National

સુનીતા કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં જોડાયા, કહ્યું- કેજરીવાલને જેલમાં મારી નાંખવાનું ષડયંત્ર

નવી દિલ્હી: (New Delhi) દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની (Arwind Kejriwal) ધરપકડ બાદ તેમની પત્ની સુનીતા કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. હવે તે જાહેર મંચ પર કેન્દ્રની ભાજપ સરકાર પર ખુલ્લેઆમ પ્રહારો કરી રહ્યા છે. આ પહેલા એ પણ નક્કી થયું હતું કે તે લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરશે. આ ક્રમમાં રવિવારે તેઓ રાંચીમાં I.N.D.I.A. ગઠબંધનની રેલી માટે પહોંચ્યા અને મંચ પરથી સભાને સંબોધિત કરી. દરમિયાન તેમણે જણાવ્યું કે કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપીને જેલમાં મારી નાંખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.

ભારત ગઠબંધનની રેલીમાં અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે તેમના પતિને બહાદુર ગણાવ્યા હતા. સુનીતાએ કહ્યું કે અરવિંદ ખૂબ બહાદુર છે અને જેલમાં પણ તેઓને દેશની ચિંતા છે. આ દરમિયાન સુનીતાએ જેલ પ્રશાસન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. સુનીતાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલને મારવા માટે જેલની અંદર કાવતરું થઈ રહ્યું છે. તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. આ દરમિયાન સુનીતાએ જનતાના સૂરમાં સૂર મિલાવી કહ્યું કે જેલ કે તાલે તૂટેંગે.. કેજરીવાલ છૂટેંગે…હેમંત સોરેન છૂટેંગે..

તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલને સત્તાની કોઈ લાલચ નથી. તે માત્ર દેશની સેવા કરવા માંગે છે. તે દેશને નંબર 1 બનાવવા માંગે છે. ઘણા લોકો કહે છે કે તે મુશ્કેલ છે. સુનીતાએ કહ્યું કે રાજનીતિ બહુ ગંદી વસ્તુ છે. તેમના ભોજન પર કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. તે ડાયાબિટીસના દર્દી છે અને છેલ્લા 12 વર્ષથી દરરોજ 50 યુનિટ ઇન્સ્યુલિન લે છે. પરંતુ તેમને જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. તેઓ દિલ્હીના સીએમને મારવા માંગે છે. તેઓ અરવિંદ કેજરીવાલના વિચારોને સમજી શકતા નથી. તે ખૂબ જ બહાદુર છે. તે શેર છે. જેલમાં પણ તેમને ‘ભારત માતા’ની ચિંતા છે.

લગ્ન પહેલા તેમણે મને કહ્યું હતું કે….
તેમણે કહ્યું કે હું તમને એક વાત કહું છું જે આજ સુધી કોઈ જાણતું નથી. મારાં લગ્ન નક્કી થયાં ત્યારે એ પહેલાં એમનો એક જ પ્રશ્ન હતો. પૂછવા લાગ્યા કે મારે સમાજસેવા કરવી છે તમને કોઈ તકલીફ થશે? આ લોકો આવા લોકોને જેલમાં ધકેલી દે છે. તેમણે IASની નોકરી છોડી દીધી. 2006માં તેમણે નોકરી છોડીને ઝૂંપડપટ્ટીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેઓ હંમેશા સમાજ સેવા કરવા માંગતા હતા. તેથી જ તેમણે નોકરી છોડી દીધી. પટાવાળા પણ નોકરી છોડતા નથી. જ્યારે કેજરીવાલ પહેલીવાર સીએમ બન્યા ત્યારે તેમણે 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું.

Most Popular

To Top