2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ચાર રાજકીય મોરચા અને ચાર નેતાઓ વચ્ચેનો જંગ છે: જેમાંથી ત્રણ તેમના વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય છે, જ્યારે એકે તાજેતરમાં જ મેદાનમાં પ્રવેશ કર્યો છે. જો કે, તે બધા ચૂંટણી પછી રાજ્યનું નેતૃત્વ કરવાની આકાંક્ષા રાખે છે, પરંતુ તેનો નિર્ણય મતદારો, ખાસ કરીને યુવાનોએ કરવાનો છે. વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળનું ડીએમકે ગઠબંધન શાસન અને કલ્યાણકારી યોજનાઓના આધારે સાતત્ય જાળવવા માંગે છે.
એડપ્પડી કે. પલાનીસ્વામીના નેતૃત્વમાં એઆઈએડીએમકે સંચાલિત એનડીએ પુનરાગમનનો પ્રયાસ કરી રહ્યું છે, જે પોતાને એક સ્થિર વિકલ્પ તરીકે રજૂ કરે છે. સીમનના નેતૃત્વમાં નામ તમિલર કાચ્છી (એનટીકે), દ્રવિડિયન મુખ્ય પ્રવાહની બહાર રહીને તમિલ રાષ્ટ્રવાદ પર કેન્દ્રિત સ્પષ્ટ વૈચારિક રાજકારણને આગળ ધપાવી રહી છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે), એક નવી ઊભરતી શક્તિ છે, જે જન-અપીલ, સત્તાવિરોધી લહેર અને પેઢીગત પરિવર્તન પર નિર્ભર છે.
આ ચાર મોરચાએ સાથે મળીને આ ચૂંટણીને તમિલનાડુના તાજેતરના ઇતિહાસના સૌથી રોમાંચક અને અનિશ્ચિત જંગમાં ફેરવી દીધી છે. સ્ટાલિન અને પૂર્વ મુખ્યમંત્રી પલાનીસ્વામી માટે લક્ષ્ય સ્પષ્ટ છે: સત્તામાં વાપસી. સીમન એક દિવસ તમિલનાડુ પર શાસન કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે પોતાનો લાંબો રાજકીય સંઘર્ષ ચાલુ રાખી રહ્યા છે. બીજી તરફ, માત્ર બે વર્ષ પહેલાં પોતાની પાર્ટી શરૂ કરનાર અભિનેતા વિજય, ખૂબ જ ટૂંકા સમયમાં મુખ્યમંત્રી બનવાની આકાંક્ષાથી પ્રેરાયેલા છે. આ વિરોધાભાસી મહત્ત્વાકાંક્ષાઓએ તમિલનાડુના ચૂંટણી મેદાનને ખૂબ જ તીખો અને ગતિશીલ અખાડો બનાવી દીધો છે.
જો કે, આ ચારેય મોરચા એક સમાન રાજકીય વિચારધારા ધરાવતા હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં તેઓ અલગ અલગ રીતે કાર્ય કરે છે. ડીએમકેના નેતૃત્વ હેઠળનું ‘ઇન્ડિયા’ ગઠબંધન ખુદને એક બિનસાંપ્રદાયિક, પ્રગતિશીલ મોરચા તરીકે રજૂ કરે છે. તે કહે છે કે, તેનું લક્ષ્ય તમિલનાડુમાં દ્રવિડિયન સિદ્ધાંતો પર આધારિત સામાજિક ન્યાયલક્ષી સરકાર બનાવવાનું છે. જો કે, તેની પાસે મજબૂત પરંપરાગત મતદારો અને સંગઠનાત્મક સમર્થન છે, પણ તે યુવા પેઢીથી કંઈક અંશે દૂર હોય તેવું જણાય છે. સ્ટાલિન ચૂંટણીની પૂર્વ સંધ્યાએ જાહેર કરેલી કલ્યાણકારી યોજનાઓ અને મતદારોને રીઝવવા માટે ડીએમકેના ‘વૈજ્ઞાનિક ફોર્મ્યુલા’ પર ભરોસો રાખી રહ્યા છે. જેથી તેઓ પાર્ટીને જીત અપાવી શકે.
એઆઈએડીએમકે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, પરંતુ તેમાં જટિલતા વધુ છે. ડીએમકે કરતાં પણ વધુ, તેણે ભાજપ સાથેના તેના ગઠબંધનને સતત યોગ્ય ઠેરવવાની જરૂરિયાતનો બોજ સહન કરવો પડે છે. સી.એન. અન્નાદુરાઈ અને પેરિયારના આદર્શોને અનુસરવાનો દાવો કરતી આ પાર્ટી પોતાને દ્રવિડિયન શક્તિ તરીકે રજૂ કરવાનું ચાલુ રાખે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન બાદ પક્ષમાં પડેલા ભાગલા અને મતભેદોને કારણે એઆઈએડીએમકે ભારે દબાણ હેઠળ છે. વધુમાં, ભાજપ સાથેનું તેનું ગઠબંધન, જે મૂળભૂત રીતે મુખ્ય દ્રવિડિયન વિચારધારાનો વિરોધ કરે છે, તે એક વિરોધાભાસ ઊભો કરે છે. એક તરફ, આ લઘુમતી મતદારોમાં તેની લોકપ્રિયતાને કમજોર કરે છે; તો બીજી તરફ, તે તેના પોતાના નેતૃત્વ અને વૈચારિક સ્પષ્ટતા પર સવાલો ઊભા કરે છે.
સીમન, જેમણે સતત દલીલ કરી છે કે, તમિલનાડુમાંથી દ્રવિડિયન રાજકારણને સંપૂર્ણપણે દૂર કરવું જોઈએ. તેઓ પોતાને તમિલ રાષ્ટ્રવાદના અવાજ તરીકે સ્થાપિત કરે છે. તેઓ તમિલ સ્વશાસન સ્થાપિત કરવાની, તમિલ ભૂમિ પર તમિલોનો વિકાસ સુનિશ્ચિત કરવાની અને સ્વદેશી સમુદાયોની પ્રથાઓને પુનર્જીવિત કરવાની વાત કરે છે. જો કે, તેમણે યુવાનોમાં થોડી લોકપ્રિયતા મેળવી છે, પરંતુ તેઓ તે સમર્થનને ચૂંટણી સફળતામાં બદલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
તેમનાં ભાષણોમાં મજબૂત ભાવનાત્મક અપીલ હોય છે, પરંતુ તેમના દાવાઓની વિશ્વસનીયતા અને શક્યતા પર ઘણી વાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. ટીવીકે (ટીવીકે)ના સ્થાપક અભિનેતા વિજયે જણાવ્યું છે કે, તમિલ રાષ્ટ્રવાદ અને દ્રવિડિયન વિચારધારા ‘તેમની બે આંખો’ સમાન છે. જો કે, તેમનાં પોતાનાં સમર્થકોમાં પણ તેમની રાજકીય વિચારધારા અંગે સ્પષ્ટતાનો અભાવ છે. તેમના ફેન ક્લબ્સને જિલ્લા સ્તરના પક્ષના માળખામાં પુનઃગઠિત કરવામાં આવ્યા છે, જેમાં તેમના કાર્યકરો હવે પક્ષના હોદ્દા ધરાવે છે.
છતાં, વ્યાપક છાપ એવી છે કે તેઓ હજી સુધી સંપૂર્ણ રીતે વિચારધારાથી પ્રેરિત રાજકીય કેડરમાં વિકસ્યા નથી. આમ છતાં, વિજયે જાહેરાત કરી છે કે, તેઓ તમિલનાડુના ભવિષ્યને નવો આકાર આપવાનું લક્ષ્ય રાખે છે અને 2026ની વિધાનસભા ચૂંટણી તરફની તેમની યાત્રા શરૂ કરી દીધી છે. જ્યારે તેમનાં લાખો ચાહકોએ, ખાસ કરીને યુવાનોએ સમર્થન વ્યક્ત કર્યું છે, ત્યારે એક સતત પ્રશ્ન રહે છે: શું આ ફેન બેઝ વાસ્તવિક મતોમાં પરિવર્તિત થશે?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ચાર રાજકીય મોરચા અને ચાર નેતાઓ વચ્ચેનો જંગ છે: જેમાંથી ત્રણ તેમના વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય છે, જ્યારે એકે તાજેતરમાં જ મેદાનમાં પ્રવેશ કર્યો છે. જો કે, તે બધા ચૂંટણી પછી રાજ્યનું નેતૃત્વ કરવાની આકાંક્ષા રાખે છે, પરંતુ તેનો નિર્ણય મતદારો, ખાસ કરીને યુવાનોએ કરવાનો છે. વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળનું ડીએમકે ગઠબંધન શાસન અને કલ્યાણકારી યોજનાઓના આધારે સાતત્ય જાળવવા માંગે છે.
એડપ્પડી કે. પલાનીસ્વામીના નેતૃત્વમાં એઆઈએડીએમકે સંચાલિત એનડીએ પુનરાગમનનો પ્રયાસ કરી રહ્યું છે, જે પોતાને એક સ્થિર વિકલ્પ તરીકે રજૂ કરે છે. સીમનના નેતૃત્વમાં નામ તમિલર કાચ્છી (એનટીકે), દ્રવિડિયન મુખ્ય પ્રવાહની બહાર રહીને તમિલ રાષ્ટ્રવાદ પર કેન્દ્રિત સ્પષ્ટ વૈચારિક રાજકારણને આગળ ધપાવી રહી છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની આગેવાની હેઠળની તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે), એક નવી ઊભરતી શક્તિ છે, જે જન-અપીલ, સત્તાવિરોધી લહેર અને પેઢીગત પરિવર્તન પર નિર્ભર છે.
આ ચાર મોરચાએ સાથે મળીને આ ચૂંટણીને તમિલનાડુના તાજેતરના ઇતિહાસના સૌથી રોમાંચક અને અનિશ્ચિત જંગમાં ફેરવી દીધી છે. સ્ટાલિન અને પૂર્વ મુખ્યમંત્રી પલાનીસ્વામી માટે લક્ષ્ય સ્પષ્ટ છે: સત્તામાં વાપસી. સીમન એક દિવસ તમિલનાડુ પર શાસન કરવાની મહત્ત્વાકાંક્ષા સાથે પોતાનો લાંબો રાજકીય સંઘર્ષ ચાલુ રાખી રહ્યા છે. બીજી તરફ, માત્ર બે વર્ષ પહેલાં પોતાની પાર્ટી શરૂ કરનાર અભિનેતા વિજય, ખૂબ જ ટૂંકા સમયમાં મુખ્યમંત્રી બનવાની આકાંક્ષાથી પ્રેરાયેલા છે. આ વિરોધાભાસી મહત્ત્વાકાંક્ષાઓએ તમિલનાડુના ચૂંટણી મેદાનને ખૂબ જ તીખો અને ગતિશીલ અખાડો બનાવી દીધો છે.
જો કે, આ ચારેય મોરચા એક સમાન રાજકીય વિચારધારા ધરાવતા હોય તેવું લાગે છે, પરંતુ વાસ્તવમાં તેઓ અલગ અલગ રીતે કાર્ય કરે છે. ડીએમકેના નેતૃત્વ હેઠળનું ‘ઇન્ડિયા’ ગઠબંધન ખુદને એક બિનસાંપ્રદાયિક, પ્રગતિશીલ મોરચા તરીકે રજૂ કરે છે. તે કહે છે કે, તેનું લક્ષ્ય તમિલનાડુમાં દ્રવિડિયન સિદ્ધાંતો પર આધારિત સામાજિક ન્યાયલક્ષી સરકાર બનાવવાનું છે. જો કે, તેની પાસે મજબૂત પરંપરાગત મતદારો અને સંગઠનાત્મક સમર્થન છે, પણ તે યુવા પેઢીથી કંઈક અંશે દૂર હોય તેવું જણાય છે. સ્ટાલિન ચૂંટણીની પૂર્વ સંધ્યાએ જાહેર કરેલી કલ્યાણકારી યોજનાઓ અને મતદારોને રીઝવવા માટે ડીએમકેના ‘વૈજ્ઞાનિક ફોર્મ્યુલા’ પર ભરોસો રાખી રહ્યા છે. જેથી તેઓ પાર્ટીને જીત અપાવી શકે.
એઆઈએડીએમકે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે, પરંતુ તેમાં જટિલતા વધુ છે. ડીએમકે કરતાં પણ વધુ, તેણે ભાજપ સાથેના તેના ગઠબંધનને સતત યોગ્ય ઠેરવવાની જરૂરિયાતનો બોજ સહન કરવો પડે છે. સી.એન. અન્નાદુરાઈ અને પેરિયારના આદર્શોને અનુસરવાનો દાવો કરતી આ પાર્ટી પોતાને દ્રવિડિયન શક્તિ તરીકે રજૂ કરવાનું ચાલુ રાખે છે. પૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતાના નિધન બાદ પક્ષમાં પડેલા ભાગલા અને મતભેદોને કારણે એઆઈએડીએમકે ભારે દબાણ હેઠળ છે. વધુમાં, ભાજપ સાથેનું તેનું ગઠબંધન, જે મૂળભૂત રીતે મુખ્ય દ્રવિડિયન વિચારધારાનો વિરોધ કરે છે, તે એક વિરોધાભાસ ઊભો કરે છે. એક તરફ, આ લઘુમતી મતદારોમાં તેની લોકપ્રિયતાને કમજોર કરે છે; તો બીજી તરફ, તે તેના પોતાના નેતૃત્વ અને વૈચારિક સ્પષ્ટતા પર સવાલો ઊભા કરે છે.
સીમન, જેમણે સતત દલીલ કરી છે કે, તમિલનાડુમાંથી દ્રવિડિયન રાજકારણને સંપૂર્ણપણે દૂર કરવું જોઈએ. તેઓ પોતાને તમિલ રાષ્ટ્રવાદના અવાજ તરીકે સ્થાપિત કરે છે. તેઓ તમિલ સ્વશાસન સ્થાપિત કરવાની, તમિલ ભૂમિ પર તમિલોનો વિકાસ સુનિશ્ચિત કરવાની અને સ્વદેશી સમુદાયોની પ્રથાઓને પુનર્જીવિત કરવાની વાત કરે છે. જો કે, તેમણે યુવાનોમાં થોડી લોકપ્રિયતા મેળવી છે, પરંતુ તેઓ તે સમર્થનને ચૂંટણી સફળતામાં બદલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.
તેમનાં ભાષણોમાં મજબૂત ભાવનાત્મક અપીલ હોય છે, પરંતુ તેમના દાવાઓની વિશ્વસનીયતા અને શક્યતા પર ઘણી વાર પ્રશ્નો ઉઠાવવામાં આવે છે. ટીવીકે (ટીવીકે)ના સ્થાપક અભિનેતા વિજયે જણાવ્યું છે કે, તમિલ રાષ્ટ્રવાદ અને દ્રવિડિયન વિચારધારા ‘તેમની બે આંખો’ સમાન છે. જો કે, તેમનાં પોતાનાં સમર્થકોમાં પણ તેમની રાજકીય વિચારધારા અંગે સ્પષ્ટતાનો અભાવ છે. તેમના ફેન ક્લબ્સને જિલ્લા સ્તરના પક્ષના માળખામાં પુનઃગઠિત કરવામાં આવ્યા છે, જેમાં તેમના કાર્યકરો હવે પક્ષના હોદ્દા ધરાવે છે.
છતાં, વ્યાપક છાપ એવી છે કે તેઓ હજી સુધી સંપૂર્ણ રીતે વિચારધારાથી પ્રેરિત રાજકીય કેડરમાં વિકસ્યા નથી. આમ છતાં, વિજયે જાહેરાત કરી છે કે, તેઓ તમિલનાડુના ભવિષ્યને નવો આકાર આપવાનું લક્ષ્ય રાખે છે અને 2026ની વિધાનસભા ચૂંટણી તરફની તેમની યાત્રા શરૂ કરી દીધી છે. જ્યારે તેમનાં લાખો ચાહકોએ, ખાસ કરીને યુવાનોએ સમર્થન વ્યક્ત કર્યું છે, ત્યારે એક સતત પ્રશ્ન રહે છે: શું આ ફેન બેઝ વાસ્તવિક મતોમાં પરિવર્તિત થશે?.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.