dayaben) વિશે ચર્ચા છે કે તેમને ગળાનું કેન્સર (Cancer) છે. આ સમાચાર આવતા જ તેમના ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ હવે આ સમાચાર અફવા છે કે કેમ તે અંગેની પુષ્ટિ જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશીએ (Dilip Joshi) કરી હતી. તેમણે આ અફવા અંગે હકીકત શું છે તે જણાવ્યું હતું.

દિલીપ જોશીએ અફવા અંગે જણાવ્યું સત્ય
એવા સમાચાર સામે આવ્યા છે કે દિશા વાકાણીને ગળાનું કેન્સર થયું છે. દિલીપ જોશીએ આ અફવા છે કે સત્ય તે જણાવતા કહ્યું કે મને સવારથી સતત ફોન આવી રહ્યા છે. દરવખતે આવા અટપટા સમાચાર સામે આવતા રહે છે. મને લાગે છે કે આવા ન્યુઝને પ્રમોટ કરવાની કોઈ જરૂર નથી. હું એટલું જ કહીશ કે આ બધી અફવા છે. તેના પર ધ્યાન ન આપો. એટલે કે દિશા વાકાણીના ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે અભિનેત્રીનું સ્વાસ્થય સારું છે. જોકે, આ સમાચાર પર ખુદ દિશા વાકાણી તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

અસિત મોદીએ આપી પ્રતિક્રિયા
દિલીપ જોશી બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાએ પણ પ્રતિક્રિયા આપી છે. અસિત મોદીનું કહેવું છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. વધુમાં તે કહે છે, લોકો લાઈક્સ અને ક્લિક્સ માટે સોશિયલ મીડિયા પર આવા સમાચારો મૂકે છે. કેન્સર તમાકુ પીવાથી થાય છે અવાજ બહાર કાઢવાથી નહીં. આ રીતે મિમિક્રી કરનારા બધા ડરી જશે.

પાંચ વર્ષ પહેલા દિશા વાકાણીએ છોડ્યો હતો શો
દિશા વાકાણીના શો વિશે સમયાંતરે વિવિધ પ્રકારના સમાચારો આવતા રહે છે . ક્યારેક એવું કહેવાય છે કે તે શોમાં કમબેક કરી રહી છે. ક્યારેક એવું કહેવાય છે કે તે શોમાં નહીં આવે. પણ જ્યારે હવે ગળાના કેન્સરના સમાચાર આવ્યા તે ખૂબ જ પરેશાન કરનાર હતા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દિશા વાકાણીને શોમાં તેના વિચિત્ર અવાજને કારણે ગળાનું કેન્સર થયું હોવાનું હતું. અત્યાર સુધી એ સમજવું મુશ્કેલ છે કે દિશા વાકાણી વિશેના આ સમાચાર ક્યાંથી આવ્યા.

દિશા વાકાણી 5 વર્ષ પહેલા શોમાંથી અલગ થઈ ગઈ હતી. પાંચ વર્ષ પહેલા દિશા મેટરનિટી લીવ પર ગઈ હતી. પરંતુ માતા બન્યા બાદ તે શોમાં પાછી ફરી નથી. આ શોમાં તેણે દયાબેનની ભૂમિકામાં સૌના દિલ જીતી લીધા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિલીપ જોશી સાથેની તેમની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં જ દયાબેન આ અફવાઓનું સત્ય તેમના ચાહકોની સામે રાખશે.

Most Popular

To Top