Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 કેસ સાથે કુલ 10 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 2, વડોદરા મનપા-ગ્રામ્યમાં 2-2, અને અમદાવાદ મનપા, ગાંધીનગર મનપા, કચ્છમાં 1-1 નવો કેસ નોંધાયો છે. તેવી જ રીતે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 12 દર્દીઓ સાજા થયા છે. સાથે જ સાજા થવાના દર 98.76 ટકા નોંધાયો છે. રાજ્યમાં એકટીવ કેસની સંખ્યા ઘટીને 151 થઈ છે. તેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે, અને 148 દર્દીઓ સ્ટેબલ છે.

ગુરૂવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં 7,23,980 વ્યકિતઓને રસી આપવામાં આવી
રાજ્યમાં આજે ગુરૂવારના સાંજના ચાર વાગ્યા સુધીમાં 7,23,980 વ્યકિતઓને રસી આપવામાં આવી છે, જેની વિગતોમાં 31 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ અને 6,027ને બીજો ડોઝ તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 1,11,020ને પ્રથમઅને 1,06, 350ને બીજો ડોઝ જ્યારે 18-45 વર્ષ સુધીના 3,40,594ને પ્રથમ અને 1,59,958ને બીજો ડોઝ મળી આજે કુલ 7,23,980 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,77,42,696 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

To Top