એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી...
ભારત અમેરિકાનું લશ્કરી વ્યૂહાત્મક રીતે જોડાણમાં સાથી ખરું કે નહીં? આ વર્ષના જાન્યુઆરીમાં અમેરિકાએ 2018 નો એક દસ્તાવેજ બિનવર્ગીકૃત કર્યો. જણાવાયું હતું...
‘હવે સતયુગ આવશે’ અમારા એક પ્રિન્સિપાલ મિત્રે રમૂજમાં કહ્યું.. કારણ એ હતું કે ‘સંઘો શકિત કલૌ યુગે… કળીયુગમાં સંગઠન એ શકિત છે....
છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક...
લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ...
નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ...
આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ...
હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ...
દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન...
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી...
પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ સો રૂપિયાને વટાવી ચૂક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરિયાતની...
ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પર કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમોને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાક વિસ્તારમાં અઢી કલાકનો કાપ...
તાલિબાન કાબુલમાં પોતાની નવી સરકારની રચના ઇરાનીયન નેતાગીરીની લાઇન પર કરવા માટે સજ્જ છે જેમાં આ સંગઠનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા...
કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો જ્યાં ઓછામાં...
સુરતમાં જીપીસીબીથી માંડીને સંબધિત તમામ સરકારી વિભાગોની મંજૂરી વિના જ ધમધમતી આશરે 300થી વધુ ગેરકાયદે ડાઈંગ હાઉસ ધમધમતા હોવાની ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ...
ઇસ્ટર્ન ઇકોનિમિક ફોરમ અંતર્ગત રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય સાથે સીધો હીરાનો વેપાર થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે...
મીડિયાનો એક વર્ગ સમાચારોને કોમી રંગ આપે છે જે દેશની બદનામી નોંતરે છે એમ કહેતા સર્વોચ્ચ અદાલતે આજે વેબ પોર્ટલો અને યુ-ટ્યુબ...
ગુરૂવારે અહીં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આયરલેન્ડ સામે બે ગોલ કરીને પોતાની ટીમને 2-1થી જીતાડવાની સાથે જ સર્વાધિક ઇન્ટરનેશનલ...
રાજયમાં આજે દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થયો હતો. દ્વારકામાં અઢી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
એક દિવસ રાજાએ વિચાર કર્યો કે, ‘મારે કોઈ સૌથી જ્ઞાની ગુરુના શિષ્ય બનવું છે અને તેમણે મંત્રીઓને બોલાવીને કહ્યું ‘મારા માટે સૌથી સારા ગુરુને શોધો.જે ગુરુનો આશ્રમ સૌથી મોટો હોય.સૌથી સુંદર અને સૌથી મોટો આશ્રમ જેનો હશે તે ગુરુનો હું શિષ્ય બનીશ.’ નગરભરમાં રાજાની આ ઈચ્છાનો ઢંઢેરો પીટવામાં આવ્યો અને વાત થોડા દિવસમાં દૂર દૂર સુધી ફેલાઈ ગઈ.અનેક ગુરુઓ આવવા લાગ્યા અને પોતાના આશ્રમની સુંદરતાના વખાણ કરવા લાગ્યા.

ઘણા તો પોતાના આશ્રમનો નકશો લઈને આવ્યા હતા.ઘણા ગુરુઓ પોતાના આશ્રમની તસ્વીરો લઈને આવ્યા હતા અને બધા પોતાનો આશ્રમ સૌથી સુંદર છે સૌથી મોટો છે તેવો દાવો કરી રહ્યા હતા.રાજાએ બધા મંત્રીઓને બધા આશ્રમની મુલાકાત લેવાનું કહ્યું અને બધા ગુરુઓને મહેલમાં મહેમાન બની રહેવા માટે આમંત્રણ આપ્યું. થોડા દિવસમાં મંત્રીઓ બધા આશ્રમની મુલાકાત લઈને આવી પહોંચ્યા અને બધા આશ્રમ એક એકથી ચઢિયાતા હતા એટલે કોઈ નિર્ણય લઇ શકાયો નહિ.રાજાએ નક્કી કર્યું હું બધા આશ્રમની મુલાકાત લઈને નક્કી કરીશ અને રાજાનો કાફલો નીકળ્યો એક પછી એક આશ્રમની મુલાકાતે.
રસ્તામાં રાજાનો કાફલો એક જંગલમાંથી પસાર થતો હતો ત્યારે રાજાના કાને એક ભજન પડ્યું.એક તેજસ્વી ફકીરબાબા આ ભજન ગાઈ રહ્યા હતા.રાજા આપોઆપ તે અવાજ પાછળ ખેંચાયા અને ફકીર બાબા પાસે પહોંચી ગયા.તેઓ એક ઝાડ નીચે બેસી પોતાની મસ્તીમાં ભજન ગઈ રહ્યા હતા.રાજાએ ફકીરને પ્રણામ કર્યા અને તરત પૂછ્યું, ‘બાબા, તમારો આશ્રમ કયાં છે મારે તે જોવો છે.’ ફકીરબાબા હસ્યા અને બોલ્યા, ‘મારો આશ્રમ.અરે, મારો કોઈ આશ્રમ નથી. આ આખું વિશ્વ મારું છે. આકાશની છત અને ધરતીનું બિછાનું છે.આ આખો સંસાર મારો છે. તેમાં વસતા દરેક જીવ પર મને પ્રેમ છે.’
ફકીરબાબાની આ વાત સાંભળી રાજાએ એક નિર્ણય કર્યો અને તેમનાં ચરણોમાં પડી ગયો અને તેમને વિનવણી કરી કે મને તમારો શિષ્ય બનાવો.રાજાની ગુરુની શોધ પૂરી થઇ.ફકીરબાબાએ રાજાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને કહ્યું, ‘શિષ્ય આજે તારો પહેલો સબક છે કે કોઈ પણ વસ્તુ જે સીમામાં બંધાય છે તેનો વિકાસ અટકી જાય છે.આશ્રમ હોય કે ધર્મ હોય કે કોઇ પણ વ્યક્તિ જે કંઈ પણ કોઈ સીમામાં બંધાઈ જાય છે ત્યારે તેના વિચારો, તેનો દ્રષ્ટિકોણ એક સીમામાં બંધાઈ જાય છે.તારે સૌથી પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે જો જ્ઞાન, બુદ્ધિ કે વિચારોની જો એક સીમા નક્કી થઇ જાય તો આગળ પ્રગતિ થતી નથી.કયારેય જ્ઞાન અને બુદ્ધિની સીમા સીમિત ન રાખવી.તેમાં અસીમતા જરૂરી છે.હંમેશા વિચારોને કોઈપણ બંધનરહિત ઊંચા અને સાફ રાખવા સીમિત નહિ.’ રાજાએ પોતાના ગુરુજી પાસે શિષ્ય તરીકે પહેલો સબક શીખ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.