સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા...
સુરત: વીર નર્મદ યુનિ. (VNSGU) ખાતે મળેલી એકડેમિક કાઉનિ્સલ અને સિન્ડીકેટ (SYNDICATE)ની બેઠકમાં આખરે યુજી (UG) અને પીજી (PG)ના 3 લાખ ઉમેદવારો...
સુરત: (Surat) શહેરમાં જાણે કે સાયલેન્સર (Silencer) ચોર ટોળકીઓ સક્રિય થઇ છે, માત્ર ઇકો ગાડીનું જ સાયલેન્સર ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદો...
ઇડુક્કી(કેરળ): ઇઝરાયેલ (ISRAEL)માં એક પેલેસ્ટાઇની રોકેટ હુમલા (ROCKET ATTACK)માં મૃત્યુ (DEATH) પામેલી સૌમ્યા સંથોષ (SOMYA SANTHOS) નામની કેરળની એક મહિલાનો નવ વર્ષનો...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજોના બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પછી 23 વર્ષીય જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયન સાગરની હત્યાં ( murder) મામલે ઓલમ્પિક...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેર હવે પુર્ણ થઈ છે. શહેરમાં એપ્રિલ (april) માસમાં કોરોનાની બીજી લહેર પીકમાં હતી. જેથી શહેરમાં થાળે...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (SECOND WAVE OF CORONA)ના કારણે આક્રોશ ફેલાયો છે. હાલમાં, કોરોના રસી (VACCINE) દ્વારા લોકોને સંક્રમણથી દૂર...
ગુજરાતમાં (Gujarat) 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું (Tauktae cyclone) સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે....
કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. નેશનલ...
આપણી સંસ્કૃતિમાં ઘણા એવા કર્મ છે જે સદીઓથી આ પરંપરાઓનું પાલન કરાઈ રહ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે હિંદુ ધર્મ...
સલમાન ખાનની ( salman khan) ફિલ્મ દર વર્ષે ઈદ ( eid) પર રિલીઝ થાય છે. આ વર્ષે તેની ફિલ્મ ‘રાધે’ ( radhe)...
vyara : વ્યારાના કરંજવેલ ગામે બડકી ફળિયામાં કોરોના આરટીપીસીઆર ( rtpcr) પોઝિટિવ કેસ ( positive case) આવ્યો હોય આ વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનની...
valsad : કોરોના ( corona) થયા બાદ ખાનગી હોસ્પિટલ ( private hopital) ની સારવાર છોડી વલસાડની સિવિલ હોસ્પિટલ ( civil hospital) માં...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) ના યોગી સરકારના કોરોના રસીકરણ ( corona vaccination) ને લઈને આપવામાં આવેલો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો...
surat : ‘પૈસાથી મોટુ કોઇ નથી’તેમ કહી પાલનપુર પાટીયાની રાધાકૃષ્ણ સોસાયટીમાં માથાભારે ચાર લોકોના ત્રાસથી ઓનલાઇન (online) કાપડના વેપાર કરનારા યુવાને ફાંસો...
surat : રાજ્યના બીજા જિલ્લાની તુલનાએ સુરતમાં કોવિડ ( covid) મહામારીની બીજી લહેરથી પેદા થયેલી સ્થિતિ મહદઅંશે સુધરતા રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir...
surat : રાંદેર ચાંદ કમિટી દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે માહે શવ્વાલ સન હિજરી-1442નો ચાંદ તારીખ 12-05-21ને બુધવારની સાંજે દેખાયો ન...
surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital) માં કોરોના કાળમાં આપવામાં આવેલો હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ ( contract) ચાલુ મે...
ભારતમાં જોવા મળતા કોરોના વાયરસ ( corona virus) ની પ્રકૃતિ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (who)...
સુરત: સતત બે વર્ષથી કોરોના ( corona) ની લહેરના કારણે અખાત્રીજના ( akhatrij) પવિત્ર દિવસે યોજવામાં આવતાં લગ્ન કે માંગલિક કાર્યો પર...
રાજ્યના એકપણ દર્દીને ઓક્સિજનની ઘટનો સામનો કરવો ન પડે અને રાજ્યની તમામ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો મળી રહે તે...
રાજ્યમાં આવેલી આઠ જેટલી જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજોના તબીબો અને નર્સિંગ સ્ટાફ અચાનક પોતાની માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરમાં દર્દીઓની સ્થિતિ...
ગાંધીનગર : આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં...
સુરત: (Surat) કોરોનોની બીજી લહેરમાં સામાન્ય નાગરિકોની સાથે સાથે ભાજપના (BJP) કાર્યકર્તાઓને પણ રડવાનો વારો આવ્યો હતો. સવલતોને અભાવે કાર્યકર્તાઓને પણ તેમના...
દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સ્થિતિ પર નજર રાખી...
અમદાવાદ અને ગાંધીનગરમાં મ્યૂકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા વધી જવા પામી છે, તેની સાથે આ રોગની સારવાર માટે ઉપયોગી એવા ઈન્જેકશનની અછત જોવા મળી...
સુરત: (Surat) ભાજપ (BJP) ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું...
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આજે નવા 11,017 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 17 મૃત્યુ સાથે રાજ્યમાં...
ગાંધીનગર: (Gandhinagar) પહેલા અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ અને તે પછી ગાંધીનગરમાં ચીલોડા નજીક આવેલા રાયપુ ગામ તેમજ હવે અમદાવાદ જિલ્લામાં શીલજ...
ગાંધીનગર: (Gandhinagar) દક્ષિણ ભારતમાં અરબી સમુદ્રમાં આકાર પામેલી લો પ્રેશરની સિસ્ટમ વાવાઝોડામાં (Hurricane) ફેરવાઈને ગુજરાત તરફ આવી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
સુરત: (Surat) કોરોનાની બીજી લહેર સુરત શહેર અને જિલ્લાના ડાઇંગ-પ્રોસેસિંગ એકમો (Dyeing-processing units) માટે ઘાતક સાબિત થઇ છે. 28 એપ્રિલથી ફોસ્ટા દ્વારા કાપડ માર્કેટ બંધ કરવામાં આવતા 12મે સુધી ટેક્સટાઇલ ક્લસ્ટરની 350 ડાઇંગ મિલોમાં થી 90 ટકા મિલો (Mill) બંધ પડી છે. તેને લીધે હજારો કારીગરોએ રોજગારી ગુમાવી છે. કોરોના સંક્રમણના વર્ષ દરમિયાન કાપડનો વેપાર મંદ રહેવા સાથે ક્રેડિટ પર જોબવર્કનું કામ અને કાપડ વેચનાર મિલોનું 4000 કરોડનું પેમેન્ટ (Payment) ટ્રેડર્સોમાં ફસાયુ છે.

ડાઇંગ પ્રોસેસિંગ એકમોના ઉદ્યોગકારોએ 2020ના લોકડાઉન પછી બેંકો પાસેથી 2થી 5 કરોડની કેશ ક્રેડિટ લીધી હતી તેના પર કામ ચાલી રહ્યું છે. હવે ઉદ્યોગકારોની સ્થિતિ એવી થઇ છે કે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોના ઓવરડ્રાફ્ટની રકમ ભરપાઇ કરી શકે તેમ નથી. તે સ્થિતિમાં જો નજીકના દિવસોમાં કાપડ માર્કેટ શરૂ નહી થાય તો કેટલાક સધ્ધર દેખાતા ઉદ્યોગકારો પણ નાદારી નોંધાવે તે સ્થિતિએ પહોંચ્યા છે. પ્રોસેસર્સનું કહેવુ છે કે કાપડ માર્કેટમાં હોલસેલ વેપાર થાય છે તે જોતા પચાસ ટકા સ્ટાફ સાથે માર્કેટ ઉઘડી શકે છે. પરંતુ ફોસ્ટા અને ચેમ્બરના ગજગ્રાહમાં વર્ચસ્વની લડાઇ શરૂ થતા પ્રોસેસર્સનો ખો નીકળી રહ્યો છે. રાજ્ય સરકારની પરિપત્ર પ્રમાણે માર્કેટમાં પેકિંગ,કટિંગ અને ટ્રાન્સપોર્ટેશનની છૂટ આપવામાં આવી છે. લોકડાઉનથી અત્યાર સુધીના વર્ષમાં ડાઇંગ પ્રોસેસિંગ એકમોને પચાસ ટકા સુધી ડેમેજ થયુ છે. તેની ભરપાઇ મુશ્કેલ છે.
પાર્સલ ડિસ્પેચનું કામ મિલમાલિકોએ મિલોથી શરૂ કર્યુ
સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં આવેલી પાંડેસરા,સચિન,હોજીવાલા અને વસ્તાદેવડી રોડની મિલોના માલિકોએ રિંગરોડ અને સારોલીની માર્કેટોમાંથી ડિસ્પેચ કરવાને બદલે હવે માલની ડિલિવરી મિલોમાંથીજ આપવાનું શરૂ કર્યુ છે. જેમની પાસે જીઆઇડીસીના વધારાના ગોડાઉન હતા તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

બંધ થયેલી મિલો રિ-સ્ટાર્ટ કરવા 30 લાખનો ખર્ચ આવશે
કાપડ માર્કેટો લાંબા સમયથી બંધ રહેવા ઉપરાંત કામદારોએ મોટા પાયે પલાયન કરતા ડાઇંગ પ્રોસેસિંગ હાઉસો 90 ટકા બંધ પડ્યા છે. આ સ્થિતિમાં માર્કેટ શરૂ થશે તો મિલોને રિ-સ્ટાર્ટ કરવી પડશે. એક મિલને રિ-સ્ટાર્ટ કરવા પાછળ અંદાજે 30 લાખનો ખર્ચ થશે. આ સ્થિતિમાં વેપારીઓએ માર્કેટ સરકારની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરવા વિચારવુ જોઇએ. – જીતેન્દ્ર વખારિયા, પ્રમુખ, એસજીટીટીએ
હજી અઠવાડિયું કાપડ માર્કેટ નહીં ખુલે તો બાકી બચેલી મિલો પણ બંધ પડશે
વિકેન્ડમાં કાપડ માર્કેટો બંધ રાખવામાં આવી છે તે પછી હવે 28 એપ્રિલથી કાપડ માર્કેટ બંધ છે. જોકે મિલોથી ઉત્તરભારતના કેટલાક રાજ્યોમાં ધીમી ગતિએ માલ જઇ રહ્યો છે. આ સ્થિતિમાં સુરતની લોકલ કાપડ માર્કેટ શરૂ થાય તો જે મિલો અત્યારે ચાલે છે તે ટકી શકે છે જો હવે અઠવાડિયું કાપડ માર્કેટ બંધ રહેશે તો બાકી બચેલી મિલોને પણ શટડાઉન કરવાનો વારો આવશે. એ સ્થિતિમાં જે 30થી 40 ટકા કામદારો સુરતમાં રહ્યા છે તેમના પલાયનનો ભય ઉભો થશે. – કમલવિજય તુલસ્યાન, પ્રમુખ, પાંડેસરા એસોસિએશન
મંજૂરી મળ્યા પછી કાપડ માર્કેટ નહીં ખોલવાનો નિર્ણય ખોટો હતો
જિલ્લાના વડા તરીકે કલેક્ટર ડો.ધવલ પટેલે સવારે 10થી 2 કાપડ માર્કેટ ખોલવા મંજૂરી આપી હતી. પરંતુ ફોસ્ટા અને ચેમ્બર વચ્ચેના ગજગ્રાહને લીધે ફોસ્ટાએ માર્કેટ નહીં ખોલવા જે નિર્ણય લીધો હતો તે ખોટો હતો માર્કેટ ખોલવાની મંજૂરી કોણ લઇ આવ્યુ તે મહત્વનું નહતુ પરંતુ વેપારનો હિત મહત્વનું હતુ. સરવાળે બધાને નુકશાન થઇ રહ્યુ છે. – દેવેશ પટેલ, પ્રમુખ, વેડરોડ, કતારગામ વિવર્સ એસોસિયેશન