Gujarat

સુરત, વાપી, અંકલેશ્વર અતિપ્રદૂષિત: GPCBની ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આજે ગુજરાત હાઈકોર્ટમાં એક એફિડેવીટ રજૂ કરવામાં આવી છે. આ એફિડેવીટમાં GPCB એ કહ્યું છે કે સુરત, વાપી, અંકલેશ્વર, વડોદરા, રાજકોટ અને અમદાવાદના વટવા વિસ્તારમાં પ્રદૂષણ ગંભીર હદે વકર્યું છે. અહીંની હવાની ગુણવત્તા (Air Quality) ખૂબ જ ખરાબ છે. પોતાની એફિડેવીટમાં GPCB એ રાજ્યના મહાનગરોમાં હવાની ગુણવત્તા બગડી હોવાનો સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદના જ વટવા સિવાય નરોડા અને ઓઢવ જેવા વિસ્તારમાં પણ પ્રદૂષણ વકર્યું હોવાની વાતનો બોર્ડે એકરાર કર્યો છે.

  • રાજ્યમાં એર ક્વોલિટી સુધારવા કોલસાનો ઉપયોગ બંધ કરી અને નેચર ગેસ કે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવાની માગ સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં GPCBએ આ વિગતો રજૂ કરી છે.

આ સાથે જ બોર્ડ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એર પોલ્યૂશન ઘટાડવા માટે કેટલાંક સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. એફિડેવીટમાં શહેરોની હવાની ગુણવત્તા સુધારવા માટે એક એક્શન પ્લાન બનાવવાની જરૂરિયાત પર બોર્ડ દ્વારા ભાર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત 15 વર્ષ જૂના વાહનોને રસ્તા પર ચલાવવા પર પ્રતિબંધ મુકવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દૂષણને અંકુશમાં રાખવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં ફ્યુઅલ તરીકે વપરાતા ફરનેસ ઓઇલ અને કોલસાને તબક્કાવાર રીતે ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાનું બંધ કરવા માટે સરકાર તૈયાર હોવાની વાત કહેવામાં આવી છે. મોટી વાત એ છે કે, રાજ્ય સરકારે 2025-26 સુધીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં 35થી 50 ટકા સુધારો કરવા સરકાર મક્કમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રાજ્યમાં એર ક્વોલિટી સુધારવા કોલસાનો ઉપયોગ બંધ કરી અને નેચર ગેસ કે અન્ય વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવાની માગ સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં GPCBએ આ વિગતો રજૂ કરી છે. અરજદારે અગાઉ શહેરોમાં નિયત માપદંડો કરતા 3થી 4 ગણું વધારે હવાના પોલ્યુશન હોવાની વિગતો કોર્ટ સમક્ષ મૂકી હતી.

Most Popular

To Top