Health

ધાર્મિક માન્યતાઓ અને વૈજ્ઞાનિક કારણો

આપણી સંસ્કૃતિમાં ઘણા એવા કર્મ છે જે સદીઓથી આ પરંપરાઓનું પાલન કરાઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે હિંદુ ધર્મ સાથે જોડાયેલી આ માન્યતાઓ પાછળ નક્કર વૈજ્ઞાનિક આધાર પણ હોય છે. આવો જાણીએ આવા જ કેટલાંક કાર્યો વિશે જેનું આપણે આજ સુધી વગર કોઈ કારણે પાલન કરતા જતા હતા, પરંતુ આ પરંપરાઓના લાભો સામે વિજ્ઞાન પણ નતમસ્તક થઈ જાય છે.

તુલસી : શાસ્ત્રો અનુસાર હંમેશા તુલસી હંમેશા લક્ષ્મીજીનું સ્વરુપ હોવાને કારણે ચાવીને ખાવું નિષેધ માનવામાં આવ્યું છે. આ સિવાય વૈજ્ઞાનિક સંશોધન બાદ માલૂમ પડ્યું છે કે તુલસીમાં આર્સેનિક હોય છે જે દાંત પર ખરાબ અસર માટે જવાબદાર હોય છે. આ કારણે જ તુલસીને હંમેશા ચાવ્યા વગર જ ખાવું ઉત્તમ મનાય છે. આવી રીતે તમે ન કેવળ પરંપરાઓનો માન રાખી શકશો પરંતુ તમારા દાંત પણ સ્વસ્થ રહેશે.

સુર્યનમસ્કાર : પુરાણી માન્યતાઓ અનુસાર સૂર્યોદયના સમયે પૂજા કરવાનો વિધાન એટલા માટે જણાાવવામાં આવ્યો છે કારણ કે આ સમયે લગભગ 45 મિનિટ સુધી સૂર્યમાંથી નીકળતી કિરણો પારજાંબલી (અલ્ટ્રા વાયલેટ) રેડિએશનથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. તેથી જ આ સમય દરમિયાન સૂર્ય નમસ્કાર કરીને પ્રદક્ષિણા અને મંત્ર જાપ કરવાની પરંપરા ચાલતી આવે છે, જેથી આપણે સૂર્યદેવની કિરણો દ્વારા મળતા સ્વાસ્થ્ય લાભો મેળવી શકીએ.

રત્નો : રત્નોમાં ઘણી શક્તિઓ છૂપાયેલી હોય છે, ત્યાં જ જ્યોતિષશાસ્ત્રમાં પણ રત્નો સાથે સંબંધિત ગ્રહોની ઉર્જા અને ચુંબકીય શક્તિના પ્રભાવોને પ્રાપ્ત કરીને લાભ મેળવવાની વાત કરવામાં આવી છે. ખરેખર તો રત્નોમાંથી પસાર થતી કિરણોને કારણે તમને ઘણા લાભો પ્રાપ્ત થાય છે. રત્ન ધારણ કરવાથી તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે.

ઉપવાસ : આયુર્વેદના અનુસાર, શરીરને ફરીવાર ઉર્જાવાન બનાવવા માટે એક દિવસ માટે વિશ્રામ આપવું જરુરી હોય છે, એ જ પ્રકારે પાચન તંત્રને પણ તંદુરસ્ત રાખવા માટે વ્રત અતિ આવશ્યક છે. ઉપવાસ રાખવાથી આપણા શરીરના એંઝાઈમ્સ સક્રીય થઈ જાય છે. જેનાથી ડાયાબિટિસ, સ્થૂળતા જેવી સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે કારણ કે બીમારીઓ માત્ર એંઝાઈમ પ્રણાલી ખરાબ થવાને કારણે પેદા થાય છે. જો યુવાવસ્થાથી જ ઉપવાસની આદત નાખવામાં આવે તો ઘણા રોગોથી બચાવ શક્ય બને છે.

મંત્ર : આપણા પુરાણોમાં પૂજા દરમિયાન મંત્રોના ઉચ્ચારણથી પેદા થતા કંપનથી થતા શારીરિક લાભની વાત સ્વીકારવામાં આવી છે. આવું કરવાથી તમારા વ્યક્તિત્વનો વિકાસ થવાની સાથે બૌદ્ધિક ક્ષમતામાં પણ અપૂર્વ વૃદ્ધિ થાય છે. આ સિવાય પુરાણોમાં શંખને માતા લક્ષ્મીનો પ્રતીક મનાય છે તેથી જ દરેક માંગલિક કાર્ય પર શંખ ધ્વનિનું ખાસ મહત્વ છે. શંખધ્વનિને કારણે તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે, ત્યાં જ નકારાત્મક શક્તિઓથી પણ બચાવ થાય છે. શંખધ્વનિથી વાતાવરણના તમામ કિટાણુઓ નષ્ટ થઈ જવાના વૈજ્ઞાનિક પુરાવાઓ મળ્યા છે

Most Popular

To Top